Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે બેફામ સાહેબની રચના - નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-15 17:39:52

કલમમાં એવી તાકાત રહેલી છે જેમાં શબ્દોના માધ્યમથી એવું આબેહુબ વર્ણન કરવામાં આવતું હોય છે જેને સાંભળ્યા કે વાંચ્યા બાદ આપણી સમક્ષ એક ચિત્ર ઉભું થઈ જાય. શબ્દોમાં પણ તાકાત રહેલી છે. અને એમાં પણ જ્યારે પ્રેમનું અથવા તો પ્રેમીનું વર્ણન કોઈ કવિ કરે ત્યારે તો કહેવું જ શું... આપણી જિંદગીમાં અનેક લોકો એવા હોય છે જે દોસ્ત પણ નથી થતા અને દુશ્મન પણ નથી થતા. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે બેફામ સાહેબની રચના ...   


નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં,


નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં,

મને સમજાય એવા એના વર્તન પણ નથી થાતાં.


અમારા ભાગ્ય જેમ જ થઇ ગયા છે ભાવ પણ નોખા,

ઉભયના એક જીવન તો શું કે એક મન પણ નથી થાતાં.


જુદાઈથી તો વધારે દુઃખ મને જાગરણનું છે,

મિલન એનું ભલે ન થાય,દર્શન પણ નથી થાતાં.


પ્રણયમાં છુટી શકીએ એવી મુક્તિ તો નથી મળતી,

મગર છુટા ન પડીએ એવાં બંધન પણ નથી થાતાં.


તને ખોયાનું દુઃખ છે કિન્તુ આંસુ કોણ લૂછવાનું?

નથી તું મારી પાસે એથી રુદન પણ નથી થાતાં.


પીવું છે ઝેર શંકર જેમ કિન્તુ કેમ મેળવવું?

જગતના એવાં મૃગઝળ છે કે મંથન પણ નથી થાતાં.


કર્યું પારસ સમું પથ્થર હૃદય બેફામ તોયે શું?

કે સ્પર્શી જાય છે એવાં જે કંચન પણ નથી થાતાં


- બેફામ 



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'