Gujarat Weather : જાણીલો આગામી દિવસોમાં ક્યાં વરસી શકે છે વરસાદ? હવામાન વિભાગે કરી જિલ્લાઓ માટે આગાહી.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-10 18:25:59

ગુજરાતમાં હાલ જાણે ચોમાસાએ દસ્તક લઈ લીધી હોય તેવું લાગી રહ્યું છે.. રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગરમીથી રાહત મળી છે.. ચોમાસું સત્તાવાર બેસે તેની પહેલા વરસાદનું આગમન થઈ ગયું છે. આગામી થોડા કલાકોની અંદર ચોમાસું ગુજરાતમા પધારી જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. રવિવારે અનેક જગ્યાઓ પર વરસાદ વરસ્યો છે..  

News18 Gujarati


News18 Gujarati

ગરમીએ તોડ્યા અનેક વર્ષોના રેકોર્ડ

કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે કારણ કે અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. ગરમીએ આ વખતે અનેક રેકોર્ડ તોડી દીધા. 40 ડિગ્રીની ઉપર અનેક જગ્યાઓનું તાપમાન નોંધાયું છે.. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ છે તો કોઈ જગ્યાઓ પર વરસાદ વરસ્યો છે. આગામી દિવસો દરમિયાન અનેક વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે..

News18 Gujarati

News18 GujaratiNews18 Gujarati

ક્યાં માટે કરવામાં આવી વરસાદની આગાહી? 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આવતી કાલે એટલે 11 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. જૂનાગઢ. અમેરલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે.. તે સિવાય 12 તારીખ માટે કરાયેલી આગાહી અનુસાર અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદ વરસી શકે છે. 13 તારીખની વાત કરીએ તો નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ. નવસારી, અમરેલી, ભાવનગરમાં વરસાદ આવી શકે છે. 14 તારીખે આ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 15,16 તારીખની વાત કરીએ તો ગીરસોમનાથ, અમરેલી, વલસાડ, નવસારી, દમણમાં વરસાદ વરસી શકે છે. 

News18 Gujarati



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.