ગુજરાતમાં ફરી એક વખત થશે કાતિલ ઠંડીનો અહેસાસ, આ તારીખ બાદ વધશે ઠંડીનું પ્રમાણ


  • Published By :
  • Published Date : 2023-01-12 10:02:51

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ઠંડીએ વિરામ લીધો છે. થોડા દિવસોથી ઠંડીથી રાહત મળી છે. પવન તેમજ ઠંડી ઘટવાને કારણે ઓછી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીનો ફરી રાઉન્ડ શરૂ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ઉપરાંત ઉત્તરાયણના દિવસો દરમિયાન પવનનો સાથ મળી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.


ઉત્તરાયણમાં મળશે પવનનો સાથ

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 13 જાન્યુઆરી બાદ શીતલહેરનો અનુભવ થવાનો છે. કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળવાનો છે. આગામી અઠવાડિયા દરમિયાન ખતરનાક ઠંડી પડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. થોડા દિવસો બાદ ઉત્તરાયણનો પર્વ આવવાનો છે. તે પર્વ દરમિયાન જો પવનનો સાથ મળી રહે છે તો પતંગ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. 


આવનાર દિવસોમાં થશે ઠંડીનો અહેસાસ 

14 જાન્યુઆરી દરમિયાન ભારે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા અનેક દિવસોથી ગુજરાતમાં ઠંડીનો પારો ઘટ્યો છે. તાપમાનનો પારો વધ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન વધવાને કારણે હુંફાળી ગરમીનો અહેસાસ થયો છે. ઠંડી ઘટવાને કારણે  લોકોએ પણ ઠંડીથી છુટ્કારો મેળવ્યો હતો પરંતુ 13 જાન્યુઆરી બાદ ફરી એક વખત ઠંડીનો સામનો કરવા તૈયાર થવું પડશે. નલિયામાં તાપમાનનો પારો ગગડી શકે છે. ઠંડીનો અહેસાસ કરવા અનેક લોકો માઉન્ટ આબુમાં ગયા છે. માઉન્ટ આબુમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. જેને કારણે પ્રવાસીઓને મજા આવી રહી છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.