Gujarat Weather : આગામી દિવસોમાં રહી શકે છે વાદળછાયું વાતાવરણ, જાણો હવામાનને લઈ કરવામાં આવેલી આગાહી વિશે..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-01 15:37:18

છેલ્લા એક બે દિવસથી ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે કારણ કે સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માવઠાની આગાહી કરવામાં આવે છે જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે તેવી માહિતી સામે આવી છે. દ્વારકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. 


દ્વારકાના અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ!

ડિસેમ્બર મહિનામાં માવઠાને કારણે ઠંડીનો અનુભવ વધારે થયો હતો. પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. અનેક જગ્યાનું તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. થોડા દિવસોથી કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો પરંતુ આવનાર દિવસોમાં કમોસમી વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ફ્રેબ્રુઆરી મહિનામાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાતાવરણમાં પલટો નોંધાયો છે જેને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. દ્વારકાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.   


કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા

આવનાર સમયમાં ઠંડીમાંથી હજી વધારે રાહત મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક શહેરોનું તાપમાન વધ્યું છે જેને કારણે ઠંડીમાંથી રાહત મળી છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારે ફેરફાર નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું    



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..