Gujarat Unseasonal Rain : રાજ્યના આ વિસ્તારોમાં આવી શકે છે મુસીબતનું માવઠું, હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2024-04-13 12:40:45

એક તરફ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે તો બીજી તરફ રાજ્યના હવામાનમાં મોટા ફેરબદલ જોવા મળી રહ્યા છે. ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરાંત અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી પણ રહ્યો છે. આગામી બે ત્રણ દિવસો દરમિયાન ગુજરાતના અનેક ભાગો માટે માવઠાની આગાહી કરાઈ છે. માવઠાને કારણે જગતના તાતને ફરી એક વખત રડવાનો વારો આવવાનો છે...હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. 



આ જગ્યાઓ પર વરસશે મુસીબતનું માવઠું 

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ કાળઝાળ ગરમી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. 15 તારીખ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવમાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે આણંદ, દાહોદ, વડોદરા,છોટા ઉદેપુર,નર્મદા,ભરૂચમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે ઉપરાંત સુરત,નવસારી,વલસાડ, અમરેલી સહિત અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે.  આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ, સુરત,ભરૂચ, નવસારી-વલસાડ,ભાવનગર,ગીર સોમનાથ સહિતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. 



માવઠાને લઈ હવામાન નિષ્ણાતોએ કરી છે આગાહી 

હવામાન નિષ્ણાત દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તે મુજબ રાજ્યના અનેક ભાગોમાં માવઠું આવી શકે છે. પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો દ્વારકા, જામનગર, પોરબંદરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથના કેટલાક ભાગોમાં પણ અતિ ઘાટા વાદળો જોવા મળી શકે છે. મહત્વનું છે કે અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે... જગતના તાતને માવઠાને કારણે અનેક વખત ખેડૂતોને ભોગવવાનો વારો આવતો હોય છે. પકવેલા પાક માવઠાને કારણે ધોવાઈ જાય છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે