Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દોસ્તીને સમર્પિત રચના - તું વગર કારણે વરસાવે છે વ્હાલ


  • Published By :
  • Published Date : 2024-09-17 16:21:43

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલી પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે. દોસ્ત હોય તો જીવન રંગીન બની રહે છે અને જો દોસ્ત ના હોય તો જીવન બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મની જેમ બેરંગ બનીને રહે છે.. અનેક વર્ષો સુધી દોસ્તોને નથી મળાતું ત્યારે આંખોમાંથી પાણી આવી જાય છે અમસ્તા.. માસુમિયત હોય છે તે સંબંધમાં.. દોસ્તો પોત પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જાય છે અને વર્ષો સુધી નથી મળાતું.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દોસ્તીને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની અમને જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 


તું વગર કારણે વરસાવે છે વ્હાલ

દોસ્ત, હું કેમ કરીને પૂછું તારો હાલ


જીવું છું આજને બસ તારી યાદમાં

કેટલી ખૂબસુરત તારી વાતો અને કાલ


કેવી માસૂમિયતને સ્વાર્થ વગરનો સ્નેહ

ફરીથી જીવી લઈએ એ ક્ષણને ચાલ


જીવનના મેઘધનુષમાં તું ખૂટે છે દોસ્ત

ક્યાંથી લાવું હું તારા પ્રેમનો રંગ લાલ


અન્ય જવાબદારીમાં અટવાઈ તું શ્વેત

ખોવાયું દોસ્તીનું સંગીત, સૂર અને તાલ.



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.