Gujarat Weather : આગામી દિવસોમાં રહી શકે છે વાદળછાયું વાતાવરણ, જાણો હવામાનને લઈ કરવામાં આવેલી આગાહી વિશે..


  • Published By :
  • Published Date : 2024-02-01 15:37:18

છેલ્લા એક બે દિવસથી ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે કારણ કે સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માવઠાની આગાહી કરવામાં આવે છે જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે તેવી માહિતી સામે આવી છે. દ્વારકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. 


દ્વારકાના અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ!

ડિસેમ્બર મહિનામાં માવઠાને કારણે ઠંડીનો અનુભવ વધારે થયો હતો. પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. અનેક જગ્યાનું તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. થોડા દિવસોથી કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો પરંતુ આવનાર દિવસોમાં કમોસમી વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ફ્રેબ્રુઆરી મહિનામાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાતાવરણમાં પલટો નોંધાયો છે જેને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. દ્વારકાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.   


કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા

આવનાર સમયમાં ઠંડીમાંથી હજી વધારે રાહત મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક શહેરોનું તાપમાન વધ્યું છે જેને કારણે ઠંડીમાંથી રાહત મળી છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારે ફેરફાર નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.