સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભરઉનાળે અષાઢી માહોલ, ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-04-28 20:06:56

ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવ્યો છે, રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ  અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. હજુ પણ આગામી 5 દિવસમાં મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થવાની આગાહી છે. 1 મેએ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે. 


સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં વરસાદ


સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તે જ પ્રમાણે જામનગરના કાલાવડમાં પણ કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે. જ્યારે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ કહેર જોવા મળી રહ્યો છે. ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે ધોધમાર માવઠું થયું છે. ખાંભાના મોટા સમઢીયાળા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. મોરબી શહેર અને જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઘુંટું, મીતાણા, ટંકારા સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.


કચ્છમાં પણ વાતાવરણ પલટાયું


કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે. આજે પણ કચ્છના ઘણા વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. ખાવડા, મોખાણા, મમુઆરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના રતનાલમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવનની સાથે કરાનો વરસાદ વરસ્યો છે.કચ્છમાં માધાપર, કોટડા, નાડાપા ધાણેટીમાં વરસાદ વરસ્યો છે. ડગાળા ગામમાં વરસાદ અને ભારે પવનના કારણે વાતાવરણ તોફાની બન્યું છે. 


ઉત્તર ગુજરાતમાં પણ માવઠું


મહેસાણાનાં બહુચરાજી તાલુકામાં કમોસમી વરસાદ પડયો છે. ગાજવીજ અને ભારે પવન સાથે તાલુકામાં પણ વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાટણના હારીજ માર્કેટ યાર્ડની બેદરકારીને કારણે યાર્ડમાં ખુલ્લામાં રાખેલા ઘઉં. જીરૂ. ચણા તેમજ એરંડાનો પાક પલળ્યો છે. હારીજ અને સમી પંથકમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. પવન સાથે પંથકમાં ધીમી ધારે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.