Gujarat Weather : જાણો કેવું રહેશે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન? રવિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-04-29 18:52:22

રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. કાળઝાળ ગરમીનો મારો સહન કરવો પડી રહ્યો છે. ઉનાળાના વચ્ચે આવેલો કમોસમી વરસાદ વાતાવરણમાં થોડી ઠંડક પ્રસારીને ગયો. તાપમાનનો પારો ઘટ્યો હતો પરંતુ તે હવે વધારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તેવું લાગે છે...  આ વખતનો ઉનાળો કપરો રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી જે સાચી સાબિત થઈ રહી છે.. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તેની આગાહી કરવામાં આવી છે જે મુજબ બે દિવસ દરમિયાન રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરાઈ છે....

News18 Gujarati


જાણો કેવું રહેશે આગામી દિવસોમાં વાતાવરણ? 

કાળઝાળ ગરમી કોને કહેવાય તેનો અહેસાસ ગુજરાતીઓને થોડા સમયથી થઈ રહ્યો છે.. આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવું લાગે... ગરમીથી રાહત ક્યારે મળશે તેની રાહ આપણે જોઈ રહ્યા છીએ.. પરંતુ આગામી બે દિવસ દરમિયાન ગરમીમાંથી રાહત નહીં મળે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના અનેક ભાગોમાં હિટવેવની સંભાવના વ્યક્ત કરવામાં  આવી છે.. 

News18 Gujarati

ક્યાં માટે કરાઈ હિટવેવની આગાહી?

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી બે દિવસ માટે પોરબંદર અને ભાવનગર જિલ્લામાં હીટવેવની વોર્નિંગ છે. તે સિવાય દીવ માટે પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે... મહત્વનું છે કે આગામી દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..


રવિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

મળતી માહિતી અનુસાર રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 40.5 ડિગ્રી, જ્યારે ડીસામાં 39.0 ડિગ્રી, ગાંધીનગરનું મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું હતું. વડોદરાનું તાપમાન 40.6 ડિગ્રી, સુરતનું તાપમાન 39.6 ડિગ્રી, ભૂજનું તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીનું તાપમાન 41.0 ડિગ્રી જ્યારે ભાવનગરનું તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું છે.. 




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે