Gujarat Weather : જાણો કેવું રહેશે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન? રવિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-29 18:52:22

રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. કાળઝાળ ગરમીનો મારો સહન કરવો પડી રહ્યો છે. ઉનાળાના વચ્ચે આવેલો કમોસમી વરસાદ વાતાવરણમાં થોડી ઠંડક પ્રસારીને ગયો. તાપમાનનો પારો ઘટ્યો હતો પરંતુ તે હવે વધારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તેવું લાગે છે...  આ વખતનો ઉનાળો કપરો રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી જે સાચી સાબિત થઈ રહી છે.. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તેની આગાહી કરવામાં આવી છે જે મુજબ બે દિવસ દરમિયાન રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરાઈ છે....

News18 Gujarati


જાણો કેવું રહેશે આગામી દિવસોમાં વાતાવરણ? 

કાળઝાળ ગરમી કોને કહેવાય તેનો અહેસાસ ગુજરાતીઓને થોડા સમયથી થઈ રહ્યો છે.. આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવું લાગે... ગરમીથી રાહત ક્યારે મળશે તેની રાહ આપણે જોઈ રહ્યા છીએ.. પરંતુ આગામી બે દિવસ દરમિયાન ગરમીમાંથી રાહત નહીં મળે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના અનેક ભાગોમાં હિટવેવની સંભાવના વ્યક્ત કરવામાં  આવી છે.. 

News18 Gujarati

ક્યાં માટે કરાઈ હિટવેવની આગાહી?

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી બે દિવસ માટે પોરબંદર અને ભાવનગર જિલ્લામાં હીટવેવની વોર્નિંગ છે. તે સિવાય દીવ માટે પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે... મહત્વનું છે કે આગામી દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..


રવિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

મળતી માહિતી અનુસાર રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 40.5 ડિગ્રી, જ્યારે ડીસામાં 39.0 ડિગ્રી, ગાંધીનગરનું મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું હતું. વડોદરાનું તાપમાન 40.6 ડિગ્રી, સુરતનું તાપમાન 39.6 ડિગ્રી, ભૂજનું તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીનું તાપમાન 41.0 ડિગ્રી જ્યારે ભાવનગરનું તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું છે.. 




ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..