Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વૃક્ષને સમર્પિત રચના - ઝાડ થકી તો ધરતી આખી સ્વર્ગ બની લહેરાય


  • Published By :
  • Published Date : 2024-05-21 11:27:58

એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ તેવી વાતો સાંભળી હશે.. વૃક્ષોને કારણે પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહે છે.. વૃક્ષો છે તો પ્રકૃતિ છે.. વૃક્ષ આપણને છાંયડો આપે છે, ફળ આપે છે, ઓક્સિજન આપે છે વગેરે વગેરે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વૃક્ષોને સમર્પિત રચના..  આ રચનાના કવિ કોણ છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને જણાવો કમેન્ટમાં..  


ઝાડ મારા છે કુળનાં દીપક,

ઝાડનું છે બહુમાન

ઝાડ થકી તો ધરતી આખી

સ્વર્ગ બની લહેરાય


ઝાડ થકી છે દિન રે મારો

ઝાડ થકી છે સાંજ

ઝાડ વિના તો ધરતી આખી

થઈ જાશે વેરાન


મકાનોની લ્હાયમાં માણસ,

ઝાડને ભૂલતો જાય

શહેર માટે જંગલ આખાં

જીવતાં ગળી જાય.


ઝાડ કાજે તો નભના ભીનાં

વાદળ ગીતો ગાય

આવાં ભોળાં વૃક્ષો ઉપર

કરવત કેમ મૂકાય


ઝાડના લીધે નદીઓ સાગર

પાણીથી રેલાય

મોર, પપીહા, કોયલ, મીઠાં

કૂંજે ઝુલા ખાય


છાંયો આપે, ઈંધણ આપે

આપે ફળનું દાન

ઝાડ તો આપણી સંસ્કૃતિના 

વેદ કુરાન કહેવાય



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.