Gujarat Weather : આજે આ વિસ્તારોમાં થઈ શકે છે મેઘમહેર, આજે આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-12 12:12:50

ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે.. ચોમાસાનું આગમન ધાર્યા કરતા વહેલા થયું છે.. આ વખતની ગરમીએ ભુક્કા બોલાવ્યા હતા. 40 ડિગ્રીની ઉપર તાપમાન રહેતું હતું અનેક વિસ્તારોનું જેને કારણે ગરમીનો અહેસાસ વધારે થતો હતો. ગરમીમાંથી ક્યારે મુક્તિ મળશે તે પ્રશ્ન અનેક લોકોના દિમાગમાં હતો. ક્યારે વરસાદ આવશે અને ક્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરશે તેની રાહ જોવાઈ રહી હતી. શનિવારથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે પણ અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા...


મંગળવારે 26 તાલુકામાં વરસ્યો હતો વરસાદ 

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વખતે ચોમાસાએ ગુજરાતમાં ચાર દિવસ પહેલા દસ્તક લઈ લીધી છે. ચોમાસાની વિધીવત એન્ટ્રી થઈ ગઈ છે.. એક તરફ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ છે. આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, ક્યાં વરસાદ થશે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. મંગળવારે કુલ 26 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે મહીસાગરના સંતરામપુરમાં વરસાદ ખાબક્યો હતો. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..


આ વિસ્તારોમાં આજે વરસી શકે છે વરસાદ 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે એટલે કે બુધવારે અનેક વિસ્તારો માટે મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે. મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


ક્યાં આવી શકે છે વરસાદ? 

13 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય 14 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ માટે વરસાદ વરસી શકે છે. 15 તારીખે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, સુરત, વલસાડમાં વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે વરસાદ થવાને કારણે ગરમીથી તો રાહત મળી છે પરંતુ બફારાને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે.. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .