Gujarat Weather : આગામી દિવસોમાં થશે ઠંડીનો અનુભવ કે પછી આવશે મુસીબતનું માવઠું? જાણો શું છે હવામાનની latest આગાહી?


  • Published By :
  • Published Date : 2024-01-01 14:37:10

સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે પરંતુ આ વખતે એવી ઠંડી નથી પડી. મહિનાના શરૂઆતમાં કોઈ વખત કમોસમી વરસાદ આવ્યો હતો તો કોઈ વખત બપોરના સમયે ગરમીનો અનુભવ થતો હતો. ડિસેમ્બરના છેલ્લા દિવસો દરમિયાન ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ફરી એક વખત નલિયા ગુજરાતનું સૌથી ઠંડું પ્રદેશ બન્યું હતું. રવિવારે 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદનું તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે.

ઠંડી હજુ બાકી છે : ગુજરાતવાસીઓને ફરીથી થીજવશે ઠંડી

અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ 

આ વખતની ગરમીએ અનેક રેકોર્ડ તોડ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે ઠંડીનો ચમકારો પણ વધારે થશે. આ વખતે ભુક્કા બોલાઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું પરંતુ આ વખતે ડિસેમ્બર સુધીમાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો ન હતો. કોઈ કોઈ વખત જાણે ઠંડીનો અનુભવ થતો હતો તેવું લાગ્યું. શિયાળાની શરૂઆતમાં માવઠાએ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો જેને કારણે જગતના તાતની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. આગામી દિવસોમાં વધારે ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

સુરતમાં કાતિલ ઠંડી સાથે રાતભર ઠંડા પવનોના સુસવાટા, નવસારી-વલસાડ ઠંડાગાર |  Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | Navgujarat Samay -  નવગુજરાત સમય

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રવિવારે રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી પર પહોંચ્યું હતું, ડીસાનું તાપમાન 14.4 ડિગ્રીએ, સુરતનું તાપમાન 19.6 ડિગ્રી પર પહોંચ્યું હતું. વલસાડનું તાપમાન 20.0 ડિગ્રી નોંધાયું છે. તે ઉપરાંત વડોદરાનું તાપમાન 17.4, દમણનું 18.2, નલિયાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરનું તાપમાન 18.0, દ્વારકાનું તાપમાન 16.9, ઓખાનું તાપમાન 20.2 ડિગ્રી પર આવી પહોંચ્યું હતું. પોરબંદરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. મહત્વનું છે કે દેશના વિવિધ રાજ્યોમાં ઠંડીને કારણે ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.