Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના - કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !


  • Published By :
  • Published Date : 2024-08-27 18:03:25

હાલ વરસાદી માહોલ સમગ્ર રાજ્યમાં જામ્યો છે. વરસાદ સિઝન એવી છે જે મોટા ભાગના લોકોને પસંદ હોય છે. વરસાદની સિઝનમાં પ્રકૃતિ પણ સોળે કલાકે ખીલતી હોય છે. પહેલાના લોકોને વરસાદમાં ભીંજાવું ગમતું હતું પરંતુ હવેના લોકોને વરસાદ બહુ નથી ગમતો.. જો વરસાદમાં ભીંજાઈ જાય તો પણ તે મોઢું બગાડે.. પહેલા નાના બાળકો પણ વરસાદમાં ન્હાવા જતા હતા પરંતુ હવે વરસાદમાં રમતા જોવા નથી મળતા. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વરસાદને સમર્પિત આદિલ મનસુરીના રચના..      



કેટલી   માદકતા  સંતાઈ   હતી   વરસાદમાં !

મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી  વરસાદમાં !


રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ

માનવીએ  કેટલી   ભીંતો   ચણી  વરસાદમાં !


કેટલો  ફિક્કો  અને  નિસ્તેજ  છે  બીમાર ચાંદ

કેટલી  ઝાંખી  પડી  ગઈ  ચાંદની  વરસાદમાં !


કોઈ  આવે  છે  ન  કોઈ  જાય છે સંધ્યા થતાં

કેટલી  સૂની  પડી  ગઈ  છે  ગલી વરસાદમાં !


એક તું છે કે તને  કંઇ  પણ નથી થાતી અસર,

ભેટવા  દરિયાને  ઊછળે  છે  નદી વરસાદમાં.


લાખ  બચવાના  કર્યા  એણે  પ્રયત્નો  તે છતાં

છેવટે  ‘આદિલ’ હવા  પલળી  ગઇ વરસાદમાં.


– આદિલ મન્સૂરી



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.