Gujarat Weather : હવામાન નિષ્ણાત Ambalal Patelએ કરી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી! જાણો શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-06-28 18:35:27

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. વહેલી સવારથી વરસાદી માહોલ રાજ્યમાં જામ્યો છે.. આગામી દિવસોમાં વધારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. કાકાની આગાહી અનુસાર જુલાઈ મહિનામાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી? 

વરસાદે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધબધબાટી બોલાવી છે. અનેક રાજ્યોમાં વરસાદ હજી ચાલી રહ્યો છે. અમદાવાદમાં પણ વરસાદ અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે. હવામાન વિભાગની તો આગાહી સામે આવી છે સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 30મી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે. અને સાથે જ પૂરની સ્થિતિ આવે તેવી શક્યતા લાગે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ અરબી સમુદ્ર અને ઓરિસ્સામાં સિસ્ટમ બનતા દેશ સહિત રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. 

Image


Image

આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ 

તે ઉપરાંત તેમણે આગાહી કરી છે કે 30મી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે. જામનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે પાંચમીથી 12મી જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વરસાદની પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.



હવામાન વિભાગની આગાહી અનુસાર 

મહત્વનું છે કે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. તે સિવાય 30 તારીખની વાત કરીએ તો અમદાવાદ ખેડા, ગાંધીનગર, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે.. મહત્વનું છે કે વરસાદ થવાને કારણે ખેડૂતોની ખુશીનો પાર રહ્યો નથી. જગતના તાતની ચિંતા ઓછી થઈ ગઈ છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..  



In India, marriage is considered a sacred institution, in which love, trust and dedication are expected. Incidents like the one that have happened recently have changed the very definition of this sacred bond. Cases of brutal murder of husbands by wives have shocked the society. Cases like Pragati, Muskan, Aftab and similar incidents that have happened in the last few years have raised a big question mark and also on the entire system because every person, be it a man or a woman, is in fear of whether to get married or not. Even memes have become like that.

લોકતાંત્રિક દેશના કોઇપણ ખૂણામાં ભાષા અને ભાષાકીય જૂથ સંગઠન પોતાને સર્વસર્વા માની નાગરિકો સાથે મનમાની કરી જાય તો કાયદો અને વ્યવસ્થા શું મુકપ્રક્ષક બનીને રહશે !

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતમાં બ્રેન્ડન લિન્ચના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે . આ પ્રતિનિધિ મંડળ ૨જી એપ્રિલથી ભારત પર જે ટેરિફ લગાવવામાં આવશે તેની પર ચર્ચા કરશે . જોઈએ કે આ વાટાઘાટોથી કેટલો ફર્ક પડે છે . જો અમેરિકાએ ૨જી એપ્રિલથી ટેરિફ લગાવ્યા તો ભારતને લગભગ ૫ લાખ કરોડનું નુકશાન થઈ શકે છે .

સુરત સહિત સમગ્ર રાજ્યનો હીરા ઉદ્યોગમાં મંદીમાથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સરકારે એક્શન પ્લાન 2 દિવસમાં બનાવવા કહ્યું હતું. પરંતુ 10 દિવસે પણ કોઈ નિરાકરણ લવાયું નથી. ત્યારે 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે. છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.