Gujarat Weather : ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે ધોધમાર વરસાદ, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-06-13 12:04:45

રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે.. વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે.. શનિવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે.. આ વખતે ચોમાસું ચાર દિવસ વહેલા બેસી ગયું જેને કારણે એવું લાગતું હતું કે સારો વરસાદ થોડા દિવસોની અંદર જ વરસી જશે પરંતુ વરસાદનું જોર ધીરે ધીરે ઘટી ગયું છે.. એક તરફ અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અનેક વિસ્તારો એવા છે જ્યાં ગરમીથી રાહત નથી મળી..!


આજે આ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. 

વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ અનેક ભાગોમાં આજે વરસાદ વરસી શકે છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર દાહોદ, નવસારી,  વલસાડ, અમદાવાદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ગાંધીનગરમાં વરસાદ વરસી શકે છે.. ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય ભાવનગર, સોમનાથ, જૂનાગઢ, મોરબી, અમરેલી સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ શકે છે.. વલસાડ જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે...   



ક્યાં વરસી શકે છે વરસાદ?

14 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. તે સિવાય 15 તારીખે નવસારી, તાપી, દાદરા નગર હવેલી, વલસાડ. ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. શનિવારથી આમ તો વરસાદી માહોલ જામ્યો છે પરંતુ રાજ્યના થોડા જ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. બુધવારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડક પ્રસરી હતી.     


ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળ્યું..!

મહત્વનું છે કે એક તરફ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ છે તો અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. બુધવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો રાજકોટનું તાપમાન 41.8 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 41.3 જ્યારે અમદાવાદનું તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું હતું, ગાંધીનગરનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું.. આવનાર દિવસોમાં ચોમાસાનું જોર ઘટશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે..



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.