હવામાન વિભાગની આગાહી: ઠંડીનું જોર યથાવત, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે


  • Published By :
  • Published Date : 2023-02-03 13:12:42

રાજ્યમાં હજુ પણ હાંડ થીજાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાત્રે તથા વહેલી સવારે કાતિલ ઠંડીનું જોર યથાવત રહેશે. અકળાવી નાખે તેવી ગરમી પડે તેવી સંભાવના હજું ઓછી છે. રાજ્યમાં રાત્રીના સમયે કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે, જોકે, ધીરે-ધીરે તાપમાનનો પારો પણ ઊંચો જઈ રહ્યો છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાશે.


નલિયા ટાઢુંબોળ


નલિયામાં 2 ફેબ્રુઆરીએ રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. રાજ્યનું સૌથી ઓછું 4 ડિગ્રી તાપમાન ગુરુવારે નોંધાયું હતું. આ સિવાય કંડલા (એરપોર્ટ)નું લઘુત્તમ તાપમાન 10ની અંદર નોંધાયું હતું. ગાંધીનગ, ભૂજ, ડીસામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન 15થી ઓછું નોંધાયું હતું.


માર્ચમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ


હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ પહોંચી જશે. આ પછી 19 થી 20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે. અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી થઈ થવાની શકયતા રહેશે. જો કે ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 40ની નજીક પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.