Gujarat Weather : જાણો કેવું રહેશે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન? રવિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-04-29 18:52:22

રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. કાળઝાળ ગરમીનો મારો સહન કરવો પડી રહ્યો છે. ઉનાળાના વચ્ચે આવેલો કમોસમી વરસાદ વાતાવરણમાં થોડી ઠંડક પ્રસારીને ગયો. તાપમાનનો પારો ઘટ્યો હતો પરંતુ તે હવે વધારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તેવું લાગે છે...  આ વખતનો ઉનાળો કપરો રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી જે સાચી સાબિત થઈ રહી છે.. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તેની આગાહી કરવામાં આવી છે જે મુજબ બે દિવસ દરમિયાન રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરાઈ છે....

News18 Gujarati


જાણો કેવું રહેશે આગામી દિવસોમાં વાતાવરણ? 

કાળઝાળ ગરમી કોને કહેવાય તેનો અહેસાસ ગુજરાતીઓને થોડા સમયથી થઈ રહ્યો છે.. આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવું લાગે... ગરમીથી રાહત ક્યારે મળશે તેની રાહ આપણે જોઈ રહ્યા છીએ.. પરંતુ આગામી બે દિવસ દરમિયાન ગરમીમાંથી રાહત નહીં મળે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના અનેક ભાગોમાં હિટવેવની સંભાવના વ્યક્ત કરવામાં  આવી છે.. 

News18 Gujarati

ક્યાં માટે કરાઈ હિટવેવની આગાહી?

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી બે દિવસ માટે પોરબંદર અને ભાવનગર જિલ્લામાં હીટવેવની વોર્નિંગ છે. તે સિવાય દીવ માટે પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે... મહત્વનું છે કે આગામી દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..


રવિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

મળતી માહિતી અનુસાર રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 40.5 ડિગ્રી, જ્યારે ડીસામાં 39.0 ડિગ્રી, ગાંધીનગરનું મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું હતું. વડોદરાનું તાપમાન 40.6 ડિગ્રી, સુરતનું તાપમાન 39.6 ડિગ્રી, ભૂજનું તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીનું તાપમાન 41.0 ડિગ્રી જ્યારે ભાવનગરનું તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું છે.. 




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.