Gujarat Weather : ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે ધોધમાર વરસાદ, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-06-13 12:04:45

રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે.. વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે.. શનિવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે.. આ વખતે ચોમાસું ચાર દિવસ વહેલા બેસી ગયું જેને કારણે એવું લાગતું હતું કે સારો વરસાદ થોડા દિવસોની અંદર જ વરસી જશે પરંતુ વરસાદનું જોર ધીરે ધીરે ઘટી ગયું છે.. એક તરફ અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અનેક વિસ્તારો એવા છે જ્યાં ગરમીથી રાહત નથી મળી..!


આજે આ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. 

વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ અનેક ભાગોમાં આજે વરસાદ વરસી શકે છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર દાહોદ, નવસારી,  વલસાડ, અમદાવાદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ગાંધીનગરમાં વરસાદ વરસી શકે છે.. ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય ભાવનગર, સોમનાથ, જૂનાગઢ, મોરબી, અમરેલી સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ શકે છે.. વલસાડ જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે...   



ક્યાં વરસી શકે છે વરસાદ?

14 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. તે સિવાય 15 તારીખે નવસારી, તાપી, દાદરા નગર હવેલી, વલસાડ. ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. શનિવારથી આમ તો વરસાદી માહોલ જામ્યો છે પરંતુ રાજ્યના થોડા જ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. બુધવારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડક પ્રસરી હતી.     


ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળ્યું..!

મહત્વનું છે કે એક તરફ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ છે તો અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. બુધવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો રાજકોટનું તાપમાન 41.8 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 41.3 જ્યારે અમદાવાદનું તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું હતું, ગાંધીનગરનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું.. આવનાર દિવસોમાં ચોમાસાનું જોર ઘટશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે..



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.