Gujarat Weather : જાન્યુઆરીની શરૂઆત આવશે મુસીબતનું માવઠું! જાણો હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-30 12:53:31

સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઠંડીનો અહેસાસ થતો હોય છે. આખા ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો રહેતો હોય છે. પરંતુ આ વખતે શિયાળામાં કમોસમી વરસાદ આવ્યો છે જેને કારણે ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થવાનો શરૂ થયો હતો. શિયાળાનો અનુભવ થવાનો શરૂ થયો હતો ત્યારે તો અંબાલાલ કાકાએ માવઠાની આગાહી કરી છે. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.   

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed


ઠંડીની જગ્યાએ આવી શકે છે મુસીબતનું માવઠું 

વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે. કોઈ વખત ઠંડીનો અહેસાસ થાય છે તો કોઈ વખત માવઠું આવે છે અને ખેડૂતો માટે વિનાશ વેરતો જાય છે. ડિસેમ્બરની શરૂઆતમાં લાગતું હતું કે આ વખતે ઠંડી કદાચ ભૂક્કા બોલાવશે પરંતુ કમોસમી વરસાદ આવ્યો અને... માવઠાને કારણે જગતના તાતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. એક તરફ ધીરે ધીરે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો હતો ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાને લઈ આગાહી કરી છે. આવનાર દિવસોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવું અનુમાન કાકા દ્વારા લગાવવામાં આવ્યું છે. 

આગાહીવાળા અંબાલાલ પટેલ કોણ છે એ વિશે બહુ ઓછા લોકો જાણે છે…! – Govt of  Gaurang

અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી 

અંબાલાલ કાકાની આગાહી અનુસાર જાન્યુઆરીની શરુઆતમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ અરબ સાગરમાં લો પ્રેશર બનતા તેની અસર મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને કમોસમી વરસાદ થશે. વરસાદ ક્યાં પડશે તે અંગેની વાત કરીએ તો જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. આવી જ કંઈક આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. આગામી થોડા દિવસો અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

ગોહિલવાડમાં ઠંડીનો ચમકારો : એક સપ્તાહમાં તાપમાન 3.5 ડિગ્રી ઘટયું | Cold  snap in Gohilwad : Temperature dropped by 3 5 degrees in a week

ક્યાં કેટલું નોંધાયું તાપમાન?   

રાજ્યના અનેક જગ્યાઓનું તાપમાન 15 ડિગ્રીએ પહોંચ્યું હતું, અમદાવાદના તાપમાનની વાત કરીએ તો 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ડીસામાં 15.1 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 15 ડિગ્રી, સુરતમાં 19.5 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું હતું. વલસાડનું મહત્તમ તાપમાન 20 જ્યારે નલિયાનું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું તાપમાન 17.2, દ્વારકાનું તાપમાન 18.4 ડિગ્રી પર પહોંચ્યું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 16.2 ડિગ્રી પર પહોંચ્યું છે. મહત્વનું છે કે જો આ વખતે વરસાદ આવશે તો ખેડૂતોને રડવાનો વારો આવવાનો છે. હવે જોવું રહ્યું કે અંબાલાલ કાકાની આગાહી સાચી સાબિત થાય છે કે નહીં.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે