Gujarat Vidhansabha : આમંત્રણ પત્રિકા બાદ વિધાનસભાના પ્રારંભ વખતે લખવામાં આવ્યું 'President Of Bharat', શું ફરી ગરમાશે રાજનીતિ?


  • Published By :
  • Published Date : 2023-09-13 11:01:22

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઈ વિધાનસભાનો પ્રારંભ કરવાના છે. ત્યારે દેશમાં હાલ ભારત અને ઈન્ડિયાનો મુદ્દો ચાલી રહ્યો છે. ગઈકાલે આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના હસ્તે ઈ વિધાનસભાનો પ્રારંભ થવાનો છે. જ્યારે રાષ્ટ્રપતિ વિધાનસભામાં બેઠા હતા ત્યારે તેની પાછળ રાષ્ટ્રપતિ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. મહત્વનું છે કે થોડા સમયથી દેશમાં નામને લઈ રાજકારણ ગરમાયું છે. ભારત અને ઈન્ડિયા નામને લઈ રાજનીતિ ચાલી રહી છે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા હવે પેપરલેસ થઈ જવાની છે. એપ્લિકેશન લોન્ચ થતા કામગીરી ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે જેની વિધાનસભા પેપરલેસ બની હોય.  


રાષ્ટ્રપતિના હસ્તે એપ્લિકેશન થઈ લોન્ચ  

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. સત્રના પહેલા દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા છે. રાષ્ટ્રપતિના હસ્તે ઈ-વિધાનસભા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ ડેસ્ક પર હાજર હતા. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો.  


આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિના હોદ્દાના સ્થાન પર લખાયું હતું 'ભારત'

આપણા દેશનું નામ દેશનું નામ India માંથી બદલીને ભારત કરવાના આરોપ વિપક્ષો કેન્દ્રની મોદી સરકાર પર લગાવી રહી છે.  જો કે બાદમાં સરકારના પ્રવક્તા મંત્રી અનુરાગ ઠાકુરે પણ આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમ  છતાં પણ હજું આ વિવાદ શાંત થતો નથી, તે દરમિયાન ગુજરાત વિધાનસભાની આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હોદ્દાના સ્થાન પર President of Bharat લખવામાં આવતા મામલો ગરમાયો છે. ત્યારે હવે એપ્લિકેશનના લોન્ચિંગ વખતે પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે. મહત્વનું છે દેશના નામને લઈ ઘણા સમયથી રાજનીતિ થઈ રહી છે. સરકાર પર વિપક્ષે અનેક વખત આરોપ લગાવ્યો છે કે દેશનું નામ બદલવા સરકાર માગે છે. આ મુદ્દો હજી શાંત થયો ન હતો ત્યારે ગુજરાત વિધાનસભાની આમંત્રણ પત્રિકાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.