Gujarat Weather : ગરમીનો પારો ગગડ્યો! અહીંયા માટે અપાયું એલર્ટ, જાણો રવિવારે શું હતું ગરમીનું પ્રમાણ?


  • Published By :
  • Published Date : 2024-05-27 14:04:01

ગરમીનો પારો સતત વધ્યો હતો થોડા દિવસો પહેલા.. તાપમાનનો પારો 47 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો પરંતુ ધીરે ધીરે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.. અનેક જગ્યાઓનું તાપમાન 43 નજીક પહોંચી ગયું છે.. આગામી દિવસોમાં ગરમી ઘટી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. એક સમય એવો હતો કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હવે તે ઓરેન્જ એલર્ટને હટાવી દેવામાં આવ્યું છે..  27 મે માટે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને વડોદરામાં હીટવેવની આગાહી કરાઈ છે જ્યારે સૌરાષ્ટ્રમાં બોટાદ અને સુરેન્દ્રનગરમાં ઉપરાંત કચ્છમાં પણ હીટવેવની આગાહી કરી છે. યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


ગરમીથી મળી શકે છે આંશિક રાહત

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. આ વખતનો ઉનાળો કાઠો પૂરવાર થયો.. આગાહી કરવામાં આવી હતી કે આ વખતનો ઉનાળો અસહ્ય રહેશે અને તેવું જ થયું. તાપમાનના પારામાં સતત વધારો થયો.. ગરમી પોતાની ચરમસીમા પર પહોંચી હોય તેવું લાગ્યું.. વહેલી સવારથી ગરમીનો અનુભવ આપણને થવા લાગતો, બપોરના સમયે જો ઘરની બહાર નિકળવાનું થાય તો અનેક વખત વિચાર કરવો પડતો પરંતુ ધીરે ધીરે કાળઝાળ ગરમીમાંથી આપણે નોર્મલ ગરમી તરફ આગળ વધી રહ્યા છીએ તેવું લાગી રહ્યું છે. તાપમાનના પારામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.


ક્યાં કેટલું નોંધાયું? 

રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું જ્યારે ડીસાનું તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું હતું.. ગાંધીનગરનું તાપમાન 43.0 ડિગ્રી, જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 43.7 ડિગ્રી નોંધાયું હતું. સુરતનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું, વડોદરાનું તાપમાન 42.0 ડિગ્રી  નોંધાયું છે.. ભાવનગરનું તાપમાન 39.9 તાપમાન નોંધાયું છે. દ્વારકાનું તાપમાન 32.7 ડિગ્રી નોંધાયું છે.. રાજકોટનું તાપમાન 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 45.8 ડિગ્રી, મહુવાનું તાપમાન 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


ગરમીથી રક્ષા મેળવવા શું કરવું જોઈએ? 

મહત્વનું છે કે ગરમી વધવાને કારણે અનેક લોકો બિમાર પડ્યા છે. હીટસ્ટ્રોક લાગવાથી લોકોને ઉલ્ટી થઈ રહી છે.. લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. ગરમીને કારણે અનેક લોકોના મોત થયા છે.  લૂના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જો જરૂર ના હોય તો ઘરની બહાર ના નિકળવું જોઈએ.. આ સમય દરમિયાન આછા રંગના કપડા પહેરવા જોઈએ. વધારેમાં વધારે પાણી પીવું જોઈએ.. લિક્વિડ પદાર્થોનું સેવન કરવું જોઈએ.. તમે તમારા પરિવારનું ધ્યાન રાખો..  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.