Gujarat Weather : ગરમીનો પારો ગગડ્યો! અહીંયા માટે અપાયું એલર્ટ, જાણો રવિવારે શું હતું ગરમીનું પ્રમાણ?


  • Published By :
  • Published Date : 2024-05-27 14:04:01

ગરમીનો પારો સતત વધ્યો હતો થોડા દિવસો પહેલા.. તાપમાનનો પારો 47 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો પરંતુ ધીરે ધીરે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.. અનેક જગ્યાઓનું તાપમાન 43 નજીક પહોંચી ગયું છે.. આગામી દિવસોમાં ગરમી ઘટી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. એક સમય એવો હતો કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હવે તે ઓરેન્જ એલર્ટને હટાવી દેવામાં આવ્યું છે..  27 મે માટે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને વડોદરામાં હીટવેવની આગાહી કરાઈ છે જ્યારે સૌરાષ્ટ્રમાં બોટાદ અને સુરેન્દ્રનગરમાં ઉપરાંત કચ્છમાં પણ હીટવેવની આગાહી કરી છે. યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


ગરમીથી મળી શકે છે આંશિક રાહત

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. આ વખતનો ઉનાળો કાઠો પૂરવાર થયો.. આગાહી કરવામાં આવી હતી કે આ વખતનો ઉનાળો અસહ્ય રહેશે અને તેવું જ થયું. તાપમાનના પારામાં સતત વધારો થયો.. ગરમી પોતાની ચરમસીમા પર પહોંચી હોય તેવું લાગ્યું.. વહેલી સવારથી ગરમીનો અનુભવ આપણને થવા લાગતો, બપોરના સમયે જો ઘરની બહાર નિકળવાનું થાય તો અનેક વખત વિચાર કરવો પડતો પરંતુ ધીરે ધીરે કાળઝાળ ગરમીમાંથી આપણે નોર્મલ ગરમી તરફ આગળ વધી રહ્યા છીએ તેવું લાગી રહ્યું છે. તાપમાનના પારામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.


ક્યાં કેટલું નોંધાયું? 

રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું જ્યારે ડીસાનું તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું હતું.. ગાંધીનગરનું તાપમાન 43.0 ડિગ્રી, જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 43.7 ડિગ્રી નોંધાયું હતું. સુરતનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું, વડોદરાનું તાપમાન 42.0 ડિગ્રી  નોંધાયું છે.. ભાવનગરનું તાપમાન 39.9 તાપમાન નોંધાયું છે. દ્વારકાનું તાપમાન 32.7 ડિગ્રી નોંધાયું છે.. રાજકોટનું તાપમાન 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 45.8 ડિગ્રી, મહુવાનું તાપમાન 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


ગરમીથી રક્ષા મેળવવા શું કરવું જોઈએ? 

મહત્વનું છે કે ગરમી વધવાને કારણે અનેક લોકો બિમાર પડ્યા છે. હીટસ્ટ્રોક લાગવાથી લોકોને ઉલ્ટી થઈ રહી છે.. લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. ગરમીને કારણે અનેક લોકોના મોત થયા છે.  લૂના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જો જરૂર ના હોય તો ઘરની બહાર ના નિકળવું જોઈએ.. આ સમય દરમિયાન આછા રંગના કપડા પહેરવા જોઈએ. વધારેમાં વધારે પાણી પીવું જોઈએ.. લિક્વિડ પદાર્થોનું સેવન કરવું જોઈએ.. તમે તમારા પરિવારનું ધ્યાન રાખો..  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.