Gujarat Weather : જાન્યુઆરીની શરૂઆત આવશે મુસીબતનું માવઠું! જાણો હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-30 12:53:31

સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઠંડીનો અહેસાસ થતો હોય છે. આખા ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો રહેતો હોય છે. પરંતુ આ વખતે શિયાળામાં કમોસમી વરસાદ આવ્યો છે જેને કારણે ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થવાનો શરૂ થયો હતો. શિયાળાનો અનુભવ થવાનો શરૂ થયો હતો ત્યારે તો અંબાલાલ કાકાએ માવઠાની આગાહી કરી છે. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.   

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed


ઠંડીની જગ્યાએ આવી શકે છે મુસીબતનું માવઠું 

વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે. કોઈ વખત ઠંડીનો અહેસાસ થાય છે તો કોઈ વખત માવઠું આવે છે અને ખેડૂતો માટે વિનાશ વેરતો જાય છે. ડિસેમ્બરની શરૂઆતમાં લાગતું હતું કે આ વખતે ઠંડી કદાચ ભૂક્કા બોલાવશે પરંતુ કમોસમી વરસાદ આવ્યો અને... માવઠાને કારણે જગતના તાતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. એક તરફ ધીરે ધીરે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો હતો ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાને લઈ આગાહી કરી છે. આવનાર દિવસોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવું અનુમાન કાકા દ્વારા લગાવવામાં આવ્યું છે. 

આગાહીવાળા અંબાલાલ પટેલ કોણ છે એ વિશે બહુ ઓછા લોકો જાણે છે…! – Govt of  Gaurang

અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી 

અંબાલાલ કાકાની આગાહી અનુસાર જાન્યુઆરીની શરુઆતમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ અરબ સાગરમાં લો પ્રેશર બનતા તેની અસર મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને કમોસમી વરસાદ થશે. વરસાદ ક્યાં પડશે તે અંગેની વાત કરીએ તો જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. આવી જ કંઈક આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. આગામી થોડા દિવસો અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

ગોહિલવાડમાં ઠંડીનો ચમકારો : એક સપ્તાહમાં તાપમાન 3.5 ડિગ્રી ઘટયું | Cold  snap in Gohilwad : Temperature dropped by 3 5 degrees in a week

ક્યાં કેટલું નોંધાયું તાપમાન?   

રાજ્યના અનેક જગ્યાઓનું તાપમાન 15 ડિગ્રીએ પહોંચ્યું હતું, અમદાવાદના તાપમાનની વાત કરીએ તો 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ડીસામાં 15.1 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 15 ડિગ્રી, સુરતમાં 19.5 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું હતું. વલસાડનું મહત્તમ તાપમાન 20 જ્યારે નલિયાનું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું તાપમાન 17.2, દ્વારકાનું તાપમાન 18.4 ડિગ્રી પર પહોંચ્યું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 16.2 ડિગ્રી પર પહોંચ્યું છે. મહત્વનું છે કે જો આ વખતે વરસાદ આવશે તો ખેડૂતોને રડવાનો વારો આવવાનો છે. હવે જોવું રહ્યું કે અંબાલાલ કાકાની આગાહી સાચી સાબિત થાય છે કે નહીં.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.