Gujarat Weather : આ જગ્યાઓમાં આજે વરસી શકે છે કમોસમી વરસાદ! હવામાન વિભાગની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-08 10:49:28

સામાન્ય રીતે જાન્યુઆરીમાં ઠંડીની આગાહી કરવામાં આવતી હોય છે. ક્યાં કેટલી ઠંડી પડશે, ક્યાં કેવું વાતાવરણ રહેશે પરંતુ આ વખતે વાતાવરણમાં એવા અલગ અલગ ચેન્જ આવી રહ્યા છે જેને કારણે કુદરતનું સંતુલન ડગમગી ગયું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે  શિયાળામાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. પરંતુ હવે ફરીથી કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન થવાને કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી કરાતા ખેડૂતોની ચિંતા વધી છે.

As Per Unseasonal Rain Falls On Gujrat These District | Gujarat Rain:  કમોસમી વરસાદની આગાહી મુજબ રાજ્યના આ જિલ્લામાં પડ્યો ગાજવીજ સાથે વરસાદ

અનેક વિસ્તારોમાં રહી શકે છે વાદળછાયું વાતાવરણ!

ગુજરાતમાં જાન્યુઆરીની શરૂઆતમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો હતો. અનેક જગ્યાઓનું તાપમાન 15 ડિગ્રી નીચે પહોંચી ગયું હતું. નલિયા સૌથી ઠંડોગાર પ્રદેશ બન્યો હતો ત્યારે રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી બેથી ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આજથી કમોસમી વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 


ક્યાં માટે કરવામાં આવી છે માવઠાની આગાહી?

કમોસમી વરસાદ થવાને કારણે ઠંડીનું જોર ઘટે તેવી પણ આગાહી કરવામાં આવી છે. માવઠા અંગે કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તિથલ અને તેની આસપાસન વિસ્તારમાં હળવા વરસાદના છાંટા પણ પડ્યા છે. 8 જાન્યુઆરી માટે કરવામાં આવેલી આગાહી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા. અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને દિવમાં સામાન્ય વરસાદની શક્યતા છે. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

ઠંડી અંગેની વાત કરીએ તો રવિવારે નલિયાનું તાપમાન 10.5 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 14.0 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરનું તાપમાન 12.2 ડિગ્રી, વડોદરાનું તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું હતું. સુરતનું તાપમાન 18.4, ભુજનું તાપમાન 12.8, વલસાડનું તાપમાન 15.0 ડિગ્રી નોંધાયું હતું, ભાવનગરનું તાપમાન 17.0, ઓખાનું તાપમાન 19.8 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 15.3 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે કમોસમી વરસાદની આગાહી કરતા જગતના તાતની ચિંતા વધી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.