Gujarat Weather Update : હાશ.. ગરમીથી મળી થોડીક રાહત! આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-29 11:35:08

ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી છે.. સાંજના સમયે પવન હોય છે જેને કારણે ગરમીથી આંશિક રાહત મળે છે.. રાજ્યના અનેક શહેરો છે જ્યાંનું તાપમાન 40 ડિગ્રી નીચે નોંધાયું છે મંગળવારે.. એક સમય હતો જ્યારે રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ હતી જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા પરંતુ હવે ગરમીથી પીછો છૂટી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. આગામી દિવસોમાં હજી પણ તાપમાનના પારામાં ઘટાડો આવી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરાયું છે..

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

પહેલા અનેક શહેરો માટે અપાતું હતું ઓરેન્જ એલર્ટ..

આ ઉનાળો આપણા માટે કપરો સાબિત થયો છે. એક સમય હતો જ્યારે તાપમાન 47 ડિગ્રીને પાર નોંધાયું હતું પરંતુ ધીરે ધીરે ગરમીથી રાહત મળી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.. 40 ડિગ્રીથી નીચે અનેક શહેરોના તાપમાન મંગળવારે નોંધાયા હતા.. વહેલી સવારે પણ એવી કાળઝાળ ગરમીનો અહેસાસ થતો હતો તે હવે નથી થતો... એક સમય હતો જ્યારે અનેક ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું.. અમદાવાદ માટે તો રેડ એલર્ટ આપવામાં આવતું હતું.. પરંતુ હવે તો કોઈ પણ જગ્યા માટે એલર્ટ નથી આપવામાં આવ્યું. ક્યાંય કોઈ ચેતવણી આપવામાં નથી આવી.. 

News18 Gujarati


ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

મંગળવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું, ડીસાનું તાપમાન 41.8, ગાંધીનગરનું તાપમાન 43.4 ડિગ્રી નોંધાયું છે જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.3 ડિગ્રી, વડોદરાનું તાપમાન 40.6 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 34.1 ડિગ્રી નોંધાયું છે.. વલસાડનું તાપમાન 35.4 ડિગ્રી જ્યારે અમરેલીનું તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 43.0 ડિગ્રી નોંધાયું છે જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 42.0 ડિગ્રી નોંધાયું છે.. મહત્વનું છે કે ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે..        



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.