Gujarat Weather : આજે આ વિસ્તારોમાં થઈ શકે છે મેઘમહેર, આજે આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-12 12:12:50

ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે.. ચોમાસાનું આગમન ધાર્યા કરતા વહેલા થયું છે.. આ વખતની ગરમીએ ભુક્કા બોલાવ્યા હતા. 40 ડિગ્રીની ઉપર તાપમાન રહેતું હતું અનેક વિસ્તારોનું જેને કારણે ગરમીનો અહેસાસ વધારે થતો હતો. ગરમીમાંથી ક્યારે મુક્તિ મળશે તે પ્રશ્ન અનેક લોકોના દિમાગમાં હતો. ક્યારે વરસાદ આવશે અને ક્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરશે તેની રાહ જોવાઈ રહી હતી. શનિવારથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે પણ અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા...


મંગળવારે 26 તાલુકામાં વરસ્યો હતો વરસાદ 

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વખતે ચોમાસાએ ગુજરાતમાં ચાર દિવસ પહેલા દસ્તક લઈ લીધી છે. ચોમાસાની વિધીવત એન્ટ્રી થઈ ગઈ છે.. એક તરફ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ છે. આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, ક્યાં વરસાદ થશે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. મંગળવારે કુલ 26 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે મહીસાગરના સંતરામપુરમાં વરસાદ ખાબક્યો હતો. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..


આ વિસ્તારોમાં આજે વરસી શકે છે વરસાદ 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે એટલે કે બુધવારે અનેક વિસ્તારો માટે મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે. મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


ક્યાં આવી શકે છે વરસાદ? 

13 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય 14 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ માટે વરસાદ વરસી શકે છે. 15 તારીખે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, સુરત, વલસાડમાં વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે વરસાદ થવાને કારણે ગરમીથી તો રાહત મળી છે પરંતુ બફારાને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે.. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.