Gujarat Weather : આ તારીખથી થવા લાગશે કાળઝાળ ગરમીનો અહેસાસ! જાણો ગરમીને લઈ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતે શું કરી છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-16 14:30:50

રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. બપોરના સમયે હમણાંથી જ આકરો તાપ પડી રહ્યો છે જેને કારણે લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. વહેલી સવારે તેમજ રાત્રે થોડી ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ બપોરના સમયે આકરી ગરમી પડી રહી છે. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાન 30 ડિગ્રી ઉપર નોંધાયું છે. આવનાર સમયમાં ગરમીનો અનુભવ હજી પણ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી દિવસોમાં હવામાન સૂકુ રહેશે.


અનેક શહેરોનું તાપમાન પહોંચ્યું 35 ડિગ્રીને પાર 

હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે પરંતુ હમણાંથી જ ગરમીનો ભયંકર અનુભવ થઈ રહ્યો છે. તાપમાન હમણાંથી ઉંચકાઈ રહ્યું છે જેને કારણે લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે હમણાં આવી હાલત છે તો મે જૂનમાં શું થશે? રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે કારણ કે સવારે ઠંડી લાગે, ઠંડા ઠંડા પવન વહેંતા હોય છે અને બપોરે ચામડી બાળે તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તાર એવા છે જ્યાં 35 ડિગ્રી આસપાસ તાપમાન નોધાયું છે.  રાજકોટ તેમજ સુરેન્દ્રનગરનું તાપમાન 35.7 જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાયું છે. તે ઉપરાંત મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 35.5, વડોદરામાં 34.8 જ્યારે ભાવનગરનું તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું છે. 13 શહેરો એવા હતા જ્યાંનું 34 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું હતું. આવનાર દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે....

આવનાર દિવસોમાં વધુ ગરમી પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આગાહી કરતા કાકાએ કહ્યું કે 20 માર્ચ સુધીમાં ગરમી વધશે. અનેક ભાગો એવા હશે જ્યાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે. તે બાદ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેને કારણે હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આવનાર મહિનામાં ફરી એક વખત માવઠું આવી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે બેવડી ઋતુને કારણે અનેક લોકો બીમાર પડી રહ્યા છે. સામાન્ય રીતે એવું પણ જોવામાં આવ્યું છે કે હોળીના સમયગાળા દરમિયાન અનેક લોકોને વાયરલ થતો હોય છે.  



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે