Gujarat Weather - હમણાં વરસાદે વિરામ લીધો છે પરંતુ આગામી દિવસોમાં વરસાદ કરશે ધમાકેદાર બેટિંગ, હવામાન વિભાગની આગાહીને જાણો


  • Published By :
  • Published Date : 2024-08-13 15:52:38

ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ નથી વરસી રહ્યો.. અમુક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસો માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આવનાર બે દિવસ દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે અનેક વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.રાજ્યના મોટા ભાગના ભાગોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે..




આજે આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગ દ્વારા આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,દમણ તેમજ દાદરા નગર હવેલી  માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે... મોટા ભાગના વિસ્તારોમાં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.



આ વિસ્તારો માટે પણ આપવામાં આવ્યું છે યલો એલર્ટ 

તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા. ભરૂચ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. દમણ, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે કોઈ જગ્યા પર વધારે વરસાદ વરસ્યો છે તો કોઈ જગ્યા પર વરસાદની ઘટ છે. રાજ્યમાં વરસેલા એવરેજ વરસાદની વાત કરીએ તો 71 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો છે.. મહત્વનું છે કે વરસાદ થતા અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. ડેમો પાણીથી છલકાયા છે.. વરસાદ થવાને કારણે ખેડૂતોની ચિંતા પણ ઘટી છે. ત્યારે તમારા ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.    




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.