Gujarat Weather : માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત, જાણો આજ અને આવતી કાલ માટે શું કરવામાં આવી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-03-01 10:26:06

રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે જેને કારણે જગતના તાતની ચિંતા વધી ગઈ છે. શિયાળાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા હતા ત્યારે શિયાળો વિદાય લેતી વખતે પણ ખેડૂતોને રડાવી રહ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે અને આવતી કાલ માટે તો હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. પહેલી માર્ચે એટલે આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો બીજી માર્ચ અંગે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં માવઠું આવવાની શક્યતા છે. 



કમોસમી વરસાદની આગાહીથી જગતના તાત ચિંતામાં મૂકાયા!

ખેડૂતોથી જાણે કુદરત રૂઠી હોય તેવું લાગે છે! જ્યારે વરસાદની જરૂર હોય ત્યારે વરસાદ આવતો નથી પ્રમાણસર માત્રામાં અને જ્યારે જરૂર નથી હોતી ત્યારે કમોસમી વરસાદના સ્વરૂપમાં ખેડૂતોને રડાવા માટે વરસાદ આવી જતો હોય છે! ભારતનું અર્થતંત્ર ખેતી પર પણ નિર્ભર રહેલું છે. ખેડૂતો ખેતરમાં કામ કરે છે ત્યારે જ આપણા ઘર સુધી અનાજ પહોંચે છે. વાતાવરણમાં આવતો પલટો કદાચ આપણને સીધી અસર નહીં કરતો હોય પરંતુ જગતના તાત પર વાતાવરણના પલટાની સીધી અસર થતી હોય છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો દ્વારા કરાયેલી મહેનત પર પાણી ફરી વળતું હોય છે. શિયાળાની સિઝન જ્યારે શરૂ થઈ ત્યારે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સિઝનની વચ્ચે પણ છુટો છવાયો વરસાદ વરસ્યો હતો અને જ્યારે શિયાળાની સિઝન પૂર્ણ થવાને આરે છે ત્યારે પણ કમોસમી વરસાદ ખેડૂતોને રડાવી રહ્યો છે.



આજે ક્યાં વરસી શકે છે વરસાદ? 

માવઠા અંગેની વાત કરીએ તો હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતે આગાહી કરી છે. પહેલી અને બીજી માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ પહેલી માર્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, મોરબી, ગીરસોમનાથ, કચ્છમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. 



આવતી કાલ માટે કરવામાં આવી આ આગાહી..!

તે સિવાય બીજી માર્ચ માટે કરવામાં આવેલી આગાહી પ્રમાણે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ તથા ગાંધીનગર, અમદાવાદ, મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ તથા કચ્છમાં વરસાદ રહેવાની શક્યતા છે. તે સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.