Gujarat Weather : કમોસમી વરસાદથી હમણાં નહીં મળે છુટકારો! જાણો માવઠાને લઈ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત શું કહી રહ્યા છે?


  • Published By :
  • Published Date : 2024-02-28 15:18:54

ગુજરાતના હવામાનમાં ફેરફાર આવ્યો છે. શિયાળાની શરૂઆતમાં વરસાદ આવ્યો અને શિયાળાના અંતમાં પણ વરસાદ આવી રહ્યો છે. બપોરના સમયે ગરમી, સવાર અને સાંજના સમયે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આવનાર દિવસોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર પહેલી અને બીજી માર્ચે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. અમદાવાદ સહિત અનેક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

બેવડી ઋતુને કારણે લોકો પડી રહ્યા છે બિમાર! 

કોઈ તમને પૂછે કે હમણાં કઈ સિઝન ચાલી રહી છે તો કદાચ તમે કન્ફ્યુઝ થઈ જશો કારણ કે બપોરે ગરમી, સવાર સાંજ ઠંડી અને ગમે ત્યારે વરસાદ વરસી રહ્યો છે! એક સાથે ત્રણેય ઋતુનો અનુભવ ગુજરાતના અનેક ભાગોમાં થઈ રહ્યો છે. બેવડી ઋતુને કારણે અનેક લોકો બિમાર પણ પડી રહ્યા છે. રોગચાળો પણ વકર્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ફરી એક વખત કમોસમી વરસાદનો માર સહન કરવો પડથે તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનાર દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં માવઠું આવી શકે છે. 



ક્યારે ક્યાં આવી શકે છે કમોસમી વરસાદ? 

આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે શુક્રવારે એટલે કે પહેલી માર્ચે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં  તો શનિવારે કમોમસી વરસાદ આવી શકે છે. વિસ્તારની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ અને સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારોમાં શુક્રવારે હળવો વરસાદ વરસી શકે છે તો શનિવારે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.


કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી

આવનાર દિવસોમાં કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના કાકા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે ના માત્ર ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ક્લાઈમેટ ચેન્જની અસર વાતાવરણ પર જોવા મળી રહી છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.