Gujarat Weather - આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, ક્યાં થશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2024-08-08 16:55:59

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે.. વરસાદી માહોલ જામ્યો હતો પરંતુ હવે અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ નથી થઈ રહ્યો.. રાજ્યમાં થોડા દિવસ પહેલા સારો વરસાદ વરસ્યો હતો જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ આગામી દિવસોમાં વરસાદ થાય તેવું લાગતું નથી. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવતું હોય છે ક્યાં વરસાદ થવાની શક્યતા છે. અલગ અલગ વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવતું હોય છે.. આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે...



આ વિસ્તારો માટે આપવામાં આવ્યું યલો એલર્ટ

તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે ઉપરાંત 10મી તારીખની વાત કરીએ તો ભાવનગર, નવસારી, વલસાડ. દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 




64 તાલુકામાં વરસાદ વરસ્યો જેમાં...

મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 64 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વરસાદની ગતિ ધીમી થઈ ગઈ છે. સૌથી વધારે વરસાદ ખેડાના માતરમાં નોંધાયો હતો. તે ઉપરાંત ચિખલી, ધરમપુર, ફતેપુરા, આહવામાં પણ સારો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં સિઝનનો 68 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે તમારે વરસાદ છે કે વરસાદે વિરામ લીધો છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.