Gujarat Weather Update : હાશ.. ગરમીથી મળી થોડીક રાહત! આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-29 11:35:08

ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી છે.. સાંજના સમયે પવન હોય છે જેને કારણે ગરમીથી આંશિક રાહત મળે છે.. રાજ્યના અનેક શહેરો છે જ્યાંનું તાપમાન 40 ડિગ્રી નીચે નોંધાયું છે મંગળવારે.. એક સમય હતો જ્યારે રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ હતી જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા પરંતુ હવે ગરમીથી પીછો છૂટી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. આગામી દિવસોમાં હજી પણ તાપમાનના પારામાં ઘટાડો આવી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરાયું છે..

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

પહેલા અનેક શહેરો માટે અપાતું હતું ઓરેન્જ એલર્ટ..

આ ઉનાળો આપણા માટે કપરો સાબિત થયો છે. એક સમય હતો જ્યારે તાપમાન 47 ડિગ્રીને પાર નોંધાયું હતું પરંતુ ધીરે ધીરે ગરમીથી રાહત મળી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.. 40 ડિગ્રીથી નીચે અનેક શહેરોના તાપમાન મંગળવારે નોંધાયા હતા.. વહેલી સવારે પણ એવી કાળઝાળ ગરમીનો અહેસાસ થતો હતો તે હવે નથી થતો... એક સમય હતો જ્યારે અનેક ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું.. અમદાવાદ માટે તો રેડ એલર્ટ આપવામાં આવતું હતું.. પરંતુ હવે તો કોઈ પણ જગ્યા માટે એલર્ટ નથી આપવામાં આવ્યું. ક્યાંય કોઈ ચેતવણી આપવામાં નથી આવી.. 

News18 Gujarati


ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

મંગળવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું, ડીસાનું તાપમાન 41.8, ગાંધીનગરનું તાપમાન 43.4 ડિગ્રી નોંધાયું છે જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.3 ડિગ્રી, વડોદરાનું તાપમાન 40.6 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 34.1 ડિગ્રી નોંધાયું છે.. વલસાડનું તાપમાન 35.4 ડિગ્રી જ્યારે અમરેલીનું તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 43.0 ડિગ્રી નોંધાયું છે જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 42.0 ડિગ્રી નોંધાયું છે.. મહત્વનું છે કે ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે..        



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.