Gujarat Weather - રાજ્યના આ ભાગો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ, ગરમીથી લોકો બન્યા ત્રસ્ત!


  • Published By :
  • Published Date : 2024-08-21 15:24:53

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે.. પરંતુ ગરમી એટલી બધી પડી રહી છે કે લાગે જ નહીં કે ગરમીની સિઝન ખતમ થઈ ગઈ છે.. છેલ્લા કેટલાય દિવસોથી વરસાદે જાણે કિટ્ટા લઈ લીધી હોય તેવું લાગે છે. 24-25 તારીખ બાદ વરસાદી માહોલ જામશે તેવી વાત હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે..આજે ક્યાં વરસાદ થઈ શકે છે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. અનેક વિસ્તારો માટે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે..


આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ!

થોડા સમય પહેલા એવું લાગતું ચોમાસું જામ્યું છે.. વરસાદ વરસી રહ્યો હતો. અનેક જગ્યાઓ પર તો વરસાદ એટલો બધો થયો કે લોકો કંટાળી ગયા હતા કે વરસાદ બંધ થાય તો રાહત થાય.. અમદાવાદમાં તો જાણે વરસાદ થયો જ નથી તેવું લાગે.. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. 


કઈ તારીખે ક્યાં પડશે વરસાદ?  

તે સિવાય છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આવતી કાલ માટે એટલે કે 22 ઓગસ્ટ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી 23 તારીખ માટે કરવામાં આવી છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 



27 તારીખ સુધી કેવું રહેશે હવામાન? 

25 ઓગસ્ટના દિવસની કરવામાં આવેલી આગાહી અનુસાર  ખેડા, પંચમહાલ,  વડોદરા,  છોટાઉદેપુર,  નર્મદા,  ભરૂચ,  સુરત,  નવસારી,  વલસાડ,  તાપી,  દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી  કરવામાં આવી છે. 26 તેમજ 27 ઓગસ્ટ માટે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવ માટે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લાના આહવામાં નોંધાયો હતો. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.