Gujarat Weather : જાણો આગામી દિવસો માટે શું કરી છે હવામાન વિભાગે આગાહી? જાણો 21 તારીખ સુધી કેવું રહેશે હવામાન?


  • Published By :
  • Published Date : 2024-06-15 16:02:21

રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.. સાર્વત્રિક વરસાદની આગાહી નથી કરવામાં આવી.. સમય કરતા પહેલા આ વખતે ચોમાસું બેસી ગયું છે પરંતુ આવતાની સાથે જ નબળું પડી ગયું. જેને કારણે વરસાદ નથી વરસી રહ્યો જેને કારણે ગરમીથી રાહત મળે.. થોડા સમય માટે વરસાદ વરસે છે જેને કારણે બફારાનું પ્રમાણ વધી જાય છે.. ઉકળાટ વધે છે.. પરંતુ આવનાર દિવસોમાં સારો વરસાદ થશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશ, ક્યાં વરસાદ આવશે તેની જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે...

Image


ImageImage


આવતી કાલે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ

એક સમય હતો જ્યારે ગરમીથી લોકો ત્રાસી ગયા હતા, પરંતુ હવે લોકો ગરમીની સાથે સાથે બફારાને કારણે કંટાળી ગયા છે.. બફારાને કારણે ઉકળાટ વધ્યો છે. પહેલા લોકો વરસાદની રાહ જોતા હતા હવે એવા વરસાદની રાહ જોવે છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરે.. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતી કાલે એટલે કે 16મી તારીખે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, નર્મદા, ગીર સોમનાથના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

Image

ક્યારે ક્યાં આવી શકે છે વરસાદ? 

તે સિવાય 17 તારીખ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 18 તારીખની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારી, દાદરા નગર હવેલીમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે.  તે સિવાય 19 તેમજ 20 તારીખની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદમાં વરસાદ વરસી શકે છે. 

Image

Image



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.