Gujarat Vidhansabha : આમંત્રણ પત્રિકા બાદ વિધાનસભાના પ્રારંભ વખતે લખવામાં આવ્યું 'President Of Bharat', શું ફરી ગરમાશે રાજનીતિ?


  • Published By :
  • Published Date : 2023-09-13 11:01:22

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઈ વિધાનસભાનો પ્રારંભ કરવાના છે. ત્યારે દેશમાં હાલ ભારત અને ઈન્ડિયાનો મુદ્દો ચાલી રહ્યો છે. ગઈકાલે આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના હસ્તે ઈ વિધાનસભાનો પ્રારંભ થવાનો છે. જ્યારે રાષ્ટ્રપતિ વિધાનસભામાં બેઠા હતા ત્યારે તેની પાછળ રાષ્ટ્રપતિ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. મહત્વનું છે કે થોડા સમયથી દેશમાં નામને લઈ રાજકારણ ગરમાયું છે. ભારત અને ઈન્ડિયા નામને લઈ રાજનીતિ ચાલી રહી છે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા હવે પેપરલેસ થઈ જવાની છે. એપ્લિકેશન લોન્ચ થતા કામગીરી ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે જેની વિધાનસભા પેપરલેસ બની હોય.  


રાષ્ટ્રપતિના હસ્તે એપ્લિકેશન થઈ લોન્ચ  

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. સત્રના પહેલા દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા છે. રાષ્ટ્રપતિના હસ્તે ઈ-વિધાનસભા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ ડેસ્ક પર હાજર હતા. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો.  


આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિના હોદ્દાના સ્થાન પર લખાયું હતું 'ભારત'

આપણા દેશનું નામ દેશનું નામ India માંથી બદલીને ભારત કરવાના આરોપ વિપક્ષો કેન્દ્રની મોદી સરકાર પર લગાવી રહી છે.  જો કે બાદમાં સરકારના પ્રવક્તા મંત્રી અનુરાગ ઠાકુરે પણ આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમ  છતાં પણ હજું આ વિવાદ શાંત થતો નથી, તે દરમિયાન ગુજરાત વિધાનસભાની આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હોદ્દાના સ્થાન પર President of Bharat લખવામાં આવતા મામલો ગરમાયો છે. ત્યારે હવે એપ્લિકેશનના લોન્ચિંગ વખતે પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે. મહત્વનું છે દેશના નામને લઈ ઘણા સમયથી રાજનીતિ થઈ રહી છે. સરકાર પર વિપક્ષે અનેક વખત આરોપ લગાવ્યો છે કે દેશનું નામ બદલવા સરકાર માગે છે. આ મુદ્દો હજી શાંત થયો ન હતો ત્યારે ગુજરાત વિધાનસભાની આમંત્રણ પત્રિકાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.