Gujarat Weather : ગરમીનો માર સહન કરવા રહેવું પડશે તૈયાર! આ જગ્યાઓ માટે જાહેર કરાયું એલર્ટ, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-25 10:58:39

રાજ્યમાં સતત કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ જાણે ગરમીનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે અમદાવાદની ગરમીએ તો સુરેન્દ્રનગર તેમજ ડીસાને પણ પાછળ છોડી દીધા છે.. ગઈકાલે અમદાવાદ ગુજરાતનું સૌથી હોટેસ્ટ સિટી બન્યું હતું. અમદાવાદનું તાપમાન 45.5 નોંધાયું જ્યારે સૌથી ઓછું તાપમાન વેરાવળનું નોંધાયું છે.. 26 તારીખ સુધી તાપમાનના પારો વધશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 27 તારીખ બાદ ધીમે ધીમે ગરમી ઓછી થઈ શકે છે.. 


અમદાવાદનું તાપમાન પહોંચ્યું 46 ડિગ્રી નજીક 

તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. ઘરની બહાર નીકળતા પહેલા 100 વખત જાણે વિચાર કરવો પડી રહ્યો છે.. અનેક લોકો માટે આ ગરમી જીવલેણ પણ સાબિત થઈ છે.. ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે...ઈમરજન્સી કોલમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.. પરમદિવસે અમદાવાદનું તાપમાન 47 ડિગ્રી નજીક હતું પરંતુ ગઈકાલે તાપમાનમાં ઘટાડો થયો છે.વડોદરા, ડીસા, કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગર સહિત અનેક એવા વિસ્તારો હતા જ્યાંનું તાપમાન 44 ડિગ્રી નજીક નોંધાયું હતું.


ક્યાં કેટલી નોંધાઈ ગરમી? 

શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ અમદાવાદનું તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ડીસાનું તાપમાન 44.8, ગાંધીનગરનું તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું.. વડોદરાનું તાપમાન 44 ડિગ્રી,સુરતનું તાપમાન 36.7 ડિગ્રી, વલસાડનું 36.4 ડિગ્રી નોંધાયું હતું.. તે સિવાય અમરેલીનું તાપમાન 43.8 જ્યારે ભાવનગરનું તાપમાન 42.0 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરનું તાપમાન 44.0 જ્યારે મહુવાનું તાપમાન 41.0 ડિગ્રી નોંધાયું. તે સિવાય વેરાવળનું તાપમાન 33.4 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાનન 36.6 ડિગ્રી નોંધાયું હતું.


અગત્યનું કામ ના હોય તો ઘરની નિકળવાનું ટાળવું જોઈએ.. 

હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા,પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, વડોદરા, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, દાહોદ, જૂનાગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે 25 તેમજ 26 તારીખ માટે.. મહત્વનું છે કે ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે.. હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ગરમીથી રક્ષણ મેળવવા માટે પાણી વધારે પીવું જોઈએ, લાઈટ કપડા પહેરવા જોઈએ. જો તમને ચક્કર અથવા તો વિકનેસ લાગે તો ડોક્ટરનો સંપર્ક તરત કરવો જોઈએ.. જો અગત્યનું કામ ના હોય તો ઘરની બહાર નિકળવાનું ટાળજો.. 

     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.