મેઘરાજા ફરી થયા મહેરબાન, આ જિલ્લાઓમાં થઈ અમીવર્ષા, હવામાન વિભાગે કરી ખેડૂતોને ટાઢક આપતી આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-06 22:05:49

રાજ્યમાં ઓગસ્ટ મહિનો ઓગષ્ટ મહિનો કોરોધાકોર રહેતા ખેડૂતોની ચિંતા વધી છે. જુલાઇ મહિનામાં મન મુકીને વરસેલા મેઘરાજા ઓગસ્ટમાં એવા તો રિસાયા કે જાણે વરસવાનું જ ભૂલી ગયા. જો કે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબકી શકે છે. 


આગામી 5 દિવસ થશે મેઘ મહેર


રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આજે હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે. તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે હવામાન વિભાગના મતે કાલથી વરસાદનું જોર વધશે અને સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મૂશળધાર વરસાદ વરસશે.  તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે. અમદાવાદમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી કરાઈ છે.   


આ જિલ્લાઓમાં વરસાદનું આગમન   


રાજ્યમાં લાંબા સમય બાદ ફરી ચોમાસું સક્રિય થયું છે. અરવલ્લી, વડોદરા, દાહોદ  અને મહીસાગર તેમજ દ્વારકાના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે, જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અરવલ્લી જિલ્લામાં એક માસના લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. આ મેઘ મહેરના કારણે મકાઈ,સોયાબીન,તુવેર સહિત મુર્જાતા પાકને જીવતદાન મળ્યું છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.ડભોઇ પંથકમાં પણ આગાહી મુજબ વરસાદી ઝાપટા પડ્યા છે. લાંબા વિરામ બાદ ડભોઇ પંથકમાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાઘોડિયામા બપોરે વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદની ચાતક નજરે વાટ જોતા ખેડૂતોને આંશિક રાહત મળી હતી. 


207 ડેમમાં હાલ  76 ટકા પાણી

 

રાજ્યના કુલ 207 ડેમમાં હાલ તો 76 ટકા પાણી છે. જ્યારે કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 84 ટકા પાણી છે. પરંતુ હવે વરસાદ ન પડવાથી મોટા ભાગના ડેમમાંથી પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. ખેડૂતોએ બજારમાંથી મોંઘા ભાવે બિયારણની ખરીદી કરી ખેતરમાં પાકની વાવણી કરી છે પરંતુ ડેમમાંથી પાણી ઘટતા હવે ખેડૂતોને અપાતા સિંચાઇના પાણીમાં પણ કાપ મુકવાની નોબત આવી છે. જેના કારણે સ્થિતિ વિકટ બનવાના એંધાણ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.