Gujarat Weather : જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? કમોસમી વરસાદ પાછળ આ સિસ્ટમ જવાબદાર છે! Ambalal Patelએ કહ્યું કે


  • Published By :
  • Published Date : 2024-02-27 15:28:12

રાજ્યનું વાતાવરણ એવું છે કે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને ઠંડીનો અહેસાસ વહેલી સવારે અને રાત્રે થઈ રહ્યો છે. વાતાવરણ એકદમ સૂસ્તીવાળું થઈ ગયું છે. ગુજરાતના વાતાવરણમાં અવાર-નવાર ફેરબદલ આવી રહ્યો છે. કોઈ વખત ઠંડી તો કોઈ વખત ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ પહેલી માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં છુટોછવાયો વરસાદ આવવાની સંભાવના રહેલી છે તો બીજી માર્ચે ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સામાન્ય વરસાદની આગાહી છે.

માવઠાને લઈ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી આગાહી! 

છેલ્લા એક બે દિવસથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડો પવન વહી રહ્યો છે અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ તારીખ 25થી 27 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો થઈ શકે છે, રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે તેવી વાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તે સિવાય હવામાન વિભાગની આગાહી પણ આવું જ કંઈ કહે છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદની સંભાવના રહેલી છે.


ભારતના અનેક ભાગોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ! 

આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે 1થી 5 માર્ચમાં ગુજરાતમાં મોટા ફેરફારો થઈ શકે છે. હવામાનમાં આવી રહેલા ફેરફારોને કારણે આ જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસી શકે છે.  ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના કાકા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે ના માત્ર ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ક્લાઈમેટ ચેન્જની અસર વાતાવરણ પર જોવા મળી રહી છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.