Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુરૂને સમર્પિત રચના - ગુરૂદક્ષિણા


  • Published By :
  • Published Date : 2024-07-20 16:55:13

દરેકના જીવનમાં જેટલું મહત્વ માતા પિતાનું હોય છે તેટલી જ જરૂર બાળકને શિક્ષકની હોય છે.. ગુરૂની હોય છે.. ગુનો અર્થ થાય છે અંધારૂં અને રૂનો અર્થ થાય છે દૂર કરનાર..અંધારામાંથી આપણને બહાર લાવે તેમને ગુરૂ કહેવામાં આવે છે.. ગુરૂ આપણને ઘણું બધુ શીખવાડતા હોય છે. જીવનમાં જ્યારે હતાશ થઈએ, આગળ કેવી રીતે વધવું તેની ખબર ના પડે ત્યારે ગૂરૂ આપણું માર્ગદર્શન કરતા હોય છે. આવતી કાલે ગુરૂપૂર્ણિમા છે.. ગુરૂનો મહિમા ગાવાનો દિવસ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુરૂ અને શિષ્યના સંબંધોને દર્શાવતી રચનાને.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..



પુષ્પને ખિલવા પ્રકાશ અને પાણીની જરૂર હોય છે,

એક નવજાત શિશુને સાચી સલાહની જરૂર હોય છે.


વેલને વધવા સહારાની જરૂર હોય છે,

પ્રગતિને પામવા પડકારની જરૂર હોય છે..


આમ તો સંસાર ચાલ્યા જ કરે છે!

બસ એને સુખી રીતે ચલાવવા એક ગુરૂની જરૂર હોય છે


અભ્યાસની કસોટીમાં આંકડાની જરૂર હોય છે,

જિંદગીની પરીક્ષામાં એક અનુભવીની જરૂર હોય છે


સઘળું દીઠું છે આ જગમાં જાણીને

ગુરૂદક્ષિણ અંતરમનથી દે એ ભાવની જરૂર હોય છે


ગુરૂદ્રોણ હજી પણ ક્યાંક અહીંતહીં જ છે,

બસ એને પામવા એકલવ્ય જેવા શિષ્યની જરૂર હોય છે



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.