Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના - કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !


  • Published By :
  • Published Date : 2024-08-27 18:03:25

હાલ વરસાદી માહોલ સમગ્ર રાજ્યમાં જામ્યો છે. વરસાદ સિઝન એવી છે જે મોટા ભાગના લોકોને પસંદ હોય છે. વરસાદની સિઝનમાં પ્રકૃતિ પણ સોળે કલાકે ખીલતી હોય છે. પહેલાના લોકોને વરસાદમાં ભીંજાવું ગમતું હતું પરંતુ હવેના લોકોને વરસાદ બહુ નથી ગમતો.. જો વરસાદમાં ભીંજાઈ જાય તો પણ તે મોઢું બગાડે.. પહેલા નાના બાળકો પણ વરસાદમાં ન્હાવા જતા હતા પરંતુ હવે વરસાદમાં રમતા જોવા નથી મળતા. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વરસાદને સમર્પિત આદિલ મનસુરીના રચના..      



કેટલી   માદકતા  સંતાઈ   હતી   વરસાદમાં !

મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી  વરસાદમાં !


રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ

માનવીએ  કેટલી   ભીંતો   ચણી  વરસાદમાં !


કેટલો  ફિક્કો  અને  નિસ્તેજ  છે  બીમાર ચાંદ

કેટલી  ઝાંખી  પડી  ગઈ  ચાંદની  વરસાદમાં !


કોઈ  આવે  છે  ન  કોઈ  જાય છે સંધ્યા થતાં

કેટલી  સૂની  પડી  ગઈ  છે  ગલી વરસાદમાં !


એક તું છે કે તને  કંઇ  પણ નથી થાતી અસર,

ભેટવા  દરિયાને  ઊછળે  છે  નદી વરસાદમાં.


લાખ  બચવાના  કર્યા  એણે  પ્રયત્નો  તે છતાં

છેવટે  ‘આદિલ’ હવા  પલળી  ગઇ વરસાદમાં.


– આદિલ મન્સૂરી



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."