Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના - કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !


  • Published By :
  • Published Date : 2024-08-27 18:03:25

હાલ વરસાદી માહોલ સમગ્ર રાજ્યમાં જામ્યો છે. વરસાદ સિઝન એવી છે જે મોટા ભાગના લોકોને પસંદ હોય છે. વરસાદની સિઝનમાં પ્રકૃતિ પણ સોળે કલાકે ખીલતી હોય છે. પહેલાના લોકોને વરસાદમાં ભીંજાવું ગમતું હતું પરંતુ હવેના લોકોને વરસાદ બહુ નથી ગમતો.. જો વરસાદમાં ભીંજાઈ જાય તો પણ તે મોઢું બગાડે.. પહેલા નાના બાળકો પણ વરસાદમાં ન્હાવા જતા હતા પરંતુ હવે વરસાદમાં રમતા જોવા નથી મળતા. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વરસાદને સમર્પિત આદિલ મનસુરીના રચના..      



કેટલી   માદકતા  સંતાઈ   હતી   વરસાદમાં !

મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી  વરસાદમાં !


રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ

માનવીએ  કેટલી   ભીંતો   ચણી  વરસાદમાં !


કેટલો  ફિક્કો  અને  નિસ્તેજ  છે  બીમાર ચાંદ

કેટલી  ઝાંખી  પડી  ગઈ  ચાંદની  વરસાદમાં !


કોઈ  આવે  છે  ન  કોઈ  જાય છે સંધ્યા થતાં

કેટલી  સૂની  પડી  ગઈ  છે  ગલી વરસાદમાં !


એક તું છે કે તને  કંઇ  પણ નથી થાતી અસર,

ભેટવા  દરિયાને  ઊછળે  છે  નદી વરસાદમાં.


લાખ  બચવાના  કર્યા  એણે  પ્રયત્નો  તે છતાં

છેવટે  ‘આદિલ’ હવા  પલળી  ગઇ વરસાદમાં.


– આદિલ મન્સૂરી



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.