Gujarat Weather : હવામાન નિષ્ણાત Ambalal Patelએ કરી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી! જાણો શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-06-28 18:35:27

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. વહેલી સવારથી વરસાદી માહોલ રાજ્યમાં જામ્યો છે.. આગામી દિવસોમાં વધારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. કાકાની આગાહી અનુસાર જુલાઈ મહિનામાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી? 

વરસાદે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધબધબાટી બોલાવી છે. અનેક રાજ્યોમાં વરસાદ હજી ચાલી રહ્યો છે. અમદાવાદમાં પણ વરસાદ અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે. હવામાન વિભાગની તો આગાહી સામે આવી છે સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 30મી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે. અને સાથે જ પૂરની સ્થિતિ આવે તેવી શક્યતા લાગે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ અરબી સમુદ્ર અને ઓરિસ્સામાં સિસ્ટમ બનતા દેશ સહિત રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. 

Image


Image

આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ 

તે ઉપરાંત તેમણે આગાહી કરી છે કે 30મી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે. જામનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે પાંચમીથી 12મી જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વરસાદની પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.



હવામાન વિભાગની આગાહી અનુસાર 

મહત્વનું છે કે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. તે સિવાય 30 તારીખની વાત કરીએ તો અમદાવાદ ખેડા, ગાંધીનગર, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે.. મહત્વનું છે કે વરસાદ થવાને કારણે ખેડૂતોની ખુશીનો પાર રહ્યો નથી. જગતના તાતની ચિંતા ઓછી થઈ ગઈ છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.