Gujarat Weather Update : હાશ.. ગરમીથી મળી થોડીક રાહત! આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-29 11:35:08

ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી છે.. સાંજના સમયે પવન હોય છે જેને કારણે ગરમીથી આંશિક રાહત મળે છે.. રાજ્યના અનેક શહેરો છે જ્યાંનું તાપમાન 40 ડિગ્રી નીચે નોંધાયું છે મંગળવારે.. એક સમય હતો જ્યારે રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ હતી જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા પરંતુ હવે ગરમીથી પીછો છૂટી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. આગામી દિવસોમાં હજી પણ તાપમાનના પારામાં ઘટાડો આવી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરાયું છે..

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

પહેલા અનેક શહેરો માટે અપાતું હતું ઓરેન્જ એલર્ટ..

આ ઉનાળો આપણા માટે કપરો સાબિત થયો છે. એક સમય હતો જ્યારે તાપમાન 47 ડિગ્રીને પાર નોંધાયું હતું પરંતુ ધીરે ધીરે ગરમીથી રાહત મળી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.. 40 ડિગ્રીથી નીચે અનેક શહેરોના તાપમાન મંગળવારે નોંધાયા હતા.. વહેલી સવારે પણ એવી કાળઝાળ ગરમીનો અહેસાસ થતો હતો તે હવે નથી થતો... એક સમય હતો જ્યારે અનેક ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું.. અમદાવાદ માટે તો રેડ એલર્ટ આપવામાં આવતું હતું.. પરંતુ હવે તો કોઈ પણ જગ્યા માટે એલર્ટ નથી આપવામાં આવ્યું. ક્યાંય કોઈ ચેતવણી આપવામાં નથી આવી.. 

News18 Gujarati


ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

મંગળવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું, ડીસાનું તાપમાન 41.8, ગાંધીનગરનું તાપમાન 43.4 ડિગ્રી નોંધાયું છે જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.3 ડિગ્રી, વડોદરાનું તાપમાન 40.6 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 34.1 ડિગ્રી નોંધાયું છે.. વલસાડનું તાપમાન 35.4 ડિગ્રી જ્યારે અમરેલીનું તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 43.0 ડિગ્રી નોંધાયું છે જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 42.0 ડિગ્રી નોંધાયું છે.. મહત્વનું છે કે ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે..        



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે