Gujarat Weather : કમોસમી વરસાદથી હમણાં નહીં મળે છુટકારો! જાણો માવઠાને લઈ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત શું કહી રહ્યા છે?


  • Published By :
  • Published Date : 2024-02-28 15:18:54

ગુજરાતના હવામાનમાં ફેરફાર આવ્યો છે. શિયાળાની શરૂઆતમાં વરસાદ આવ્યો અને શિયાળાના અંતમાં પણ વરસાદ આવી રહ્યો છે. બપોરના સમયે ગરમી, સવાર અને સાંજના સમયે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આવનાર દિવસોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર પહેલી અને બીજી માર્ચે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. અમદાવાદ સહિત અનેક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

બેવડી ઋતુને કારણે લોકો પડી રહ્યા છે બિમાર! 

કોઈ તમને પૂછે કે હમણાં કઈ સિઝન ચાલી રહી છે તો કદાચ તમે કન્ફ્યુઝ થઈ જશો કારણ કે બપોરે ગરમી, સવાર સાંજ ઠંડી અને ગમે ત્યારે વરસાદ વરસી રહ્યો છે! એક સાથે ત્રણેય ઋતુનો અનુભવ ગુજરાતના અનેક ભાગોમાં થઈ રહ્યો છે. બેવડી ઋતુને કારણે અનેક લોકો બિમાર પણ પડી રહ્યા છે. રોગચાળો પણ વકર્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ફરી એક વખત કમોસમી વરસાદનો માર સહન કરવો પડથે તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનાર દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં માવઠું આવી શકે છે. 



ક્યારે ક્યાં આવી શકે છે કમોસમી વરસાદ? 

આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે શુક્રવારે એટલે કે પહેલી માર્ચે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં  તો શનિવારે કમોમસી વરસાદ આવી શકે છે. વિસ્તારની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ અને સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારોમાં શુક્રવારે હળવો વરસાદ વરસી શકે છે તો શનિવારે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.


કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી

આવનાર દિવસોમાં કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના કાકા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે ના માત્ર ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ક્લાઈમેટ ચેન્જની અસર વાતાવરણ પર જોવા મળી રહી છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.