Gujarat Weather : જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? કમોસમી વરસાદ પાછળ આ સિસ્ટમ જવાબદાર છે! Ambalal Patelએ કહ્યું કે


  • Published By :
  • Published Date : 2024-02-27 15:28:12

રાજ્યનું વાતાવરણ એવું છે કે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને ઠંડીનો અહેસાસ વહેલી સવારે અને રાત્રે થઈ રહ્યો છે. વાતાવરણ એકદમ સૂસ્તીવાળું થઈ ગયું છે. ગુજરાતના વાતાવરણમાં અવાર-નવાર ફેરબદલ આવી રહ્યો છે. કોઈ વખત ઠંડી તો કોઈ વખત ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ પહેલી માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં છુટોછવાયો વરસાદ આવવાની સંભાવના રહેલી છે તો બીજી માર્ચે ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સામાન્ય વરસાદની આગાહી છે.

માવઠાને લઈ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી આગાહી! 

છેલ્લા એક બે દિવસથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડો પવન વહી રહ્યો છે અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ તારીખ 25થી 27 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો થઈ શકે છે, રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે તેવી વાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તે સિવાય હવામાન વિભાગની આગાહી પણ આવું જ કંઈ કહે છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદની સંભાવના રહેલી છે.


ભારતના અનેક ભાગોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ! 

આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે 1થી 5 માર્ચમાં ગુજરાતમાં મોટા ફેરફારો થઈ શકે છે. હવામાનમાં આવી રહેલા ફેરફારોને કારણે આ જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસી શકે છે.  ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના કાકા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે ના માત્ર ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ક્લાઈમેટ ચેન્જની અસર વાતાવરણ પર જોવા મળી રહી છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.