Gujarat Weather : આકરી બનતી ગરમી! ફરી તાપમાનનો પારો પહોંચ્યો 45 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-28 11:03:06

ગરમીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ ફરી એક વખત અમદાવાદમાં તાપમાનના પારાએ 45 ડિગ્રીની હદને વટાવી દીધી છે.. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.. વરસાદનું આગમન ક્યારે થાય તેની રાહ ઘણા સમયથી લોકો જોઈ રહ્યા છે... છેલ્લા અનેક દિવસોથી હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હતું પરંતુ હવે કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી નથી.. સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો સૌથી વધારે તાપમાન કંડલા એરપોર્ટનું નોંધાયું હતું...



લાગતું હતું કે ઘટી જશે તાપમાન પરંતુ...  

કાળઝાળ ગરમીનો અહેસાસ ગુજરાત વાસીઓને થઈ રહ્યો છે.. ગરમીનું પ્રમાણ એટલું બધું વધી ગયું હતું કે લોકો સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે હવે ખમ્મા કરો.. 47 ડિગ્રીને પાર પણ તાપમાન એક વખત પહોંચી ગયું હતું ગુજરાતમાં.. ગરમીથી થોડી આંશિક રાહત મળી હતી પરંતુ તે માત્ર જાણેએક દિવસ પૂરતી સિમીત હોય તેવું લાગ્યું.. તાપમાનના પારામાં ઘટાડો થયો પરંતુ ફરી એક વખત વધારો નોંધાઈ રહ્યો છે.. થોડા સમય બાદ ચોમાસાનું આગમન થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે..



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું જ્યારે ડીસાનું તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું.. ગાંધીનગરનું તાપમાન 44.5 જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 43.1 ડિગ્રી નોંધાયું.. વડોદરાનું તાપમાન 40.6 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું છે.. વલસાડનું તાપમાન 35.6 જ્યારે દમણનું તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું છે.. ભાવનગરનું તાપમાન 44.4 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 32.4 ડિગ્રી નોંધાયું થે, ઓખાનું તાપમાન 35.8 ડિગ્રી તાપમાન જ્યારે રાજકોટનું તાપમાન 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર 4 જૂન સુધીમાં વરસાદ થઈ શકે છે.. 

 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે