Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દોસ્તીને સમર્પિત રચના - તું વગર કારણે વરસાવે છે વ્હાલ


  • Published By :
  • Published Date : 2024-09-17 16:21:43

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલી પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે. દોસ્ત હોય તો જીવન રંગીન બની રહે છે અને જો દોસ્ત ના હોય તો જીવન બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મની જેમ બેરંગ બનીને રહે છે.. અનેક વર્ષો સુધી દોસ્તોને નથી મળાતું ત્યારે આંખોમાંથી પાણી આવી જાય છે અમસ્તા.. માસુમિયત હોય છે તે સંબંધમાં.. દોસ્તો પોત પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જાય છે અને વર્ષો સુધી નથી મળાતું.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દોસ્તીને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની અમને જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 


તું વગર કારણે વરસાવે છે વ્હાલ

દોસ્ત, હું કેમ કરીને પૂછું તારો હાલ


જીવું છું આજને બસ તારી યાદમાં

કેટલી ખૂબસુરત તારી વાતો અને કાલ


કેવી માસૂમિયતને સ્વાર્થ વગરનો સ્નેહ

ફરીથી જીવી લઈએ એ ક્ષણને ચાલ


જીવનના મેઘધનુષમાં તું ખૂટે છે દોસ્ત

ક્યાંથી લાવું હું તારા પ્રેમનો રંગ લાલ


અન્ય જવાબદારીમાં અટવાઈ તું શ્વેત

ખોવાયું દોસ્તીનું સંગીત, સૂર અને તાલ.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."