Gujarat Weather - રાજ્યના આ ભાગો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ, ગરમીથી લોકો બન્યા ત્રસ્ત!


  • Published By :
  • Published Date : 2024-08-21 15:24:53

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે.. પરંતુ ગરમી એટલી બધી પડી રહી છે કે લાગે જ નહીં કે ગરમીની સિઝન ખતમ થઈ ગઈ છે.. છેલ્લા કેટલાય દિવસોથી વરસાદે જાણે કિટ્ટા લઈ લીધી હોય તેવું લાગે છે. 24-25 તારીખ બાદ વરસાદી માહોલ જામશે તેવી વાત હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે..આજે ક્યાં વરસાદ થઈ શકે છે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. અનેક વિસ્તારો માટે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે..


આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ!

થોડા સમય પહેલા એવું લાગતું ચોમાસું જામ્યું છે.. વરસાદ વરસી રહ્યો હતો. અનેક જગ્યાઓ પર તો વરસાદ એટલો બધો થયો કે લોકો કંટાળી ગયા હતા કે વરસાદ બંધ થાય તો રાહત થાય.. અમદાવાદમાં તો જાણે વરસાદ થયો જ નથી તેવું લાગે.. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. 


કઈ તારીખે ક્યાં પડશે વરસાદ?  

તે સિવાય છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આવતી કાલ માટે એટલે કે 22 ઓગસ્ટ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી 23 તારીખ માટે કરવામાં આવી છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 



27 તારીખ સુધી કેવું રહેશે હવામાન? 

25 ઓગસ્ટના દિવસની કરવામાં આવેલી આગાહી અનુસાર  ખેડા, પંચમહાલ,  વડોદરા,  છોટાઉદેપુર,  નર્મદા,  ભરૂચ,  સુરત,  નવસારી,  વલસાડ,  તાપી,  દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી  કરવામાં આવી છે. 26 તેમજ 27 ઓગસ્ટ માટે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવ માટે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લાના આહવામાં નોંધાયો હતો. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.