Gujarat Vidhansabha : આમંત્રણ પત્રિકા બાદ વિધાનસભાના પ્રારંભ વખતે લખવામાં આવ્યું 'President Of Bharat', શું ફરી ગરમાશે રાજનીતિ?


  • Published By :
  • Published Date : 2023-09-13 11:01:22

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઈ વિધાનસભાનો પ્રારંભ કરવાના છે. ત્યારે દેશમાં હાલ ભારત અને ઈન્ડિયાનો મુદ્દો ચાલી રહ્યો છે. ગઈકાલે આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના હસ્તે ઈ વિધાનસભાનો પ્રારંભ થવાનો છે. જ્યારે રાષ્ટ્રપતિ વિધાનસભામાં બેઠા હતા ત્યારે તેની પાછળ રાષ્ટ્રપતિ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. મહત્વનું છે કે થોડા સમયથી દેશમાં નામને લઈ રાજકારણ ગરમાયું છે. ભારત અને ઈન્ડિયા નામને લઈ રાજનીતિ ચાલી રહી છે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા હવે પેપરલેસ થઈ જવાની છે. એપ્લિકેશન લોન્ચ થતા કામગીરી ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે જેની વિધાનસભા પેપરલેસ બની હોય.  


રાષ્ટ્રપતિના હસ્તે એપ્લિકેશન થઈ લોન્ચ  

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. સત્રના પહેલા દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા છે. રાષ્ટ્રપતિના હસ્તે ઈ-વિધાનસભા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ ડેસ્ક પર હાજર હતા. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો.  


આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિના હોદ્દાના સ્થાન પર લખાયું હતું 'ભારત'

આપણા દેશનું નામ દેશનું નામ India માંથી બદલીને ભારત કરવાના આરોપ વિપક્ષો કેન્દ્રની મોદી સરકાર પર લગાવી રહી છે.  જો કે બાદમાં સરકારના પ્રવક્તા મંત્રી અનુરાગ ઠાકુરે પણ આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમ  છતાં પણ હજું આ વિવાદ શાંત થતો નથી, તે દરમિયાન ગુજરાત વિધાનસભાની આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હોદ્દાના સ્થાન પર President of Bharat લખવામાં આવતા મામલો ગરમાયો છે. ત્યારે હવે એપ્લિકેશનના લોન્ચિંગ વખતે પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે. મહત્વનું છે દેશના નામને લઈ ઘણા સમયથી રાજનીતિ થઈ રહી છે. સરકાર પર વિપક્ષે અનેક વખત આરોપ લગાવ્યો છે કે દેશનું નામ બદલવા સરકાર માગે છે. આ મુદ્દો હજી શાંત થયો ન હતો ત્યારે ગુજરાત વિધાનસભાની આમંત્રણ પત્રિકાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.