Gujarat Weather : રાજ્યમાં ઠંડીનો ચમકારો, અનેક શહેરોમાં તાપમાન ગગડ્યું, જાણો આગામી દિવસો માટે શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-01-23 10:06:27

જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી શું હોય તેનો અનુભવ જાણે રાજ્યમાં થઈ રહ્યો તેવું લાગે છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ વધારે થઈ રહ્યો છે. સાથે સાથે ધુમ્મસની ચાદર જાણે પથરાઈ હોય તેવું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આ વખતે નલિયા સૌથી વધારે ઠંડુગાર સાબિત થયું છે ત્યાંનું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું હતું. 

ગુજરાતમાં ઠંડીનું જોર વધશે, ઉત્તર ભારત શીતલહેરમાં ઠુંઠવાયું

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

દેશના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ પડી રહી છે તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે જેને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક શહોરોનું તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જો શહેરોની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 13.8 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.0 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે ઉપરાંત કંડલાનું તાપમાન 10.9 ડિગ્રી પર પહોંચ્યું હતું. સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન  વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસો દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મહદ અંશે કોઇ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ તે બાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીઃ ગુજરાતમાં 7 ઓક્ટોબરથી ફરીથી સર્જાઈ  શકે છે વરસાદી માહોલ, 17 ઓક્ટોબરે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે ...


અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી!  

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે જે અનુસાર આગામી દિવસોમાં કમોસમી વરસાદ આવી શકે છે. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે અને તેને કારણે કમોસમી વરસાદના રાઉન્ડ માટે રાજ્યના અનેક ભાગોએ તૈયાર રહેવું પડશે.  24 થી 26 જાન્યુઆરી દરમિયાન કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.