Gujarat Weather : આ વિસ્તારો માટે હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદ આવવાની આગાહી, જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો?


  • Published By :
  • Published Date : 2024-07-02 12:24:12

ગુજરાતમાં વરસાદની જમાવટ જોવા મળી રહી છે.. વરસાદી માહોલ ફૂલ જામ્યો છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મેઘાની જોરદાર બેટિંગ અનેક જગ્યાઓ પર જોવા મળી રહી છે. જૂનાગઢ તેમજ દ્વારકામાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 211 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જૂનાગઢ તેમજ દેવભૂમિ દ્વારકામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાત્રીના સમયે જૂનાગઢના વંથલીમાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 

Image


આ વિસ્તારો માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

ગઈકાલે હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું સાથે સાથે ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ પણ જાહેર કર્યું હતું ત્યારે આજે અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર,જુનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ સહિતના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા.



ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.. ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો રાજ્યના 211 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ જૂનાગઢના વંથલીમાં વરસ્યો છે, 350 એમએમ વરસાદ વરસ્યો છે.. વિસાવદરમાં 328 એમએમ વરસાદ જ્યારે જૂનાગઢના 288 એમએમ ઉપરાંત કેશોદમાં 248 એમએમ વરસાદ વરસ્યો છે. માણાવદરમાં 219 એમએમ જ્યારે મેંદરડામાં 182 એમએમ વરસાદ વરસ્યો છે. 

અનેક જગ્યાઓથી સામે આવી મેઘકહેરની તસવીર 

મહત્વનું છે કે ભારે વરસાદને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. મેઘકહેરની તસવીરો અનેક જગ્યાઓથી સામે આવી છે.. અનેક જગ્યાઓ પર માત્ર થોડા કલાક પડેલા વરસાદે ભૂવા પાડી દીધા છે.. ત્યારે તમારા વિસ્તારમાં કેવો માહોલ તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.