Gujarat Weather : જાણીલો આગામી દિવસોમાં ક્યાં વરસી શકે છે વરસાદ? હવામાન વિભાગે કરી જિલ્લાઓ માટે આગાહી.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-10 18:25:59

ગુજરાતમાં હાલ જાણે ચોમાસાએ દસ્તક લઈ લીધી હોય તેવું લાગી રહ્યું છે.. રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગરમીથી રાહત મળી છે.. ચોમાસું સત્તાવાર બેસે તેની પહેલા વરસાદનું આગમન થઈ ગયું છે. આગામી થોડા કલાકોની અંદર ચોમાસું ગુજરાતમા પધારી જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. રવિવારે અનેક જગ્યાઓ પર વરસાદ વરસ્યો છે..  

News18 Gujarati


News18 Gujarati

ગરમીએ તોડ્યા અનેક વર્ષોના રેકોર્ડ

કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે કારણ કે અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. ગરમીએ આ વખતે અનેક રેકોર્ડ તોડી દીધા. 40 ડિગ્રીની ઉપર અનેક જગ્યાઓનું તાપમાન નોંધાયું છે.. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ છે તો કોઈ જગ્યાઓ પર વરસાદ વરસ્યો છે. આગામી દિવસો દરમિયાન અનેક વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે..

News18 Gujarati

News18 GujaratiNews18 Gujarati

ક્યાં માટે કરવામાં આવી વરસાદની આગાહી? 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આવતી કાલે એટલે 11 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. જૂનાગઢ. અમેરલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે.. તે સિવાય 12 તારીખ માટે કરાયેલી આગાહી અનુસાર અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદ વરસી શકે છે. 13 તારીખની વાત કરીએ તો નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ. નવસારી, અમરેલી, ભાવનગરમાં વરસાદ આવી શકે છે. 14 તારીખે આ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 15,16 તારીખની વાત કરીએ તો ગીરસોમનાથ, અમરેલી, વલસાડ, નવસારી, દમણમાં વરસાદ વરસી શકે છે. 

News18 Gujarati



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"