Gujarat Weather : રાજ્યમાં ઠંડીનો ચમકારો, અનેક શહેરોમાં તાપમાન ગગડ્યું, જાણો આગામી દિવસો માટે શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-01-23 10:06:27

જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી શું હોય તેનો અનુભવ જાણે રાજ્યમાં થઈ રહ્યો તેવું લાગે છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ વધારે થઈ રહ્યો છે. સાથે સાથે ધુમ્મસની ચાદર જાણે પથરાઈ હોય તેવું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આ વખતે નલિયા સૌથી વધારે ઠંડુગાર સાબિત થયું છે ત્યાંનું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું હતું. 

ગુજરાતમાં ઠંડીનું જોર વધશે, ઉત્તર ભારત શીતલહેરમાં ઠુંઠવાયું

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

દેશના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ પડી રહી છે તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે જેને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક શહોરોનું તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જો શહેરોની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 13.8 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.0 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે ઉપરાંત કંડલાનું તાપમાન 10.9 ડિગ્રી પર પહોંચ્યું હતું. સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન  વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસો દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મહદ અંશે કોઇ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ તે બાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીઃ ગુજરાતમાં 7 ઓક્ટોબરથી ફરીથી સર્જાઈ  શકે છે વરસાદી માહોલ, 17 ઓક્ટોબરે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે ...


અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી!  

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે જે અનુસાર આગામી દિવસોમાં કમોસમી વરસાદ આવી શકે છે. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે અને તેને કારણે કમોસમી વરસાદના રાઉન્ડ માટે રાજ્યના અનેક ભાગોએ તૈયાર રહેવું પડશે.  24 થી 26 જાન્યુઆરી દરમિયાન કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.