Gujarat Weather : આ તારીખથી થવા લાગશે કાળઝાળ ગરમીનો અહેસાસ! જાણો ગરમીને લઈ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-03-16 14:30:50

રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. બપોરના સમયે હમણાંથી જ આકરો તાપ પડી રહ્યો છે જેને કારણે લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. વહેલી સવારે તેમજ રાત્રે થોડી ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ બપોરના સમયે આકરી ગરમી પડી રહી છે. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાન 30 ડિગ્રી ઉપર નોંધાયું છે. આવનાર સમયમાં ગરમીનો અનુભવ હજી પણ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી દિવસોમાં હવામાન સૂકુ રહેશે.


અનેક શહેરોનું તાપમાન પહોંચ્યું 35 ડિગ્રીને પાર 

હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે પરંતુ હમણાંથી જ ગરમીનો ભયંકર અનુભવ થઈ રહ્યો છે. તાપમાન હમણાંથી ઉંચકાઈ રહ્યું છે જેને કારણે લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે હમણાં આવી હાલત છે તો મે જૂનમાં શું થશે? રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે કારણ કે સવારે ઠંડી લાગે, ઠંડા ઠંડા પવન વહેંતા હોય છે અને બપોરે ચામડી બાળે તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તાર એવા છે જ્યાં 35 ડિગ્રી આસપાસ તાપમાન નોધાયું છે.  રાજકોટ તેમજ સુરેન્દ્રનગરનું તાપમાન 35.7 જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાયું છે. તે ઉપરાંત મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 35.5, વડોદરામાં 34.8 જ્યારે ભાવનગરનું તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું છે. 13 શહેરો એવા હતા જ્યાંનું 34 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું હતું. આવનાર દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે....

આવનાર દિવસોમાં વધુ ગરમી પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આગાહી કરતા કાકાએ કહ્યું કે 20 માર્ચ સુધીમાં ગરમી વધશે. અનેક ભાગો એવા હશે જ્યાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે. તે બાદ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેને કારણે હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આવનાર મહિનામાં ફરી એક વખત માવઠું આવી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે બેવડી ઋતુને કારણે અનેક લોકો બીમાર પડી રહ્યા છે. સામાન્ય રીતે એવું પણ જોવામાં આવ્યું છે કે હોળીના સમયગાળા દરમિયાન અનેક લોકોને વાયરલ થતો હોય છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે