Gujarat Weather : ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે ધોધમાર વરસાદ, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-06-13 12:04:45

રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે.. વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે.. શનિવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે.. આ વખતે ચોમાસું ચાર દિવસ વહેલા બેસી ગયું જેને કારણે એવું લાગતું હતું કે સારો વરસાદ થોડા દિવસોની અંદર જ વરસી જશે પરંતુ વરસાદનું જોર ધીરે ધીરે ઘટી ગયું છે.. એક તરફ અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અનેક વિસ્તારો એવા છે જ્યાં ગરમીથી રાહત નથી મળી..!


આજે આ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. 

વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ અનેક ભાગોમાં આજે વરસાદ વરસી શકે છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર દાહોદ, નવસારી,  વલસાડ, અમદાવાદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ગાંધીનગરમાં વરસાદ વરસી શકે છે.. ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય ભાવનગર, સોમનાથ, જૂનાગઢ, મોરબી, અમરેલી સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ શકે છે.. વલસાડ જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે...   



ક્યાં વરસી શકે છે વરસાદ?

14 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. તે સિવાય 15 તારીખે નવસારી, તાપી, દાદરા નગર હવેલી, વલસાડ. ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. શનિવારથી આમ તો વરસાદી માહોલ જામ્યો છે પરંતુ રાજ્યના થોડા જ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. બુધવારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડક પ્રસરી હતી.     


ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળ્યું..!

મહત્વનું છે કે એક તરફ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ છે તો અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. બુધવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો રાજકોટનું તાપમાન 41.8 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 41.3 જ્યારે અમદાવાદનું તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું હતું, ગાંધીનગરનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું.. આવનાર દિવસોમાં ચોમાસાનું જોર ઘટશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે..



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.