ગુજરાતમાં ફરી એક વખત થશે કાતિલ ઠંડીનો અહેસાસ, આ તારીખ બાદ વધશે ઠંડીનું પ્રમાણ


  • Published By :
  • Published Date : 2023-01-12 10:02:51

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ઠંડીએ વિરામ લીધો છે. થોડા દિવસોથી ઠંડીથી રાહત મળી છે. પવન તેમજ ઠંડી ઘટવાને કારણે ઓછી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીનો ફરી રાઉન્ડ શરૂ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ઉપરાંત ઉત્તરાયણના દિવસો દરમિયાન પવનનો સાથ મળી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.


ઉત્તરાયણમાં મળશે પવનનો સાથ

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 13 જાન્યુઆરી બાદ શીતલહેરનો અનુભવ થવાનો છે. કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળવાનો છે. આગામી અઠવાડિયા દરમિયાન ખતરનાક ઠંડી પડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. થોડા દિવસો બાદ ઉત્તરાયણનો પર્વ આવવાનો છે. તે પર્વ દરમિયાન જો પવનનો સાથ મળી રહે છે તો પતંગ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. 


આવનાર દિવસોમાં થશે ઠંડીનો અહેસાસ 

14 જાન્યુઆરી દરમિયાન ભારે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા અનેક દિવસોથી ગુજરાતમાં ઠંડીનો પારો ઘટ્યો છે. તાપમાનનો પારો વધ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન વધવાને કારણે હુંફાળી ગરમીનો અહેસાસ થયો છે. ઠંડી ઘટવાને કારણે  લોકોએ પણ ઠંડીથી છુટ્કારો મેળવ્યો હતો પરંતુ 13 જાન્યુઆરી બાદ ફરી એક વખત ઠંડીનો સામનો કરવા તૈયાર થવું પડશે. નલિયામાં તાપમાનનો પારો ગગડી શકે છે. ઠંડીનો અહેસાસ કરવા અનેક લોકો માઉન્ટ આબુમાં ગયા છે. માઉન્ટ આબુમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. જેને કારણે પ્રવાસીઓને મજા આવી રહી છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.