રાજ્ય પર ફરી આસમાની આફત, આગામી 13થી 18 માર્ચ સુધી ત્રાટકશે મુસીબતનું માવઠું


  • Published By :
  • Published Date : 2023-03-12 15:23:10

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એક વખત માવઠાંની આગાહી કરવામાં આવી છે. આ કારણે ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, હવામાન વિભાગે ગરમીની સાથે સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતીના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી 13, 14 અને 15 માર્ચ દરમિયાન વાવાઝોડાની સાથે-સાથે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  


ત્રણ દિવસમાં ક્યા થશે માવઠું?


રાજ્યમાં 3 માર્ચથી 18 માર્ચ દરમિયાન તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 13 માર્ચે કચ્છ,વલસાડ, નવસારી,સુરત,તાપી,નર્મદા, દમણ, દાદરા નગર હવેલી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા,દાહોદ, ભાવનગર, અમેરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે 14 માર્ચે દમણ, દાદરા નગર હવેલી,  નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં  કમોસમી વરસાદ પડવાનો અનુમાન છે. 15 માર્ચે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારી, તથા કચ્છમાં પણ માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


આ કૃષિ પાકને નુકસાનની શક્યતા


હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં તેજ ગતિથી પવન ફુંકાશે. તેની સાથે  રાજ્યમાં 18 માર્ચ સુધી કમોસમી વરસાદ પડી શકે છે. હવે જો માવઠું થશે તો ખેતરોમાં બાકી રહેલો તૈયાર રવિ પાકને ફરીથી નુકસાન થશે. માવઠાંના કારણે ઘઉં, જીરું, લસણ ડુંગળી, ચણા અને ધાણાના પાકને ફરીથી નુકસાન થવાની શક્યતા છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોને પણ પાકની સુરક્ષા માટે આગોતરા પગલા ભરવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.