Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રોને સમર્પિત રચના - સાચો મિત્ર મળે તો જીવનના દુખો ભુલાવી જાય છે...


  • Published By :
  • Published Date : 2024-05-06 16:41:13

દોસ્ત.. આ માત્ર એક શબ્દ નથી લાગણી છે... જો દોસ્ત ના હોય તો જીવન અધૂરૂં લાગે છે.. જેટલું આપણે પોતાને નથી જાણતા તેના કરતા વધારે આપણા મિત્રો આપણને ઓળખતા હોય છે... માતા પિતા આપણે પંસદ નથી કરી શકતા પરંતુ આપણા મિત્ર કોણ હશે તે આપણે જાતે પસંદ કરીએ છીએ... મિત્રો આપણને જીવન જીવવાનું શિખવાડે છે... મિત્રતાના અનેક ઉદારણો આપણી સામે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના...    



ખભા પર હાથ મૂકીને હૈયુ હળવું કરી જાય છે,

સાચો મિત્ર મળે તો જીવનના દુખો ભુલાવી જાય છે


કેવો જ્ઞાનિ હશે! કે, હાસ્ય પાછળની વેદના જાણી જાય છે,

સંકટના સમયે આવીને એ સહારો બની જાય છે..


એવું નથી કે આંગળી પકડીને આગળ કરી જાય છે

પણ દુખના ટાણે એ બાવડુ પકડી બાથ ભરી જાય છે..


એના પ્રેમની આગળ બધુ જ વામળું બની જાય છે

દુષ્કાળની ઘડીમાં પણ એ વ્હાલ વરસાવી જાય છે


સંસારની અંદર જ્યારે મારી જગ્યા પુરાઈ જાય છે

ત્યારે પણ મિત્રના દિલમાં મને સ્થાન મળી જાય છે


જીવનમાં જ્યારે અર્જુનની જેમ હિંમત હારી જવાય છે

ત્યારે મિત્ર આવીને મહાભારતનો કેશવ બની જાય છે


મિત્ર વગરનું જીવન કાંટાળું બની જાય છે,

પણ મળે સાચો મિત્ર તો કાંટામાં પણ ફૂલ ખીલી જાય છે 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .