Gujarat Unseasonal Rain : રાજ્યના આ વિસ્તારોમાં આવી શકે છે મુસીબતનું માવઠું, હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2024-04-13 12:40:45

એક તરફ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે તો બીજી તરફ રાજ્યના હવામાનમાં મોટા ફેરબદલ જોવા મળી રહ્યા છે. ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરાંત અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી પણ રહ્યો છે. આગામી બે ત્રણ દિવસો દરમિયાન ગુજરાતના અનેક ભાગો માટે માવઠાની આગાહી કરાઈ છે. માવઠાને કારણે જગતના તાતને ફરી એક વખત રડવાનો વારો આવવાનો છે...હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. 



આ જગ્યાઓ પર વરસશે મુસીબતનું માવઠું 

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ કાળઝાળ ગરમી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. 15 તારીખ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવમાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે આણંદ, દાહોદ, વડોદરા,છોટા ઉદેપુર,નર્મદા,ભરૂચમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે ઉપરાંત સુરત,નવસારી,વલસાડ, અમરેલી સહિત અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે.  આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ, સુરત,ભરૂચ, નવસારી-વલસાડ,ભાવનગર,ગીર સોમનાથ સહિતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. 



માવઠાને લઈ હવામાન નિષ્ણાતોએ કરી છે આગાહી 

હવામાન નિષ્ણાત દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તે મુજબ રાજ્યના અનેક ભાગોમાં માવઠું આવી શકે છે. પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો દ્વારકા, જામનગર, પોરબંદરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથના કેટલાક ભાગોમાં પણ અતિ ઘાટા વાદળો જોવા મળી શકે છે. મહત્વનું છે કે અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે... જગતના તાતને માવઠાને કારણે અનેક વખત ખેડૂતોને ભોગવવાનો વારો આવતો હોય છે. પકવેલા પાક માવઠાને કારણે ધોવાઈ જાય છે.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.