Gujarat Weather : ગરમીનો પારો ગગડ્યો! અહીંયા માટે અપાયું એલર્ટ, જાણો રવિવારે શું હતું ગરમીનું પ્રમાણ?


  • Published By :
  • Published Date : 2024-05-27 14:04:01

ગરમીનો પારો સતત વધ્યો હતો થોડા દિવસો પહેલા.. તાપમાનનો પારો 47 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો પરંતુ ધીરે ધીરે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.. અનેક જગ્યાઓનું તાપમાન 43 નજીક પહોંચી ગયું છે.. આગામી દિવસોમાં ગરમી ઘટી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. એક સમય એવો હતો કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હવે તે ઓરેન્જ એલર્ટને હટાવી દેવામાં આવ્યું છે..  27 મે માટે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને વડોદરામાં હીટવેવની આગાહી કરાઈ છે જ્યારે સૌરાષ્ટ્રમાં બોટાદ અને સુરેન્દ્રનગરમાં ઉપરાંત કચ્છમાં પણ હીટવેવની આગાહી કરી છે. યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


ગરમીથી મળી શકે છે આંશિક રાહત

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. આ વખતનો ઉનાળો કાઠો પૂરવાર થયો.. આગાહી કરવામાં આવી હતી કે આ વખતનો ઉનાળો અસહ્ય રહેશે અને તેવું જ થયું. તાપમાનના પારામાં સતત વધારો થયો.. ગરમી પોતાની ચરમસીમા પર પહોંચી હોય તેવું લાગ્યું.. વહેલી સવારથી ગરમીનો અનુભવ આપણને થવા લાગતો, બપોરના સમયે જો ઘરની બહાર નિકળવાનું થાય તો અનેક વખત વિચાર કરવો પડતો પરંતુ ધીરે ધીરે કાળઝાળ ગરમીમાંથી આપણે નોર્મલ ગરમી તરફ આગળ વધી રહ્યા છીએ તેવું લાગી રહ્યું છે. તાપમાનના પારામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.


ક્યાં કેટલું નોંધાયું? 

રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું જ્યારે ડીસાનું તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું હતું.. ગાંધીનગરનું તાપમાન 43.0 ડિગ્રી, જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 43.7 ડિગ્રી નોંધાયું હતું. સુરતનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું, વડોદરાનું તાપમાન 42.0 ડિગ્રી  નોંધાયું છે.. ભાવનગરનું તાપમાન 39.9 તાપમાન નોંધાયું છે. દ્વારકાનું તાપમાન 32.7 ડિગ્રી નોંધાયું છે.. રાજકોટનું તાપમાન 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 45.8 ડિગ્રી, મહુવાનું તાપમાન 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


ગરમીથી રક્ષા મેળવવા શું કરવું જોઈએ? 

મહત્વનું છે કે ગરમી વધવાને કારણે અનેક લોકો બિમાર પડ્યા છે. હીટસ્ટ્રોક લાગવાથી લોકોને ઉલ્ટી થઈ રહી છે.. લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. ગરમીને કારણે અનેક લોકોના મોત થયા છે.  લૂના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જો જરૂર ના હોય તો ઘરની બહાર ના નિકળવું જોઈએ.. આ સમય દરમિયાન આછા રંગના કપડા પહેરવા જોઈએ. વધારેમાં વધારે પાણી પીવું જોઈએ.. લિક્વિડ પદાર્થોનું સેવન કરવું જોઈએ.. તમે તમારા પરિવારનું ધ્યાન રાખો..  



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.