Gujarat Weather : રાજ્યમાં ઠંડીનો ચમકારો, અનેક શહેરોમાં તાપમાન ગગડ્યું, જાણો આગામી દિવસો માટે શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-01-23 10:06:27

જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી શું હોય તેનો અનુભવ જાણે રાજ્યમાં થઈ રહ્યો તેવું લાગે છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ વધારે થઈ રહ્યો છે. સાથે સાથે ધુમ્મસની ચાદર જાણે પથરાઈ હોય તેવું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આ વખતે નલિયા સૌથી વધારે ઠંડુગાર સાબિત થયું છે ત્યાંનું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું હતું. 

ગુજરાતમાં ઠંડીનું જોર વધશે, ઉત્તર ભારત શીતલહેરમાં ઠુંઠવાયું

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

દેશના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ પડી રહી છે તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે જેને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક શહોરોનું તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જો શહેરોની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 13.8 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.0 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે ઉપરાંત કંડલાનું તાપમાન 10.9 ડિગ્રી પર પહોંચ્યું હતું. સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન  વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસો દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મહદ અંશે કોઇ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ તે બાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીઃ ગુજરાતમાં 7 ઓક્ટોબરથી ફરીથી સર્જાઈ  શકે છે વરસાદી માહોલ, 17 ઓક્ટોબરે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે ...


અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી!  

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે જે અનુસાર આગામી દિવસોમાં કમોસમી વરસાદ આવી શકે છે. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે અને તેને કારણે કમોસમી વરસાદના રાઉન્ડ માટે રાજ્યના અનેક ભાગોએ તૈયાર રહેવું પડશે.  24 થી 26 જાન્યુઆરી દરમિયાન કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.