Gujarat Weather : ગરમીનો માર સહન કરવા રહેવું પડશે તૈયાર! આ જગ્યાઓ માટે જાહેર કરાયું એલર્ટ, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-25 10:58:39

રાજ્યમાં સતત કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ જાણે ગરમીનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે અમદાવાદની ગરમીએ તો સુરેન્દ્રનગર તેમજ ડીસાને પણ પાછળ છોડી દીધા છે.. ગઈકાલે અમદાવાદ ગુજરાતનું સૌથી હોટેસ્ટ સિટી બન્યું હતું. અમદાવાદનું તાપમાન 45.5 નોંધાયું જ્યારે સૌથી ઓછું તાપમાન વેરાવળનું નોંધાયું છે.. 26 તારીખ સુધી તાપમાનના પારો વધશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 27 તારીખ બાદ ધીમે ધીમે ગરમી ઓછી થઈ શકે છે.. 


અમદાવાદનું તાપમાન પહોંચ્યું 46 ડિગ્રી નજીક 

તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. ઘરની બહાર નીકળતા પહેલા 100 વખત જાણે વિચાર કરવો પડી રહ્યો છે.. અનેક લોકો માટે આ ગરમી જીવલેણ પણ સાબિત થઈ છે.. ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે...ઈમરજન્સી કોલમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.. પરમદિવસે અમદાવાદનું તાપમાન 47 ડિગ્રી નજીક હતું પરંતુ ગઈકાલે તાપમાનમાં ઘટાડો થયો છે.વડોદરા, ડીસા, કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગર સહિત અનેક એવા વિસ્તારો હતા જ્યાંનું તાપમાન 44 ડિગ્રી નજીક નોંધાયું હતું.


ક્યાં કેટલી નોંધાઈ ગરમી? 

શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ અમદાવાદનું તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ડીસાનું તાપમાન 44.8, ગાંધીનગરનું તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું.. વડોદરાનું તાપમાન 44 ડિગ્રી,સુરતનું તાપમાન 36.7 ડિગ્રી, વલસાડનું 36.4 ડિગ્રી નોંધાયું હતું.. તે સિવાય અમરેલીનું તાપમાન 43.8 જ્યારે ભાવનગરનું તાપમાન 42.0 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરનું તાપમાન 44.0 જ્યારે મહુવાનું તાપમાન 41.0 ડિગ્રી નોંધાયું. તે સિવાય વેરાવળનું તાપમાન 33.4 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાનન 36.6 ડિગ્રી નોંધાયું હતું.


અગત્યનું કામ ના હોય તો ઘરની નિકળવાનું ટાળવું જોઈએ.. 

હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા,પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, વડોદરા, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, દાહોદ, જૂનાગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે 25 તેમજ 26 તારીખ માટે.. મહત્વનું છે કે ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે.. હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ગરમીથી રક્ષણ મેળવવા માટે પાણી વધારે પીવું જોઈએ, લાઈટ કપડા પહેરવા જોઈએ. જો તમને ચક્કર અથવા તો વિકનેસ લાગે તો ડોક્ટરનો સંપર્ક તરત કરવો જોઈએ.. જો અગત્યનું કામ ના હોય તો ઘરની બહાર નિકળવાનું ટાળજો.. 

     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે