Gujarat Weather : આગામી દિવસોમાં રહી શકે છે વાદળછાયું વાતાવરણ, જાણો હવામાનને લઈ કરવામાં આવેલી આગાહી વિશે..


  • Published By :
  • Published Date : 2024-02-01 15:37:18

છેલ્લા એક બે દિવસથી ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે કારણ કે સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માવઠાની આગાહી કરવામાં આવે છે જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે તેવી માહિતી સામે આવી છે. દ્વારકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. 


દ્વારકાના અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ!

ડિસેમ્બર મહિનામાં માવઠાને કારણે ઠંડીનો અનુભવ વધારે થયો હતો. પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. અનેક જગ્યાનું તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. થોડા દિવસોથી કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો પરંતુ આવનાર દિવસોમાં કમોસમી વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ફ્રેબ્રુઆરી મહિનામાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાતાવરણમાં પલટો નોંધાયો છે જેને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. દ્વારકાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.   


કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા

આવનાર સમયમાં ઠંડીમાંથી હજી વધારે રાહત મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક શહેરોનું તાપમાન વધ્યું છે જેને કારણે ઠંડીમાંથી રાહત મળી છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારે ફેરફાર નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.