Gujarat Weather : આગામી દિવસોમાં થશે ઠંડીનો અનુભવ કે પછી આવશે મુસીબતનું માવઠું? જાણો શું છે હવામાનની latest આગાહી?


  • Published By :
  • Published Date : 2024-01-01 14:37:10

સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે પરંતુ આ વખતે એવી ઠંડી નથી પડી. મહિનાના શરૂઆતમાં કોઈ વખત કમોસમી વરસાદ આવ્યો હતો તો કોઈ વખત બપોરના સમયે ગરમીનો અનુભવ થતો હતો. ડિસેમ્બરના છેલ્લા દિવસો દરમિયાન ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ફરી એક વખત નલિયા ગુજરાતનું સૌથી ઠંડું પ્રદેશ બન્યું હતું. રવિવારે 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદનું તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે.

ઠંડી હજુ બાકી છે : ગુજરાતવાસીઓને ફરીથી થીજવશે ઠંડી

અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ 

આ વખતની ગરમીએ અનેક રેકોર્ડ તોડ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે ઠંડીનો ચમકારો પણ વધારે થશે. આ વખતે ભુક્કા બોલાઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું પરંતુ આ વખતે ડિસેમ્બર સુધીમાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો ન હતો. કોઈ કોઈ વખત જાણે ઠંડીનો અનુભવ થતો હતો તેવું લાગ્યું. શિયાળાની શરૂઆતમાં માવઠાએ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો જેને કારણે જગતના તાતની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. આગામી દિવસોમાં વધારે ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

સુરતમાં કાતિલ ઠંડી સાથે રાતભર ઠંડા પવનોના સુસવાટા, નવસારી-વલસાડ ઠંડાગાર |  Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | Navgujarat Samay -  નવગુજરાત સમય

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રવિવારે રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી પર પહોંચ્યું હતું, ડીસાનું તાપમાન 14.4 ડિગ્રીએ, સુરતનું તાપમાન 19.6 ડિગ્રી પર પહોંચ્યું હતું. વલસાડનું તાપમાન 20.0 ડિગ્રી નોંધાયું છે. તે ઉપરાંત વડોદરાનું તાપમાન 17.4, દમણનું 18.2, નલિયાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરનું તાપમાન 18.0, દ્વારકાનું તાપમાન 16.9, ઓખાનું તાપમાન 20.2 ડિગ્રી પર આવી પહોંચ્યું હતું. પોરબંદરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. મહત્વનું છે કે દેશના વિવિધ રાજ્યોમાં ઠંડીને કારણે ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે