Gujarat Weather : જાણો આગામી દિવસો માટે શું કરી છે હવામાન વિભાગે આગાહી? જાણો 21 તારીખ સુધી કેવું રહેશે હવામાન?


  • Published By :
  • Published Date : 2024-06-15 16:02:21

રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.. સાર્વત્રિક વરસાદની આગાહી નથી કરવામાં આવી.. સમય કરતા પહેલા આ વખતે ચોમાસું બેસી ગયું છે પરંતુ આવતાની સાથે જ નબળું પડી ગયું. જેને કારણે વરસાદ નથી વરસી રહ્યો જેને કારણે ગરમીથી રાહત મળે.. થોડા સમય માટે વરસાદ વરસે છે જેને કારણે બફારાનું પ્રમાણ વધી જાય છે.. ઉકળાટ વધે છે.. પરંતુ આવનાર દિવસોમાં સારો વરસાદ થશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશ, ક્યાં વરસાદ આવશે તેની જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે...

Image


ImageImage


આવતી કાલે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ

એક સમય હતો જ્યારે ગરમીથી લોકો ત્રાસી ગયા હતા, પરંતુ હવે લોકો ગરમીની સાથે સાથે બફારાને કારણે કંટાળી ગયા છે.. બફારાને કારણે ઉકળાટ વધ્યો છે. પહેલા લોકો વરસાદની રાહ જોતા હતા હવે એવા વરસાદની રાહ જોવે છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરે.. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતી કાલે એટલે કે 16મી તારીખે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, નર્મદા, ગીર સોમનાથના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

Image

ક્યારે ક્યાં આવી શકે છે વરસાદ? 

તે સિવાય 17 તારીખ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 18 તારીખની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારી, દાદરા નગર હવેલીમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે.  તે સિવાય 19 તેમજ 20 તારીખની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદમાં વરસાદ વરસી શકે છે. 

Image

Image



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.