Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે બેફામ સાહેબની રચના - નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં...


  • Published By :
  • Published Date : 2024-03-15 17:39:52

કલમમાં એવી તાકાત રહેલી છે જેમાં શબ્દોના માધ્યમથી એવું આબેહુબ વર્ણન કરવામાં આવતું હોય છે જેને સાંભળ્યા કે વાંચ્યા બાદ આપણી સમક્ષ એક ચિત્ર ઉભું થઈ જાય. શબ્દોમાં પણ તાકાત રહેલી છે. અને એમાં પણ જ્યારે પ્રેમનું અથવા તો પ્રેમીનું વર્ણન કોઈ કવિ કરે ત્યારે તો કહેવું જ શું... આપણી જિંદગીમાં અનેક લોકો એવા હોય છે જે દોસ્ત પણ નથી થતા અને દુશ્મન પણ નથી થતા. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે બેફામ સાહેબની રચના ...   


નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં,


નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં,

મને સમજાય એવા એના વર્તન પણ નથી થાતાં.


અમારા ભાગ્ય જેમ જ થઇ ગયા છે ભાવ પણ નોખા,

ઉભયના એક જીવન તો શું કે એક મન પણ નથી થાતાં.


જુદાઈથી તો વધારે દુઃખ મને જાગરણનું છે,

મિલન એનું ભલે ન થાય,દર્શન પણ નથી થાતાં.


પ્રણયમાં છુટી શકીએ એવી મુક્તિ તો નથી મળતી,

મગર છુટા ન પડીએ એવાં બંધન પણ નથી થાતાં.


તને ખોયાનું દુઃખ છે કિન્તુ આંસુ કોણ લૂછવાનું?

નથી તું મારી પાસે એથી રુદન પણ નથી થાતાં.


પીવું છે ઝેર શંકર જેમ કિન્તુ કેમ મેળવવું?

જગતના એવાં મૃગઝળ છે કે મંથન પણ નથી થાતાં.


કર્યું પારસ સમું પથ્થર હૃદય બેફામ તોયે શું?

કે સ્પર્શી જાય છે એવાં જે કંચન પણ નથી થાતાં


- બેફામ 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.