રાહુલ ગાંધીના પથ પર ચાલતું ગુજરાત યુથ કોંગ્રેસ,યુવા પરિવર્તન યાત્રાનું કર્યું આયોજન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 10:45:19

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીચ પાર્ટીઓ પોતાની પાર્ટીનો પ્રચાર કરવામાં લાગી ગઈ છે. ભાજપ તેમજ આપ બાદ હવે કોંગ્રેસે પણ પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. જે અંતર્ગત યુથ કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 1200 કિલોમીટર ચાલનારી આ પદયાત્રાની શરૂઆત અંબાજીથી થવાની છે. ઉમરગામ સુધી આ યાત્રા ચાલવાની છે. આ યાત્રામાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહેવાના છે.


અનેક મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસમાં પ્રાણ પૂરવાના પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં પણ કોંગ્રેસને ફરી બેઠુ કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં યુથ કોંગ્રેસ પરિવર્તન યાત્રા કરવાની છે. દેશમાં વધી રહેલી મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક મુદ્દાઓને લઈ ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવવાનો છે.


લોકો સુધી પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ

માં અંબેના દર્શન કરી આ યાત્રાનું પ્રસ્થાન થવાનું છે. અંબાજીથી નીકળેલી આ યાત્રા ઉમરગામ સુધી જશે. વધુ લોકો સુધી પહોંચી શકાય તે માટે પ્રયાસો થવાના છે. બાઈક રેલી, જન સભા તેમજ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો બીજા તબક્કો દશેરાના દિવસથી થવાનો છે. સોમનાથથી આ યાત્રાનો શુભારંભ થવાનો છે.

અંબાજી News in Gujarati, Latest અંબાજી news, photos, videos | Zee News  Gujarati


રાહુલ ગાંધી કરી રહ્યા છે ભારત જોડો યાત્રા

દેશના વિવિધ રાજ્યોમાં વધતી મોંઘવારી, બેરોજગારી અંગે લોકોને જાગૃત કરવા કોંગ્રેસ અનેક યાત્રાનું આયોજન કરી રહી છે. કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી પણ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ ભારત જોડો યાત્રા કરી કેન્દ્ર સરકારને અનેક મુદ્દાઓએ ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે