Gujarat Weather : આ વિસ્તારો માટે હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદ આવવાની આગાહી, જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો?


  • Published By :
  • Published Date : 2024-07-02 12:24:12

ગુજરાતમાં વરસાદની જમાવટ જોવા મળી રહી છે.. વરસાદી માહોલ ફૂલ જામ્યો છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મેઘાની જોરદાર બેટિંગ અનેક જગ્યાઓ પર જોવા મળી રહી છે. જૂનાગઢ તેમજ દ્વારકામાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 211 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જૂનાગઢ તેમજ દેવભૂમિ દ્વારકામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાત્રીના સમયે જૂનાગઢના વંથલીમાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 

Image


આ વિસ્તારો માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

ગઈકાલે હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું સાથે સાથે ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ પણ જાહેર કર્યું હતું ત્યારે આજે અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર,જુનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ સહિતના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા.



ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.. ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો રાજ્યના 211 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ જૂનાગઢના વંથલીમાં વરસ્યો છે, 350 એમએમ વરસાદ વરસ્યો છે.. વિસાવદરમાં 328 એમએમ વરસાદ જ્યારે જૂનાગઢના 288 એમએમ ઉપરાંત કેશોદમાં 248 એમએમ વરસાદ વરસ્યો છે. માણાવદરમાં 219 એમએમ જ્યારે મેંદરડામાં 182 એમએમ વરસાદ વરસ્યો છે. 

અનેક જગ્યાઓથી સામે આવી મેઘકહેરની તસવીર 

મહત્વનું છે કે ભારે વરસાદને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. મેઘકહેરની તસવીરો અનેક જગ્યાઓથી સામે આવી છે.. અનેક જગ્યાઓ પર માત્ર થોડા કલાક પડેલા વરસાદે ભૂવા પાડી દીધા છે.. ત્યારે તમારા વિસ્તારમાં કેવો માહોલ તે અમને કમેન્ટમાં જણાવજો.. 



નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.