Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રોને સમર્પિત રચના - સાચો મિત્ર મળે તો જીવનના દુખો ભુલાવી જાય છે...


  • Published By :
  • Published Date : 2024-05-06 16:41:13

દોસ્ત.. આ માત્ર એક શબ્દ નથી લાગણી છે... જો દોસ્ત ના હોય તો જીવન અધૂરૂં લાગે છે.. જેટલું આપણે પોતાને નથી જાણતા તેના કરતા વધારે આપણા મિત્રો આપણને ઓળખતા હોય છે... માતા પિતા આપણે પંસદ નથી કરી શકતા પરંતુ આપણા મિત્ર કોણ હશે તે આપણે જાતે પસંદ કરીએ છીએ... મિત્રો આપણને જીવન જીવવાનું શિખવાડે છે... મિત્રતાના અનેક ઉદારણો આપણી સામે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના...    



ખભા પર હાથ મૂકીને હૈયુ હળવું કરી જાય છે,

સાચો મિત્ર મળે તો જીવનના દુખો ભુલાવી જાય છે


કેવો જ્ઞાનિ હશે! કે, હાસ્ય પાછળની વેદના જાણી જાય છે,

સંકટના સમયે આવીને એ સહારો બની જાય છે..


એવું નથી કે આંગળી પકડીને આગળ કરી જાય છે

પણ દુખના ટાણે એ બાવડુ પકડી બાથ ભરી જાય છે..


એના પ્રેમની આગળ બધુ જ વામળું બની જાય છે

દુષ્કાળની ઘડીમાં પણ એ વ્હાલ વરસાવી જાય છે


સંસારની અંદર જ્યારે મારી જગ્યા પુરાઈ જાય છે

ત્યારે પણ મિત્રના દિલમાં મને સ્થાન મળી જાય છે


જીવનમાં જ્યારે અર્જુનની જેમ હિંમત હારી જવાય છે

ત્યારે મિત્ર આવીને મહાભારતનો કેશવ બની જાય છે


મિત્ર વગરનું જીવન કાંટાળું બની જાય છે,

પણ મળે સાચો મિત્ર તો કાંટામાં પણ ફૂલ ખીલી જાય છે 




ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.