Gujarat Weather : આ જગ્યાઓમાં આજે વરસી શકે છે કમોસમી વરસાદ! હવામાન વિભાગની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-08 10:49:28

સામાન્ય રીતે જાન્યુઆરીમાં ઠંડીની આગાહી કરવામાં આવતી હોય છે. ક્યાં કેટલી ઠંડી પડશે, ક્યાં કેવું વાતાવરણ રહેશે પરંતુ આ વખતે વાતાવરણમાં એવા અલગ અલગ ચેન્જ આવી રહ્યા છે જેને કારણે કુદરતનું સંતુલન ડગમગી ગયું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે  શિયાળામાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. પરંતુ હવે ફરીથી કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન થવાને કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી કરાતા ખેડૂતોની ચિંતા વધી છે.

As Per Unseasonal Rain Falls On Gujrat These District | Gujarat Rain:  કમોસમી વરસાદની આગાહી મુજબ રાજ્યના આ જિલ્લામાં પડ્યો ગાજવીજ સાથે વરસાદ

અનેક વિસ્તારોમાં રહી શકે છે વાદળછાયું વાતાવરણ!

ગુજરાતમાં જાન્યુઆરીની શરૂઆતમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો હતો. અનેક જગ્યાઓનું તાપમાન 15 ડિગ્રી નીચે પહોંચી ગયું હતું. નલિયા સૌથી ઠંડોગાર પ્રદેશ બન્યો હતો ત્યારે રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી બેથી ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આજથી કમોસમી વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 


ક્યાં માટે કરવામાં આવી છે માવઠાની આગાહી?

કમોસમી વરસાદ થવાને કારણે ઠંડીનું જોર ઘટે તેવી પણ આગાહી કરવામાં આવી છે. માવઠા અંગે કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તિથલ અને તેની આસપાસન વિસ્તારમાં હળવા વરસાદના છાંટા પણ પડ્યા છે. 8 જાન્યુઆરી માટે કરવામાં આવેલી આગાહી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા. અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને દિવમાં સામાન્ય વરસાદની શક્યતા છે. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

ઠંડી અંગેની વાત કરીએ તો રવિવારે નલિયાનું તાપમાન 10.5 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 14.0 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરનું તાપમાન 12.2 ડિગ્રી, વડોદરાનું તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું હતું. સુરતનું તાપમાન 18.4, ભુજનું તાપમાન 12.8, વલસાડનું તાપમાન 15.0 ડિગ્રી નોંધાયું હતું, ભાવનગરનું તાપમાન 17.0, ઓખાનું તાપમાન 19.8 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 15.3 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે કમોસમી વરસાદની આગાહી કરતા જગતના તાતની ચિંતા વધી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.