Gujarat Weather : આ તારીખથી થવા લાગશે કાળઝાળ ગરમીનો અહેસાસ! જાણો ગરમીને લઈ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-03-16 14:30:50

રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. બપોરના સમયે હમણાંથી જ આકરો તાપ પડી રહ્યો છે જેને કારણે લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. વહેલી સવારે તેમજ રાત્રે થોડી ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ બપોરના સમયે આકરી ગરમી પડી રહી છે. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાન 30 ડિગ્રી ઉપર નોંધાયું છે. આવનાર સમયમાં ગરમીનો અનુભવ હજી પણ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી દિવસોમાં હવામાન સૂકુ રહેશે.


અનેક શહેરોનું તાપમાન પહોંચ્યું 35 ડિગ્રીને પાર 

હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે પરંતુ હમણાંથી જ ગરમીનો ભયંકર અનુભવ થઈ રહ્યો છે. તાપમાન હમણાંથી ઉંચકાઈ રહ્યું છે જેને કારણે લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે હમણાં આવી હાલત છે તો મે જૂનમાં શું થશે? રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે કારણ કે સવારે ઠંડી લાગે, ઠંડા ઠંડા પવન વહેંતા હોય છે અને બપોરે ચામડી બાળે તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તાર એવા છે જ્યાં 35 ડિગ્રી આસપાસ તાપમાન નોધાયું છે.  રાજકોટ તેમજ સુરેન્દ્રનગરનું તાપમાન 35.7 જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાયું છે. તે ઉપરાંત મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 35.5, વડોદરામાં 34.8 જ્યારે ભાવનગરનું તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું છે. 13 શહેરો એવા હતા જ્યાંનું 34 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું હતું. આવનાર દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે....

આવનાર દિવસોમાં વધુ ગરમી પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આગાહી કરતા કાકાએ કહ્યું કે 20 માર્ચ સુધીમાં ગરમી વધશે. અનેક ભાગો એવા હશે જ્યાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે. તે બાદ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેને કારણે હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આવનાર મહિનામાં ફરી એક વખત માવઠું આવી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે બેવડી ઋતુને કારણે અનેક લોકો બીમાર પડી રહ્યા છે. સામાન્ય રીતે એવું પણ જોવામાં આવ્યું છે કે હોળીના સમયગાળા દરમિયાન અનેક લોકોને વાયરલ થતો હોય છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.