Gujarat Vidhansabha : આમંત્રણ પત્રિકા બાદ વિધાનસભાના પ્રારંભ વખતે લખવામાં આવ્યું 'President Of Bharat', શું ફરી ગરમાશે રાજનીતિ?


  • Published By :
  • Published Date : 2023-09-13 11:01:22

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઈ વિધાનસભાનો પ્રારંભ કરવાના છે. ત્યારે દેશમાં હાલ ભારત અને ઈન્ડિયાનો મુદ્દો ચાલી રહ્યો છે. ગઈકાલે આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના હસ્તે ઈ વિધાનસભાનો પ્રારંભ થવાનો છે. જ્યારે રાષ્ટ્રપતિ વિધાનસભામાં બેઠા હતા ત્યારે તેની પાછળ રાષ્ટ્રપતિ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. મહત્વનું છે કે થોડા સમયથી દેશમાં નામને લઈ રાજકારણ ગરમાયું છે. ભારત અને ઈન્ડિયા નામને લઈ રાજનીતિ ચાલી રહી છે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા હવે પેપરલેસ થઈ જવાની છે. એપ્લિકેશન લોન્ચ થતા કામગીરી ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે જેની વિધાનસભા પેપરલેસ બની હોય.  


રાષ્ટ્રપતિના હસ્તે એપ્લિકેશન થઈ લોન્ચ  

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. સત્રના પહેલા દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા છે. રાષ્ટ્રપતિના હસ્તે ઈ-વિધાનસભા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ ડેસ્ક પર હાજર હતા. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો.  


આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિના હોદ્દાના સ્થાન પર લખાયું હતું 'ભારત'

આપણા દેશનું નામ દેશનું નામ India માંથી બદલીને ભારત કરવાના આરોપ વિપક્ષો કેન્દ્રની મોદી સરકાર પર લગાવી રહી છે.  જો કે બાદમાં સરકારના પ્રવક્તા મંત્રી અનુરાગ ઠાકુરે પણ આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમ  છતાં પણ હજું આ વિવાદ શાંત થતો નથી, તે દરમિયાન ગુજરાત વિધાનસભાની આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હોદ્દાના સ્થાન પર President of Bharat લખવામાં આવતા મામલો ગરમાયો છે. ત્યારે હવે એપ્લિકેશનના લોન્ચિંગ વખતે પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે. મહત્વનું છે દેશના નામને લઈ ઘણા સમયથી રાજનીતિ થઈ રહી છે. સરકાર પર વિપક્ષે અનેક વખત આરોપ લગાવ્યો છે કે દેશનું નામ બદલવા સરકાર માગે છે. આ મુદ્દો હજી શાંત થયો ન હતો ત્યારે ગુજરાત વિધાનસભાની આમંત્રણ પત્રિકાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.