હવામાન વિભાગની આગાહી: ઠંડીનું જોર યથાવત, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે


  • Published By :
  • Published Date : 2023-02-03 13:12:42

રાજ્યમાં હજુ પણ હાંડ થીજાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાત્રે તથા વહેલી સવારે કાતિલ ઠંડીનું જોર યથાવત રહેશે. અકળાવી નાખે તેવી ગરમી પડે તેવી સંભાવના હજું ઓછી છે. રાજ્યમાં રાત્રીના સમયે કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે, જોકે, ધીરે-ધીરે તાપમાનનો પારો પણ ઊંચો જઈ રહ્યો છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાશે.


નલિયા ટાઢુંબોળ


નલિયામાં 2 ફેબ્રુઆરીએ રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. રાજ્યનું સૌથી ઓછું 4 ડિગ્રી તાપમાન ગુરુવારે નોંધાયું હતું. આ સિવાય કંડલા (એરપોર્ટ)નું લઘુત્તમ તાપમાન 10ની અંદર નોંધાયું હતું. ગાંધીનગ, ભૂજ, ડીસામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન 15થી ઓછું નોંધાયું હતું.


માર્ચમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ


હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ પહોંચી જશે. આ પછી 19 થી 20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે. અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી થઈ થવાની શકયતા રહેશે. જો કે ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 40ની નજીક પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.