Gujarat Weather : ગરમીથી હમણાં નહીં મળે રાહત! અનેક જગ્યાઓનું તાપમાન હજી પણ 40 ડિગ્રીને પાર! જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-06-03 12:09:47

એક તરફ લોકો ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે તો બીજી બાજુ ગરમી ઓછું થવાનું નામ જ નથી લઈ રહી... અસહ્ય ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ હજી પણ ગુજરાતમાં ગરમીનો અહેસાસ થાય છે..  15 જૂન આસપાસ ચોમાસું બેસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એક સમય હતો જ્યારે તાપમાનનો પારો 46 ડિગ્રી આસપાસ નોંધાયું હતું પરંતુ તાપમાનનો પારો ગગડ્યો છે. રવિવારે 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.. થોડા દિવસો હજી ગરમી સહન કરવી પડે છે તેવું અનુમાન હવામાન વિભાગે કર્યું છે..



ગરમીથી હમણાં નહીં મળે રાહત!

ગુજરાતમાં અસહ્ય ગરમીનો અહેસાસ થયો હતો. અનેક જિલ્લાઓ હતા જ્યારે ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ આપવામાં આવતા હતા, પરંતુ ધીરે ધીરે એલર્ટ હટતું ગયું અને સામાન્ય તાપમાન નોંધાવા લાગ્યું.. ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તેજ પવન ફૂંકાયા છે જેને કારણે ગરમીથી આંશિક રાહત મળી છે.. ગરમીથી એકદમ રાહત મળે તે માટે હજી રાહ જોવી પડશે તેવું લાગે છે.. રવિવારે સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગરનું તાપમાન નોંધાયું છે. તે સિવાય અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે.. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રવિવારે ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ડીસાનું તાપમાન 39.7 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય ગાંધીનગરનું તાપમાન 41.5 ડિગ્રી જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 39.4 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય વલસાડનું તાપમાન 35.7 ડિગ્રી. દમણનું તાપમાન 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. કંડલા પોર્ટનું તાપમાન 35.9 ડિગ્રી નોંધાયું છે. 


સુરેન્દ્રનગરમાં નોંધાયું સૌથી વધારે તાપમાન

તે સિવાય અમરેલીનું તાપમાન 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ભાવનગરનું તાપમાન 37.5 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. પોરબંદરનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું છે જ્યારે વેરાવળનું તાપમાન 35.2 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 43.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તે સિવાય મહુવાનું તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું છે જ્યારે કેશોદનું તાપમાન 37.8 તાપમાન નોંધાયું છે. તમારે ત્યાં કેટલું તાપમાન નોંધાયું તે અમને કમેન્ટમાં જણાવો..        




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે