Gujarat Weather - આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, ક્યાં થશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2024-08-08 16:55:59

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે.. વરસાદી માહોલ જામ્યો હતો પરંતુ હવે અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ નથી થઈ રહ્યો.. રાજ્યમાં થોડા દિવસ પહેલા સારો વરસાદ વરસ્યો હતો જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ આગામી દિવસોમાં વરસાદ થાય તેવું લાગતું નથી. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવતું હોય છે ક્યાં વરસાદ થવાની શક્યતા છે. અલગ અલગ વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવતું હોય છે.. આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે...



આ વિસ્તારો માટે આપવામાં આવ્યું યલો એલર્ટ

તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે ઉપરાંત 10મી તારીખની વાત કરીએ તો ભાવનગર, નવસારી, વલસાડ. દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 




64 તાલુકામાં વરસાદ વરસ્યો જેમાં...

મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 64 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વરસાદની ગતિ ધીમી થઈ ગઈ છે. સૌથી વધારે વરસાદ ખેડાના માતરમાં નોંધાયો હતો. તે ઉપરાંત ચિખલી, ધરમપુર, ફતેપુરા, આહવામાં પણ સારો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં સિઝનનો 68 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે તમારે વરસાદ છે કે વરસાદે વિરામ લીધો છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.