Gujarat Weather - હમણાં વરસાદે વિરામ લીધો છે પરંતુ આગામી દિવસોમાં વરસાદ કરશે ધમાકેદાર બેટિંગ, હવામાન વિભાગની આગાહીને જાણો


  • Published By :
  • Published Date : 2024-08-13 15:52:38

ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ નથી વરસી રહ્યો.. અમુક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસો માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આવનાર બે દિવસ દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે અનેક વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.રાજ્યના મોટા ભાગના ભાગોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે..




આજે આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગ દ્વારા આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,દમણ તેમજ દાદરા નગર હવેલી  માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે... મોટા ભાગના વિસ્તારોમાં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.



આ વિસ્તારો માટે પણ આપવામાં આવ્યું છે યલો એલર્ટ 

તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા. ભરૂચ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. દમણ, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે કોઈ જગ્યા પર વધારે વરસાદ વરસ્યો છે તો કોઈ જગ્યા પર વરસાદની ઘટ છે. રાજ્યમાં વરસેલા એવરેજ વરસાદની વાત કરીએ તો 71 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો છે.. મહત્વનું છે કે વરસાદ થતા અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. ડેમો પાણીથી છલકાયા છે.. વરસાદ થવાને કારણે ખેડૂતોની ચિંતા પણ ઘટી છે. ત્યારે તમારા ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.    




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.