Gujarat Weather : ગરમીથી હમણાં નહીં મળે રાહત! અનેક જગ્યાઓનું તાપમાન હજી પણ 40 ડિગ્રીને પાર! જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-06-03 12:09:47

એક તરફ લોકો ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે તો બીજી બાજુ ગરમી ઓછું થવાનું નામ જ નથી લઈ રહી... અસહ્ય ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ હજી પણ ગુજરાતમાં ગરમીનો અહેસાસ થાય છે..  15 જૂન આસપાસ ચોમાસું બેસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એક સમય હતો જ્યારે તાપમાનનો પારો 46 ડિગ્રી આસપાસ નોંધાયું હતું પરંતુ તાપમાનનો પારો ગગડ્યો છે. રવિવારે 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.. થોડા દિવસો હજી ગરમી સહન કરવી પડે છે તેવું અનુમાન હવામાન વિભાગે કર્યું છે..



ગરમીથી હમણાં નહીં મળે રાહત!

ગુજરાતમાં અસહ્ય ગરમીનો અહેસાસ થયો હતો. અનેક જિલ્લાઓ હતા જ્યારે ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ આપવામાં આવતા હતા, પરંતુ ધીરે ધીરે એલર્ટ હટતું ગયું અને સામાન્ય તાપમાન નોંધાવા લાગ્યું.. ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તેજ પવન ફૂંકાયા છે જેને કારણે ગરમીથી આંશિક રાહત મળી છે.. ગરમીથી એકદમ રાહત મળે તે માટે હજી રાહ જોવી પડશે તેવું લાગે છે.. રવિવારે સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગરનું તાપમાન નોંધાયું છે. તે સિવાય અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે.. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રવિવારે ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ડીસાનું તાપમાન 39.7 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય ગાંધીનગરનું તાપમાન 41.5 ડિગ્રી જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 39.4 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય વલસાડનું તાપમાન 35.7 ડિગ્રી. દમણનું તાપમાન 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. કંડલા પોર્ટનું તાપમાન 35.9 ડિગ્રી નોંધાયું છે. 


સુરેન્દ્રનગરમાં નોંધાયું સૌથી વધારે તાપમાન

તે સિવાય અમરેલીનું તાપમાન 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ભાવનગરનું તાપમાન 37.5 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. પોરબંદરનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું છે જ્યારે વેરાવળનું તાપમાન 35.2 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 43.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તે સિવાય મહુવાનું તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું છે જ્યારે કેશોદનું તાપમાન 37.8 તાપમાન નોંધાયું છે. તમારે ત્યાં કેટલું તાપમાન નોંધાયું તે અમને કમેન્ટમાં જણાવો..        




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.