રાહુલ ગાંધીના પથ પર ચાલતું ગુજરાત યુથ કોંગ્રેસ,યુવા પરિવર્તન યાત્રાનું કર્યું આયોજન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 10:45:19

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીચ પાર્ટીઓ પોતાની પાર્ટીનો પ્રચાર કરવામાં લાગી ગઈ છે. ભાજપ તેમજ આપ બાદ હવે કોંગ્રેસે પણ પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. જે અંતર્ગત યુથ કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 1200 કિલોમીટર ચાલનારી આ પદયાત્રાની શરૂઆત અંબાજીથી થવાની છે. ઉમરગામ સુધી આ યાત્રા ચાલવાની છે. આ યાત્રામાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહેવાના છે.


અનેક મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસમાં પ્રાણ પૂરવાના પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં પણ કોંગ્રેસને ફરી બેઠુ કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં યુથ કોંગ્રેસ પરિવર્તન યાત્રા કરવાની છે. દેશમાં વધી રહેલી મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક મુદ્દાઓને લઈ ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવવાનો છે.


લોકો સુધી પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ

માં અંબેના દર્શન કરી આ યાત્રાનું પ્રસ્થાન થવાનું છે. અંબાજીથી નીકળેલી આ યાત્રા ઉમરગામ સુધી જશે. વધુ લોકો સુધી પહોંચી શકાય તે માટે પ્રયાસો થવાના છે. બાઈક રેલી, જન સભા તેમજ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો બીજા તબક્કો દશેરાના દિવસથી થવાનો છે. સોમનાથથી આ યાત્રાનો શુભારંભ થવાનો છે.

અંબાજી News in Gujarati, Latest અંબાજી news, photos, videos | Zee News  Gujarati


રાહુલ ગાંધી કરી રહ્યા છે ભારત જોડો યાત્રા

દેશના વિવિધ રાજ્યોમાં વધતી મોંઘવારી, બેરોજગારી અંગે લોકોને જાગૃત કરવા કોંગ્રેસ અનેક યાત્રાનું આયોજન કરી રહી છે. કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી પણ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ ભારત જોડો યાત્રા કરી કેન્દ્ર સરકારને અનેક મુદ્દાઓએ ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.