Gujarat Weather : કમોસમી વરસાદથી હમણાં નહીં મળે છુટકારો! જાણો માવઠાને લઈ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત શું કહી રહ્યા છે?


  • Published By :
  • Published Date : 2024-02-28 15:18:54

ગુજરાતના હવામાનમાં ફેરફાર આવ્યો છે. શિયાળાની શરૂઆતમાં વરસાદ આવ્યો અને શિયાળાના અંતમાં પણ વરસાદ આવી રહ્યો છે. બપોરના સમયે ગરમી, સવાર અને સાંજના સમયે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આવનાર દિવસોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર પહેલી અને બીજી માર્ચે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. અમદાવાદ સહિત અનેક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

બેવડી ઋતુને કારણે લોકો પડી રહ્યા છે બિમાર! 

કોઈ તમને પૂછે કે હમણાં કઈ સિઝન ચાલી રહી છે તો કદાચ તમે કન્ફ્યુઝ થઈ જશો કારણ કે બપોરે ગરમી, સવાર સાંજ ઠંડી અને ગમે ત્યારે વરસાદ વરસી રહ્યો છે! એક સાથે ત્રણેય ઋતુનો અનુભવ ગુજરાતના અનેક ભાગોમાં થઈ રહ્યો છે. બેવડી ઋતુને કારણે અનેક લોકો બિમાર પણ પડી રહ્યા છે. રોગચાળો પણ વકર્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ફરી એક વખત કમોસમી વરસાદનો માર સહન કરવો પડથે તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનાર દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં માવઠું આવી શકે છે. 



ક્યારે ક્યાં આવી શકે છે કમોસમી વરસાદ? 

આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે શુક્રવારે એટલે કે પહેલી માર્ચે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં  તો શનિવારે કમોમસી વરસાદ આવી શકે છે. વિસ્તારની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ અને સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારોમાં શુક્રવારે હળવો વરસાદ વરસી શકે છે તો શનિવારે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.


કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી

આવનાર દિવસોમાં કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના કાકા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે ના માત્ર ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ક્લાઈમેટ ચેન્જની અસર વાતાવરણ પર જોવા મળી રહી છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.