Gujarat Weather - આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, ક્યાં થશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2024-08-08 16:55:59

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે.. વરસાદી માહોલ જામ્યો હતો પરંતુ હવે અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ નથી થઈ રહ્યો.. રાજ્યમાં થોડા દિવસ પહેલા સારો વરસાદ વરસ્યો હતો જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ આગામી દિવસોમાં વરસાદ થાય તેવું લાગતું નથી. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવતું હોય છે ક્યાં વરસાદ થવાની શક્યતા છે. અલગ અલગ વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવતું હોય છે.. આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે...



આ વિસ્તારો માટે આપવામાં આવ્યું યલો એલર્ટ

તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે ઉપરાંત 10મી તારીખની વાત કરીએ તો ભાવનગર, નવસારી, વલસાડ. દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 




64 તાલુકામાં વરસાદ વરસ્યો જેમાં...

મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 64 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વરસાદની ગતિ ધીમી થઈ ગઈ છે. સૌથી વધારે વરસાદ ખેડાના માતરમાં નોંધાયો હતો. તે ઉપરાંત ચિખલી, ધરમપુર, ફતેપુરા, આહવામાં પણ સારો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં સિઝનનો 68 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે તમારે વરસાદ છે કે વરસાદે વિરામ લીધો છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.