Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રોને સમર્પિત રચના - સાચો મિત્ર મળે તો જીવનના દુખો ભુલાવી જાય છે...


  • Published By :
  • Published Date : 2024-05-06 16:41:13

દોસ્ત.. આ માત્ર એક શબ્દ નથી લાગણી છે... જો દોસ્ત ના હોય તો જીવન અધૂરૂં લાગે છે.. જેટલું આપણે પોતાને નથી જાણતા તેના કરતા વધારે આપણા મિત્રો આપણને ઓળખતા હોય છે... માતા પિતા આપણે પંસદ નથી કરી શકતા પરંતુ આપણા મિત્ર કોણ હશે તે આપણે જાતે પસંદ કરીએ છીએ... મિત્રો આપણને જીવન જીવવાનું શિખવાડે છે... મિત્રતાના અનેક ઉદારણો આપણી સામે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના...    



ખભા પર હાથ મૂકીને હૈયુ હળવું કરી જાય છે,

સાચો મિત્ર મળે તો જીવનના દુખો ભુલાવી જાય છે


કેવો જ્ઞાનિ હશે! કે, હાસ્ય પાછળની વેદના જાણી જાય છે,

સંકટના સમયે આવીને એ સહારો બની જાય છે..


એવું નથી કે આંગળી પકડીને આગળ કરી જાય છે

પણ દુખના ટાણે એ બાવડુ પકડી બાથ ભરી જાય છે..


એના પ્રેમની આગળ બધુ જ વામળું બની જાય છે

દુષ્કાળની ઘડીમાં પણ એ વ્હાલ વરસાવી જાય છે


સંસારની અંદર જ્યારે મારી જગ્યા પુરાઈ જાય છે

ત્યારે પણ મિત્રના દિલમાં મને સ્થાન મળી જાય છે


જીવનમાં જ્યારે અર્જુનની જેમ હિંમત હારી જવાય છે

ત્યારે મિત્ર આવીને મહાભારતનો કેશવ બની જાય છે


મિત્ર વગરનું જીવન કાંટાળું બની જાય છે,

પણ મળે સાચો મિત્ર તો કાંટામાં પણ ફૂલ ખીલી જાય છે 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.