Gujarat Weather : વરસાદને લઈ જાણો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કરી છે આગાહી? ભારે પવન સાથે રાજ્યમાં આવશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2024-06-17 18:29:41

રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જ્યારે અનેક વિસ્તારો એવા છે જ્યાં છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસો દરમિયાન વરસાદ કેવો રહેશે, ક્યાં કેવો વરસાદ આવશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા તો કરવામાં આવી છે પરંતુ હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે..  અંબાલાલ કાકાએ આગાહી કરતા કહ્યું કે 17થી 22 જુન સુધીમાં રાજ્યમાં સારો વરસાદ થશે. સાર્વત્રિક વરસાદ જોવા મળશે.


વરસાદને લઈ શું કરી અંબાલાલ પટેલે આગાહી? 

વરસાદ ક્યારે આવશે તે જાણવાની ઈચ્છા દરેક લોકોને હોય છે. સારો વરસાદ ક્યારે આવશે તે જાણવાની ઈચ્છા લોકોને હોય છે. હવામાન વિભાગની આગાહીની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પર પણ લોકો ધ્યાન આપે છે. આવનાર દિવસોમાં ચોમાસું કેવું રહેશે તેની આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે 19 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે જેને કારણે ભારે પવન ફૂંકાઈ શકે છે. ના માત્ર અરબી સમુદ્રમાં પરંતુ બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે તેવી વાત તેમણે કરી હતી..


આ જગ્યાઓ પર આવી શકે છે વરસાદ 

વધુમાં તેમણે જણાવ્યું કે 28 જૂન સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે.. અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, કપડવંજ, ખંભાત, પંચમહાલ માટે વરસાદની આગાહી કરી છે. તે સિવાય સુરત, નવસારી, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો 18 તારીખ માટે આપવામાં આવેલી આગાહી અનુસાર જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વડોદરા, આણંદ, પંચમહાલ, ખેડા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.   



હવામાન વિભાગે શું કરી છે આગાહી? 

તે સિવાય 19 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવો વરસાદ વરસી શકે છે.. 20 તારીખે ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તે સિવાય અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં હળવો વરસાદ વરસી શકે છે. 


પ્રિ મોનસુન કામગીરીની ખુલી જાય છે પોલ!

21 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે જ્યારે વલસાડ, દાદરા નગર હવેલી, સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.. મહત્વનું છે કે વરસાદ પડતાં જ પ્રિ મોનસુન કામગીરીની પોલ ખુલી જા. છે.. અનેક જગ્યાઓથી એવા વીડિયો સામે આવ્યા જેમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.