Gujarat Weather : આગામી દિવસોમાં થશે ઠંડીનો અનુભવ કે પછી આવશે મુસીબતનું માવઠું? જાણો શું છે હવામાનની latest આગાહી?


  • Published By :
  • Published Date : 2024-01-01 14:37:10

સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે પરંતુ આ વખતે એવી ઠંડી નથી પડી. મહિનાના શરૂઆતમાં કોઈ વખત કમોસમી વરસાદ આવ્યો હતો તો કોઈ વખત બપોરના સમયે ગરમીનો અનુભવ થતો હતો. ડિસેમ્બરના છેલ્લા દિવસો દરમિયાન ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ફરી એક વખત નલિયા ગુજરાતનું સૌથી ઠંડું પ્રદેશ બન્યું હતું. રવિવારે 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદનું તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે.

ઠંડી હજુ બાકી છે : ગુજરાતવાસીઓને ફરીથી થીજવશે ઠંડી

અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ 

આ વખતની ગરમીએ અનેક રેકોર્ડ તોડ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે ઠંડીનો ચમકારો પણ વધારે થશે. આ વખતે ભુક્કા બોલાઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું પરંતુ આ વખતે ડિસેમ્બર સુધીમાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો ન હતો. કોઈ કોઈ વખત જાણે ઠંડીનો અનુભવ થતો હતો તેવું લાગ્યું. શિયાળાની શરૂઆતમાં માવઠાએ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો જેને કારણે જગતના તાતની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. આગામી દિવસોમાં વધારે ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

સુરતમાં કાતિલ ઠંડી સાથે રાતભર ઠંડા પવનોના સુસવાટા, નવસારી-વલસાડ ઠંડાગાર |  Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | Navgujarat Samay -  નવગુજરાત સમય

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રવિવારે રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી પર પહોંચ્યું હતું, ડીસાનું તાપમાન 14.4 ડિગ્રીએ, સુરતનું તાપમાન 19.6 ડિગ્રી પર પહોંચ્યું હતું. વલસાડનું તાપમાન 20.0 ડિગ્રી નોંધાયું છે. તે ઉપરાંત વડોદરાનું તાપમાન 17.4, દમણનું 18.2, નલિયાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરનું તાપમાન 18.0, દ્વારકાનું તાપમાન 16.9, ઓખાનું તાપમાન 20.2 ડિગ્રી પર આવી પહોંચ્યું હતું. પોરબંદરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. મહત્વનું છે કે દેશના વિવિધ રાજ્યોમાં ઠંડીને કારણે ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે