Gujarat Weather : જાન્યુઆરીની શરૂઆત આવશે મુસીબતનું માવઠું! જાણો હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-30 12:53:31

સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઠંડીનો અહેસાસ થતો હોય છે. આખા ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો રહેતો હોય છે. પરંતુ આ વખતે શિયાળામાં કમોસમી વરસાદ આવ્યો છે જેને કારણે ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થવાનો શરૂ થયો હતો. શિયાળાનો અનુભવ થવાનો શરૂ થયો હતો ત્યારે તો અંબાલાલ કાકાએ માવઠાની આગાહી કરી છે. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.   

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed


ઠંડીની જગ્યાએ આવી શકે છે મુસીબતનું માવઠું 

વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે. કોઈ વખત ઠંડીનો અહેસાસ થાય છે તો કોઈ વખત માવઠું આવે છે અને ખેડૂતો માટે વિનાશ વેરતો જાય છે. ડિસેમ્બરની શરૂઆતમાં લાગતું હતું કે આ વખતે ઠંડી કદાચ ભૂક્કા બોલાવશે પરંતુ કમોસમી વરસાદ આવ્યો અને... માવઠાને કારણે જગતના તાતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. એક તરફ ધીરે ધીરે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો હતો ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાને લઈ આગાહી કરી છે. આવનાર દિવસોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવું અનુમાન કાકા દ્વારા લગાવવામાં આવ્યું છે. 

આગાહીવાળા અંબાલાલ પટેલ કોણ છે એ વિશે બહુ ઓછા લોકો જાણે છે…! – Govt of  Gaurang

અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી 

અંબાલાલ કાકાની આગાહી અનુસાર જાન્યુઆરીની શરુઆતમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ અરબ સાગરમાં લો પ્રેશર બનતા તેની અસર મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને કમોસમી વરસાદ થશે. વરસાદ ક્યાં પડશે તે અંગેની વાત કરીએ તો જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. આવી જ કંઈક આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. આગામી થોડા દિવસો અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

ગોહિલવાડમાં ઠંડીનો ચમકારો : એક સપ્તાહમાં તાપમાન 3.5 ડિગ્રી ઘટયું | Cold  snap in Gohilwad : Temperature dropped by 3 5 degrees in a week

ક્યાં કેટલું નોંધાયું તાપમાન?   

રાજ્યના અનેક જગ્યાઓનું તાપમાન 15 ડિગ્રીએ પહોંચ્યું હતું, અમદાવાદના તાપમાનની વાત કરીએ તો 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ડીસામાં 15.1 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 15 ડિગ્રી, સુરતમાં 19.5 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું હતું. વલસાડનું મહત્તમ તાપમાન 20 જ્યારે નલિયાનું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું તાપમાન 17.2, દ્વારકાનું તાપમાન 18.4 ડિગ્રી પર પહોંચ્યું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 16.2 ડિગ્રી પર પહોંચ્યું છે. મહત્વનું છે કે જો આ વખતે વરસાદ આવશે તો ખેડૂતોને રડવાનો વારો આવવાનો છે. હવે જોવું રહ્યું કે અંબાલાલ કાકાની આગાહી સાચી સાબિત થાય છે કે નહીં.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.