Gujarat Weather : માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત, જાણો આજ અને આવતી કાલ માટે શું કરવામાં આવી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-03-01 10:26:06

રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે જેને કારણે જગતના તાતની ચિંતા વધી ગઈ છે. શિયાળાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા હતા ત્યારે શિયાળો વિદાય લેતી વખતે પણ ખેડૂતોને રડાવી રહ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે અને આવતી કાલ માટે તો હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. પહેલી માર્ચે એટલે આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો બીજી માર્ચ અંગે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં માવઠું આવવાની શક્યતા છે. 



કમોસમી વરસાદની આગાહીથી જગતના તાત ચિંતામાં મૂકાયા!

ખેડૂતોથી જાણે કુદરત રૂઠી હોય તેવું લાગે છે! જ્યારે વરસાદની જરૂર હોય ત્યારે વરસાદ આવતો નથી પ્રમાણસર માત્રામાં અને જ્યારે જરૂર નથી હોતી ત્યારે કમોસમી વરસાદના સ્વરૂપમાં ખેડૂતોને રડાવા માટે વરસાદ આવી જતો હોય છે! ભારતનું અર્થતંત્ર ખેતી પર પણ નિર્ભર રહેલું છે. ખેડૂતો ખેતરમાં કામ કરે છે ત્યારે જ આપણા ઘર સુધી અનાજ પહોંચે છે. વાતાવરણમાં આવતો પલટો કદાચ આપણને સીધી અસર નહીં કરતો હોય પરંતુ જગતના તાત પર વાતાવરણના પલટાની સીધી અસર થતી હોય છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો દ્વારા કરાયેલી મહેનત પર પાણી ફરી વળતું હોય છે. શિયાળાની સિઝન જ્યારે શરૂ થઈ ત્યારે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સિઝનની વચ્ચે પણ છુટો છવાયો વરસાદ વરસ્યો હતો અને જ્યારે શિયાળાની સિઝન પૂર્ણ થવાને આરે છે ત્યારે પણ કમોસમી વરસાદ ખેડૂતોને રડાવી રહ્યો છે.



આજે ક્યાં વરસી શકે છે વરસાદ? 

માવઠા અંગેની વાત કરીએ તો હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતે આગાહી કરી છે. પહેલી અને બીજી માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ પહેલી માર્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, મોરબી, ગીરસોમનાથ, કચ્છમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. 



આવતી કાલ માટે કરવામાં આવી આ આગાહી..!

તે સિવાય બીજી માર્ચ માટે કરવામાં આવેલી આગાહી પ્રમાણે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ તથા ગાંધીનગર, અમદાવાદ, મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ તથા કચ્છમાં વરસાદ રહેવાની શક્યતા છે. તે સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.