Gujarat Weather : આ તારીખથી થવા લાગશે કાળઝાળ ગરમીનો અહેસાસ! જાણો ગરમીને લઈ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-03-16 14:30:50

રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. બપોરના સમયે હમણાંથી જ આકરો તાપ પડી રહ્યો છે જેને કારણે લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. વહેલી સવારે તેમજ રાત્રે થોડી ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ બપોરના સમયે આકરી ગરમી પડી રહી છે. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાન 30 ડિગ્રી ઉપર નોંધાયું છે. આવનાર સમયમાં ગરમીનો અનુભવ હજી પણ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી દિવસોમાં હવામાન સૂકુ રહેશે.


અનેક શહેરોનું તાપમાન પહોંચ્યું 35 ડિગ્રીને પાર 

હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે પરંતુ હમણાંથી જ ગરમીનો ભયંકર અનુભવ થઈ રહ્યો છે. તાપમાન હમણાંથી ઉંચકાઈ રહ્યું છે જેને કારણે લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે હમણાં આવી હાલત છે તો મે જૂનમાં શું થશે? રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે કારણ કે સવારે ઠંડી લાગે, ઠંડા ઠંડા પવન વહેંતા હોય છે અને બપોરે ચામડી બાળે તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તાર એવા છે જ્યાં 35 ડિગ્રી આસપાસ તાપમાન નોધાયું છે.  રાજકોટ તેમજ સુરેન્દ્રનગરનું તાપમાન 35.7 જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાયું છે. તે ઉપરાંત મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 35.5, વડોદરામાં 34.8 જ્યારે ભાવનગરનું તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું છે. 13 શહેરો એવા હતા જ્યાંનું 34 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું હતું. આવનાર દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે....

આવનાર દિવસોમાં વધુ ગરમી પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આગાહી કરતા કાકાએ કહ્યું કે 20 માર્ચ સુધીમાં ગરમી વધશે. અનેક ભાગો એવા હશે જ્યાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે. તે બાદ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેને કારણે હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આવનાર મહિનામાં ફરી એક વખત માવઠું આવી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે બેવડી ઋતુને કારણે અનેક લોકો બીમાર પડી રહ્યા છે. સામાન્ય રીતે એવું પણ જોવામાં આવ્યું છે કે હોળીના સમયગાળા દરમિયાન અનેક લોકોને વાયરલ થતો હોય છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.