Gujarat Weather : હવામાન વિભાગની આગાહી કે આ વિસ્તારોમાં વરસાદ કરી શકે છે પધરામણી, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો નોંધાયો વરસાદ?


  • Published By :
  • Published Date : 2024-06-22 12:04:27

વરસાદની રાહ કાગડોળે જોવાઈ રહી છે... ક્યારે વરસાદ આવે અને ગરમીથી રાહત મળે.. આ વખતે ચોમાસું જલદી તો આવી ગયું પરંતુ આવતાની સાથે જ તે નબળું પડી ગયું હોય તેવું લાગે છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આવવાની આગાહી કરવામાં આવવી જોઈએ ત્યાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર,અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, નવસારી, છોટા ઉદેપુર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

News18 Gujarati


આખા રાજ્યમાં વરસાદી માહોલ જામશે તેવું લાગતું હતું પરંતુ.. 

ચોમાસું તો ગુજરાતમાં આ વખતે વહેલું આવી ગયું પરંતુ આવતાની સાથે જ ચોમાસું નબળું પડી ગયું.. ચોમાસાનું આગમન થતા લોકો ખુશ થઈ ગયા હતા કે ગરમીથી છુટકારો મળશે.. ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા જેને લઈ વરસાદની રાહ જોવાઈ રહી હતી. ચોમાસું જલ્દી આવ્યું એટલે થતું હતું કે આખા રાજ્યમાં વરસાદી માહોલ જામશે પરંતુ તેવું કંઈ થયું નહીં. માત્ર થોડા જ વિસ્તારોમાં વરસાદ આવ્યો.. સારો વરસાદ ના થવાને કારણે લોકો બફારાથી કંટાળી ગયા છે. વરસાદ ખેંચાઈ જવાને કારણે જગતના તાત ચિંતિત થઈ ગયા છે. 

News18 Gujarati


23 તારીખ દરમિયાન અહીંયા આવી શકે છે વરસાદ 

23 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદરમાં હળવો વરસાદ વરસી શકે છે.. તે ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ. ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. 24 તારીખ માટેની આગાહીની વાત કરીએ તો મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. 

News18 Gujarati

24 તારીખે અહીંયા વરસી શકે છે વરસાદ 

આગાહી અનુસાર મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ,જૂનાગઢ. ભાવનગર, અમરેલી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જ્યારે હળવાથી મધ્યમ વરસાદ બનાસકાંઠા, પાટણ, કચ્છ. મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહેસાણા, ગાંધીનગરમાં વરસાદ વરસી શકે છે.

News18 Gujarati

આ તારીખો દરમિયાન અહીંયા માટે કરાઈ વરસાદની આગાહી

25 તેમજ 26 તારીખની આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. તે સિવાય વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે.



ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

સૌથી વધાર વરસાદ ભાવનગરના વલ્લભીપુરમાં 37 એમએમ વરસાદ નોંધાયો છે જ્યારે બોટાદના રણપુરમાં 22 એમએમ વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં 20એમએમ વરસાદ જ્યારે ભાવનગરના ઉમરાલામાં 19 એમએમ વરસાદ નોંધાયો છે. વલસાડના પારડીમાં 10 એમએમ જ્યારે સુરેન્દ્રનગરના ચુડામાં 19 એમએમ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય અનેક જગ્યાઓ પર વરસાદ વરસ્યો હતો. તમારે ત્યાં વાદળછાયું વાતાવરણ છે, ગરમી છે કે પછી વરસાદ છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.