Gujarat Weather Update : હાશ.. ગરમીથી મળી થોડીક રાહત! આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-29 11:35:08

ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી છે.. સાંજના સમયે પવન હોય છે જેને કારણે ગરમીથી આંશિક રાહત મળે છે.. રાજ્યના અનેક શહેરો છે જ્યાંનું તાપમાન 40 ડિગ્રી નીચે નોંધાયું છે મંગળવારે.. એક સમય હતો જ્યારે રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ હતી જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા પરંતુ હવે ગરમીથી પીછો છૂટી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. આગામી દિવસોમાં હજી પણ તાપમાનના પારામાં ઘટાડો આવી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરાયું છે..

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

પહેલા અનેક શહેરો માટે અપાતું હતું ઓરેન્જ એલર્ટ..

આ ઉનાળો આપણા માટે કપરો સાબિત થયો છે. એક સમય હતો જ્યારે તાપમાન 47 ડિગ્રીને પાર નોંધાયું હતું પરંતુ ધીરે ધીરે ગરમીથી રાહત મળી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.. 40 ડિગ્રીથી નીચે અનેક શહેરોના તાપમાન મંગળવારે નોંધાયા હતા.. વહેલી સવારે પણ એવી કાળઝાળ ગરમીનો અહેસાસ થતો હતો તે હવે નથી થતો... એક સમય હતો જ્યારે અનેક ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું.. અમદાવાદ માટે તો રેડ એલર્ટ આપવામાં આવતું હતું.. પરંતુ હવે તો કોઈ પણ જગ્યા માટે એલર્ટ નથી આપવામાં આવ્યું. ક્યાંય કોઈ ચેતવણી આપવામાં નથી આવી.. 

News18 Gujarati


ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

મંગળવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું, ડીસાનું તાપમાન 41.8, ગાંધીનગરનું તાપમાન 43.4 ડિગ્રી નોંધાયું છે જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.3 ડિગ્રી, વડોદરાનું તાપમાન 40.6 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 34.1 ડિગ્રી નોંધાયું છે.. વલસાડનું તાપમાન 35.4 ડિગ્રી જ્યારે અમરેલીનું તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 43.0 ડિગ્રી નોંધાયું છે જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 42.0 ડિગ્રી નોંધાયું છે.. મહત્વનું છે કે ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે..        



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.