Gujarat Weather - હમણાં વરસાદે વિરામ લીધો છે પરંતુ આગામી દિવસોમાં વરસાદ કરશે ધમાકેદાર બેટિંગ, હવામાન વિભાગની આગાહીને જાણો


  • Published By :
  • Published Date : 2024-08-13 15:52:38

ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ નથી વરસી રહ્યો.. અમુક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસો માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આવનાર બે દિવસ દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે અનેક વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.રાજ્યના મોટા ભાગના ભાગોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે..




આજે આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગ દ્વારા આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,દમણ તેમજ દાદરા નગર હવેલી  માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે... મોટા ભાગના વિસ્તારોમાં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.



આ વિસ્તારો માટે પણ આપવામાં આવ્યું છે યલો એલર્ટ 

તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા. ભરૂચ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. દમણ, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે કોઈ જગ્યા પર વધારે વરસાદ વરસ્યો છે તો કોઈ જગ્યા પર વરસાદની ઘટ છે. રાજ્યમાં વરસેલા એવરેજ વરસાદની વાત કરીએ તો 71 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો છે.. મહત્વનું છે કે વરસાદ થતા અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. ડેમો પાણીથી છલકાયા છે.. વરસાદ થવાને કારણે ખેડૂતોની ચિંતા પણ ઘટી છે. ત્યારે તમારા ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.    




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી