Gujarat Weather : આકરી બનતી ગરમી! ફરી તાપમાનનો પારો પહોંચ્યો 45 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-28 11:03:06

ગરમીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ ફરી એક વખત અમદાવાદમાં તાપમાનના પારાએ 45 ડિગ્રીની હદને વટાવી દીધી છે.. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.. વરસાદનું આગમન ક્યારે થાય તેની રાહ ઘણા સમયથી લોકો જોઈ રહ્યા છે... છેલ્લા અનેક દિવસોથી હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હતું પરંતુ હવે કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી નથી.. સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો સૌથી વધારે તાપમાન કંડલા એરપોર્ટનું નોંધાયું હતું...



લાગતું હતું કે ઘટી જશે તાપમાન પરંતુ...  

કાળઝાળ ગરમીનો અહેસાસ ગુજરાત વાસીઓને થઈ રહ્યો છે.. ગરમીનું પ્રમાણ એટલું બધું વધી ગયું હતું કે લોકો સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે હવે ખમ્મા કરો.. 47 ડિગ્રીને પાર પણ તાપમાન એક વખત પહોંચી ગયું હતું ગુજરાતમાં.. ગરમીથી થોડી આંશિક રાહત મળી હતી પરંતુ તે માત્ર જાણેએક દિવસ પૂરતી સિમીત હોય તેવું લાગ્યું.. તાપમાનના પારામાં ઘટાડો થયો પરંતુ ફરી એક વખત વધારો નોંધાઈ રહ્યો છે.. થોડા સમય બાદ ચોમાસાનું આગમન થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે..



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું જ્યારે ડીસાનું તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું.. ગાંધીનગરનું તાપમાન 44.5 જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 43.1 ડિગ્રી નોંધાયું.. વડોદરાનું તાપમાન 40.6 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું છે.. વલસાડનું તાપમાન 35.6 જ્યારે દમણનું તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું છે.. ભાવનગરનું તાપમાન 44.4 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 32.4 ડિગ્રી નોંધાયું થે, ઓખાનું તાપમાન 35.8 ડિગ્રી તાપમાન જ્યારે રાજકોટનું તાપમાન 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર 4 જૂન સુધીમાં વરસાદ થઈ શકે છે.. 

 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.