Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુરૂને સમર્પિત રચના - ગુરૂદક્ષિણા


  • Published By :
  • Published Date : 2024-07-20 16:55:13

દરેકના જીવનમાં જેટલું મહત્વ માતા પિતાનું હોય છે તેટલી જ જરૂર બાળકને શિક્ષકની હોય છે.. ગુરૂની હોય છે.. ગુનો અર્થ થાય છે અંધારૂં અને રૂનો અર્થ થાય છે દૂર કરનાર..અંધારામાંથી આપણને બહાર લાવે તેમને ગુરૂ કહેવામાં આવે છે.. ગુરૂ આપણને ઘણું બધુ શીખવાડતા હોય છે. જીવનમાં જ્યારે હતાશ થઈએ, આગળ કેવી રીતે વધવું તેની ખબર ના પડે ત્યારે ગૂરૂ આપણું માર્ગદર્શન કરતા હોય છે. આવતી કાલે ગુરૂપૂર્ણિમા છે.. ગુરૂનો મહિમા ગાવાનો દિવસ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુરૂ અને શિષ્યના સંબંધોને દર્શાવતી રચનાને.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..



પુષ્પને ખિલવા પ્રકાશ અને પાણીની જરૂર હોય છે,

એક નવજાત શિશુને સાચી સલાહની જરૂર હોય છે.


વેલને વધવા સહારાની જરૂર હોય છે,

પ્રગતિને પામવા પડકારની જરૂર હોય છે..


આમ તો સંસાર ચાલ્યા જ કરે છે!

બસ એને સુખી રીતે ચલાવવા એક ગુરૂની જરૂર હોય છે


અભ્યાસની કસોટીમાં આંકડાની જરૂર હોય છે,

જિંદગીની પરીક્ષામાં એક અનુભવીની જરૂર હોય છે


સઘળું દીઠું છે આ જગમાં જાણીને

ગુરૂદક્ષિણ અંતરમનથી દે એ ભાવની જરૂર હોય છે


ગુરૂદ્રોણ હજી પણ ક્યાંક અહીંતહીં જ છે,

બસ એને પામવા એકલવ્ય જેવા શિષ્યની જરૂર હોય છે



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.