Gujarat Weather : ગરમીનો માર સહન કરવા રહેવું પડશે તૈયાર! આ જગ્યાઓ માટે જાહેર કરાયું એલર્ટ, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-25 10:58:39

રાજ્યમાં સતત કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ જાણે ગરમીનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે અમદાવાદની ગરમીએ તો સુરેન્દ્રનગર તેમજ ડીસાને પણ પાછળ છોડી દીધા છે.. ગઈકાલે અમદાવાદ ગુજરાતનું સૌથી હોટેસ્ટ સિટી બન્યું હતું. અમદાવાદનું તાપમાન 45.5 નોંધાયું જ્યારે સૌથી ઓછું તાપમાન વેરાવળનું નોંધાયું છે.. 26 તારીખ સુધી તાપમાનના પારો વધશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 27 તારીખ બાદ ધીમે ધીમે ગરમી ઓછી થઈ શકે છે.. 


અમદાવાદનું તાપમાન પહોંચ્યું 46 ડિગ્રી નજીક 

તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. ઘરની બહાર નીકળતા પહેલા 100 વખત જાણે વિચાર કરવો પડી રહ્યો છે.. અનેક લોકો માટે આ ગરમી જીવલેણ પણ સાબિત થઈ છે.. ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે...ઈમરજન્સી કોલમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.. પરમદિવસે અમદાવાદનું તાપમાન 47 ડિગ્રી નજીક હતું પરંતુ ગઈકાલે તાપમાનમાં ઘટાડો થયો છે.વડોદરા, ડીસા, કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગર સહિત અનેક એવા વિસ્તારો હતા જ્યાંનું તાપમાન 44 ડિગ્રી નજીક નોંધાયું હતું.


ક્યાં કેટલી નોંધાઈ ગરમી? 

શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ અમદાવાદનું તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ડીસાનું તાપમાન 44.8, ગાંધીનગરનું તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું.. વડોદરાનું તાપમાન 44 ડિગ્રી,સુરતનું તાપમાન 36.7 ડિગ્રી, વલસાડનું 36.4 ડિગ્રી નોંધાયું હતું.. તે સિવાય અમરેલીનું તાપમાન 43.8 જ્યારે ભાવનગરનું તાપમાન 42.0 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરનું તાપમાન 44.0 જ્યારે મહુવાનું તાપમાન 41.0 ડિગ્રી નોંધાયું. તે સિવાય વેરાવળનું તાપમાન 33.4 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાનન 36.6 ડિગ્રી નોંધાયું હતું.


અગત્યનું કામ ના હોય તો ઘરની નિકળવાનું ટાળવું જોઈએ.. 

હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા,પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, વડોદરા, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, દાહોદ, જૂનાગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે 25 તેમજ 26 તારીખ માટે.. મહત્વનું છે કે ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે.. હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ગરમીથી રક્ષણ મેળવવા માટે પાણી વધારે પીવું જોઈએ, લાઈટ કપડા પહેરવા જોઈએ. જો તમને ચક્કર અથવા તો વિકનેસ લાગે તો ડોક્ટરનો સંપર્ક તરત કરવો જોઈએ.. જો અગત્યનું કામ ના હોય તો ઘરની બહાર નિકળવાનું ટાળજો.. 

     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.