Gujarat Weather : આકરી બનતી ગરમી! ફરી તાપમાનનો પારો પહોંચ્યો 45 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-28 11:03:06

ગરમીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ ફરી એક વખત અમદાવાદમાં તાપમાનના પારાએ 45 ડિગ્રીની હદને વટાવી દીધી છે.. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.. વરસાદનું આગમન ક્યારે થાય તેની રાહ ઘણા સમયથી લોકો જોઈ રહ્યા છે... છેલ્લા અનેક દિવસોથી હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હતું પરંતુ હવે કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી નથી.. સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો સૌથી વધારે તાપમાન કંડલા એરપોર્ટનું નોંધાયું હતું...



લાગતું હતું કે ઘટી જશે તાપમાન પરંતુ...  

કાળઝાળ ગરમીનો અહેસાસ ગુજરાત વાસીઓને થઈ રહ્યો છે.. ગરમીનું પ્રમાણ એટલું બધું વધી ગયું હતું કે લોકો સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે હવે ખમ્મા કરો.. 47 ડિગ્રીને પાર પણ તાપમાન એક વખત પહોંચી ગયું હતું ગુજરાતમાં.. ગરમીથી થોડી આંશિક રાહત મળી હતી પરંતુ તે માત્ર જાણેએક દિવસ પૂરતી સિમીત હોય તેવું લાગ્યું.. તાપમાનના પારામાં ઘટાડો થયો પરંતુ ફરી એક વખત વધારો નોંધાઈ રહ્યો છે.. થોડા સમય બાદ ચોમાસાનું આગમન થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે..



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું જ્યારે ડીસાનું તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું.. ગાંધીનગરનું તાપમાન 44.5 જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 43.1 ડિગ્રી નોંધાયું.. વડોદરાનું તાપમાન 40.6 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું છે.. વલસાડનું તાપમાન 35.6 જ્યારે દમણનું તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું છે.. ભાવનગરનું તાપમાન 44.4 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 32.4 ડિગ્રી નોંધાયું થે, ઓખાનું તાપમાન 35.8 ડિગ્રી તાપમાન જ્યારે રાજકોટનું તાપમાન 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર 4 જૂન સુધીમાં વરસાદ થઈ શકે છે.. 

 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.