Gujarat Weather : આગામી દિવસોમાં થશે ઠંડીનો અનુભવ કે પછી આવશે મુસીબતનું માવઠું? જાણો શું છે હવામાનની latest આગાહી?


  • Published By :
  • Published Date : 2024-01-01 14:37:10

સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે પરંતુ આ વખતે એવી ઠંડી નથી પડી. મહિનાના શરૂઆતમાં કોઈ વખત કમોસમી વરસાદ આવ્યો હતો તો કોઈ વખત બપોરના સમયે ગરમીનો અનુભવ થતો હતો. ડિસેમ્બરના છેલ્લા દિવસો દરમિયાન ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ફરી એક વખત નલિયા ગુજરાતનું સૌથી ઠંડું પ્રદેશ બન્યું હતું. રવિવારે 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદનું તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે.

ઠંડી હજુ બાકી છે : ગુજરાતવાસીઓને ફરીથી થીજવશે ઠંડી

અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ 

આ વખતની ગરમીએ અનેક રેકોર્ડ તોડ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે ઠંડીનો ચમકારો પણ વધારે થશે. આ વખતે ભુક્કા બોલાઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું પરંતુ આ વખતે ડિસેમ્બર સુધીમાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો ન હતો. કોઈ કોઈ વખત જાણે ઠંડીનો અનુભવ થતો હતો તેવું લાગ્યું. શિયાળાની શરૂઆતમાં માવઠાએ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો જેને કારણે જગતના તાતની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. આગામી દિવસોમાં વધારે ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

સુરતમાં કાતિલ ઠંડી સાથે રાતભર ઠંડા પવનોના સુસવાટા, નવસારી-વલસાડ ઠંડાગાર |  Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | Navgujarat Samay -  નવગુજરાત સમય

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રવિવારે રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી પર પહોંચ્યું હતું, ડીસાનું તાપમાન 14.4 ડિગ્રીએ, સુરતનું તાપમાન 19.6 ડિગ્રી પર પહોંચ્યું હતું. વલસાડનું તાપમાન 20.0 ડિગ્રી નોંધાયું છે. તે ઉપરાંત વડોદરાનું તાપમાન 17.4, દમણનું 18.2, નલિયાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરનું તાપમાન 18.0, દ્વારકાનું તાપમાન 16.9, ઓખાનું તાપમાન 20.2 ડિગ્રી પર આવી પહોંચ્યું હતું. પોરબંદરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. મહત્વનું છે કે દેશના વિવિધ રાજ્યોમાં ઠંડીને કારણે ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.