ગુજરાતમાં ફરી એક વખત થશે કાતિલ ઠંડીનો અહેસાસ, આ તારીખ બાદ વધશે ઠંડીનું પ્રમાણ


  • Published By :
  • Published Date : 2023-01-12 10:02:51

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ઠંડીએ વિરામ લીધો છે. થોડા દિવસોથી ઠંડીથી રાહત મળી છે. પવન તેમજ ઠંડી ઘટવાને કારણે ઓછી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીનો ફરી રાઉન્ડ શરૂ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ઉપરાંત ઉત્તરાયણના દિવસો દરમિયાન પવનનો સાથ મળી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.


ઉત્તરાયણમાં મળશે પવનનો સાથ

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 13 જાન્યુઆરી બાદ શીતલહેરનો અનુભવ થવાનો છે. કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળવાનો છે. આગામી અઠવાડિયા દરમિયાન ખતરનાક ઠંડી પડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. થોડા દિવસો બાદ ઉત્તરાયણનો પર્વ આવવાનો છે. તે પર્વ દરમિયાન જો પવનનો સાથ મળી રહે છે તો પતંગ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. 


આવનાર દિવસોમાં થશે ઠંડીનો અહેસાસ 

14 જાન્યુઆરી દરમિયાન ભારે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા અનેક દિવસોથી ગુજરાતમાં ઠંડીનો પારો ઘટ્યો છે. તાપમાનનો પારો વધ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન વધવાને કારણે હુંફાળી ગરમીનો અહેસાસ થયો છે. ઠંડી ઘટવાને કારણે  લોકોએ પણ ઠંડીથી છુટ્કારો મેળવ્યો હતો પરંતુ 13 જાન્યુઆરી બાદ ફરી એક વખત ઠંડીનો સામનો કરવા તૈયાર થવું પડશે. નલિયામાં તાપમાનનો પારો ગગડી શકે છે. ઠંડીનો અહેસાસ કરવા અનેક લોકો માઉન્ટ આબુમાં ગયા છે. માઉન્ટ આબુમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. જેને કારણે પ્રવાસીઓને મજા આવી રહી છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.