Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વૃક્ષને સમર્પિત રચના - ઝાડ થકી તો ધરતી આખી સ્વર્ગ બની લહેરાય


  • Published By :
  • Published Date : 2024-05-21 11:27:58

એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ તેવી વાતો સાંભળી હશે.. વૃક્ષોને કારણે પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહે છે.. વૃક્ષો છે તો પ્રકૃતિ છે.. વૃક્ષ આપણને છાંયડો આપે છે, ફળ આપે છે, ઓક્સિજન આપે છે વગેરે વગેરે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વૃક્ષોને સમર્પિત રચના..  આ રચનાના કવિ કોણ છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને જણાવો કમેન્ટમાં..  


ઝાડ મારા છે કુળનાં દીપક,

ઝાડનું છે બહુમાન

ઝાડ થકી તો ધરતી આખી

સ્વર્ગ બની લહેરાય


ઝાડ થકી છે દિન રે મારો

ઝાડ થકી છે સાંજ

ઝાડ વિના તો ધરતી આખી

થઈ જાશે વેરાન


મકાનોની લ્હાયમાં માણસ,

ઝાડને ભૂલતો જાય

શહેર માટે જંગલ આખાં

જીવતાં ગળી જાય.


ઝાડ કાજે તો નભના ભીનાં

વાદળ ગીતો ગાય

આવાં ભોળાં વૃક્ષો ઉપર

કરવત કેમ મૂકાય


ઝાડના લીધે નદીઓ સાગર

પાણીથી રેલાય

મોર, પપીહા, કોયલ, મીઠાં

કૂંજે ઝુલા ખાય


છાંયો આપે, ઈંધણ આપે

આપે ફળનું દાન

ઝાડ તો આપણી સંસ્કૃતિના 

વેદ કુરાન કહેવાય



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .