Gujarat Weather : આકરી બનતી ગરમી! ફરી તાપમાનનો પારો પહોંચ્યો 45 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-28 11:03:06

ગરમીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ ફરી એક વખત અમદાવાદમાં તાપમાનના પારાએ 45 ડિગ્રીની હદને વટાવી દીધી છે.. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.. વરસાદનું આગમન ક્યારે થાય તેની રાહ ઘણા સમયથી લોકો જોઈ રહ્યા છે... છેલ્લા અનેક દિવસોથી હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હતું પરંતુ હવે કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી નથી.. સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો સૌથી વધારે તાપમાન કંડલા એરપોર્ટનું નોંધાયું હતું...



લાગતું હતું કે ઘટી જશે તાપમાન પરંતુ...  

કાળઝાળ ગરમીનો અહેસાસ ગુજરાત વાસીઓને થઈ રહ્યો છે.. ગરમીનું પ્રમાણ એટલું બધું વધી ગયું હતું કે લોકો સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે હવે ખમ્મા કરો.. 47 ડિગ્રીને પાર પણ તાપમાન એક વખત પહોંચી ગયું હતું ગુજરાતમાં.. ગરમીથી થોડી આંશિક રાહત મળી હતી પરંતુ તે માત્ર જાણેએક દિવસ પૂરતી સિમીત હોય તેવું લાગ્યું.. તાપમાનના પારામાં ઘટાડો થયો પરંતુ ફરી એક વખત વધારો નોંધાઈ રહ્યો છે.. થોડા સમય બાદ ચોમાસાનું આગમન થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે..



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું જ્યારે ડીસાનું તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું.. ગાંધીનગરનું તાપમાન 44.5 જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 43.1 ડિગ્રી નોંધાયું.. વડોદરાનું તાપમાન 40.6 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું છે.. વલસાડનું તાપમાન 35.6 જ્યારે દમણનું તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું છે.. ભાવનગરનું તાપમાન 44.4 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 32.4 ડિગ્રી નોંધાયું થે, ઓખાનું તાપમાન 35.8 ડિગ્રી તાપમાન જ્યારે રાજકોટનું તાપમાન 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર 4 જૂન સુધીમાં વરસાદ થઈ શકે છે.. 

 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે