Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુરૂને સમર્પિત રચના - ગુરૂદક્ષિણા


  • Published By :
  • Published Date : 2024-07-20 16:55:13

દરેકના જીવનમાં જેટલું મહત્વ માતા પિતાનું હોય છે તેટલી જ જરૂર બાળકને શિક્ષકની હોય છે.. ગુરૂની હોય છે.. ગુનો અર્થ થાય છે અંધારૂં અને રૂનો અર્થ થાય છે દૂર કરનાર..અંધારામાંથી આપણને બહાર લાવે તેમને ગુરૂ કહેવામાં આવે છે.. ગુરૂ આપણને ઘણું બધુ શીખવાડતા હોય છે. જીવનમાં જ્યારે હતાશ થઈએ, આગળ કેવી રીતે વધવું તેની ખબર ના પડે ત્યારે ગૂરૂ આપણું માર્ગદર્શન કરતા હોય છે. આવતી કાલે ગુરૂપૂર્ણિમા છે.. ગુરૂનો મહિમા ગાવાનો દિવસ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુરૂ અને શિષ્યના સંબંધોને દર્શાવતી રચનાને.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..



પુષ્પને ખિલવા પ્રકાશ અને પાણીની જરૂર હોય છે,

એક નવજાત શિશુને સાચી સલાહની જરૂર હોય છે.


વેલને વધવા સહારાની જરૂર હોય છે,

પ્રગતિને પામવા પડકારની જરૂર હોય છે..


આમ તો સંસાર ચાલ્યા જ કરે છે!

બસ એને સુખી રીતે ચલાવવા એક ગુરૂની જરૂર હોય છે


અભ્યાસની કસોટીમાં આંકડાની જરૂર હોય છે,

જિંદગીની પરીક્ષામાં એક અનુભવીની જરૂર હોય છે


સઘળું દીઠું છે આ જગમાં જાણીને

ગુરૂદક્ષિણ અંતરમનથી દે એ ભાવની જરૂર હોય છે


ગુરૂદ્રોણ હજી પણ ક્યાંક અહીંતહીં જ છે,

બસ એને પામવા એકલવ્ય જેવા શિષ્યની જરૂર હોય છે



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .