Gujarat Weather : ગરમીનો માર સહન કરવા રહેવું પડશે તૈયાર! આ જગ્યાઓ માટે જાહેર કરાયું એલર્ટ, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-25 10:58:39

રાજ્યમાં સતત કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ જાણે ગરમીનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે અમદાવાદની ગરમીએ તો સુરેન્દ્રનગર તેમજ ડીસાને પણ પાછળ છોડી દીધા છે.. ગઈકાલે અમદાવાદ ગુજરાતનું સૌથી હોટેસ્ટ સિટી બન્યું હતું. અમદાવાદનું તાપમાન 45.5 નોંધાયું જ્યારે સૌથી ઓછું તાપમાન વેરાવળનું નોંધાયું છે.. 26 તારીખ સુધી તાપમાનના પારો વધશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 27 તારીખ બાદ ધીમે ધીમે ગરમી ઓછી થઈ શકે છે.. 


અમદાવાદનું તાપમાન પહોંચ્યું 46 ડિગ્રી નજીક 

તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. ઘરની બહાર નીકળતા પહેલા 100 વખત જાણે વિચાર કરવો પડી રહ્યો છે.. અનેક લોકો માટે આ ગરમી જીવલેણ પણ સાબિત થઈ છે.. ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે...ઈમરજન્સી કોલમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.. પરમદિવસે અમદાવાદનું તાપમાન 47 ડિગ્રી નજીક હતું પરંતુ ગઈકાલે તાપમાનમાં ઘટાડો થયો છે.વડોદરા, ડીસા, કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગર સહિત અનેક એવા વિસ્તારો હતા જ્યાંનું તાપમાન 44 ડિગ્રી નજીક નોંધાયું હતું.


ક્યાં કેટલી નોંધાઈ ગરમી? 

શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ અમદાવાદનું તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ડીસાનું તાપમાન 44.8, ગાંધીનગરનું તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું.. વડોદરાનું તાપમાન 44 ડિગ્રી,સુરતનું તાપમાન 36.7 ડિગ્રી, વલસાડનું 36.4 ડિગ્રી નોંધાયું હતું.. તે સિવાય અમરેલીનું તાપમાન 43.8 જ્યારે ભાવનગરનું તાપમાન 42.0 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરનું તાપમાન 44.0 જ્યારે મહુવાનું તાપમાન 41.0 ડિગ્રી નોંધાયું. તે સિવાય વેરાવળનું તાપમાન 33.4 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાનન 36.6 ડિગ્રી નોંધાયું હતું.


અગત્યનું કામ ના હોય તો ઘરની નિકળવાનું ટાળવું જોઈએ.. 

હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા,પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, વડોદરા, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, દાહોદ, જૂનાગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે 25 તેમજ 26 તારીખ માટે.. મહત્વનું છે કે ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે.. હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ગરમીથી રક્ષણ મેળવવા માટે પાણી વધારે પીવું જોઈએ, લાઈટ કપડા પહેરવા જોઈએ. જો તમને ચક્કર અથવા તો વિકનેસ લાગે તો ડોક્ટરનો સંપર્ક તરત કરવો જોઈએ.. જો અગત્યનું કામ ના હોય તો ઘરની બહાર નિકળવાનું ટાળજો.. 

     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.