Gujarat Weather : માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત, જાણો આજ અને આવતી કાલ માટે શું કરવામાં આવી છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-01 10:26:06

રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે જેને કારણે જગતના તાતની ચિંતા વધી ગઈ છે. શિયાળાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા હતા ત્યારે શિયાળો વિદાય લેતી વખતે પણ ખેડૂતોને રડાવી રહ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે અને આવતી કાલ માટે તો હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. પહેલી માર્ચે એટલે આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો બીજી માર્ચ અંગે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં માવઠું આવવાની શક્યતા છે. 



કમોસમી વરસાદની આગાહીથી જગતના તાત ચિંતામાં મૂકાયા!

ખેડૂતોથી જાણે કુદરત રૂઠી હોય તેવું લાગે છે! જ્યારે વરસાદની જરૂર હોય ત્યારે વરસાદ આવતો નથી પ્રમાણસર માત્રામાં અને જ્યારે જરૂર નથી હોતી ત્યારે કમોસમી વરસાદના સ્વરૂપમાં ખેડૂતોને રડાવા માટે વરસાદ આવી જતો હોય છે! ભારતનું અર્થતંત્ર ખેતી પર પણ નિર્ભર રહેલું છે. ખેડૂતો ખેતરમાં કામ કરે છે ત્યારે જ આપણા ઘર સુધી અનાજ પહોંચે છે. વાતાવરણમાં આવતો પલટો કદાચ આપણને સીધી અસર નહીં કરતો હોય પરંતુ જગતના તાત પર વાતાવરણના પલટાની સીધી અસર થતી હોય છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો દ્વારા કરાયેલી મહેનત પર પાણી ફરી વળતું હોય છે. શિયાળાની સિઝન જ્યારે શરૂ થઈ ત્યારે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સિઝનની વચ્ચે પણ છુટો છવાયો વરસાદ વરસ્યો હતો અને જ્યારે શિયાળાની સિઝન પૂર્ણ થવાને આરે છે ત્યારે પણ કમોસમી વરસાદ ખેડૂતોને રડાવી રહ્યો છે.



આજે ક્યાં વરસી શકે છે વરસાદ? 

માવઠા અંગેની વાત કરીએ તો હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતે આગાહી કરી છે. પહેલી અને બીજી માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ પહેલી માર્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, મોરબી, ગીરસોમનાથ, કચ્છમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. 



આવતી કાલ માટે કરવામાં આવી આ આગાહી..!

તે સિવાય બીજી માર્ચ માટે કરવામાં આવેલી આગાહી પ્રમાણે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ તથા ગાંધીનગર, અમદાવાદ, મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ તથા કચ્છમાં વરસાદ રહેવાની શક્યતા છે. તે સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે.  



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..