Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે બેફામ સાહેબની રચના - નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં...


  • Published By :
  • Published Date : 2024-03-15 17:39:52

કલમમાં એવી તાકાત રહેલી છે જેમાં શબ્દોના માધ્યમથી એવું આબેહુબ વર્ણન કરવામાં આવતું હોય છે જેને સાંભળ્યા કે વાંચ્યા બાદ આપણી સમક્ષ એક ચિત્ર ઉભું થઈ જાય. શબ્દોમાં પણ તાકાત રહેલી છે. અને એમાં પણ જ્યારે પ્રેમનું અથવા તો પ્રેમીનું વર્ણન કોઈ કવિ કરે ત્યારે તો કહેવું જ શું... આપણી જિંદગીમાં અનેક લોકો એવા હોય છે જે દોસ્ત પણ નથી થતા અને દુશ્મન પણ નથી થતા. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે બેફામ સાહેબની રચના ...   


નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં,


નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં,

મને સમજાય એવા એના વર્તન પણ નથી થાતાં.


અમારા ભાગ્ય જેમ જ થઇ ગયા છે ભાવ પણ નોખા,

ઉભયના એક જીવન તો શું કે એક મન પણ નથી થાતાં.


જુદાઈથી તો વધારે દુઃખ મને જાગરણનું છે,

મિલન એનું ભલે ન થાય,દર્શન પણ નથી થાતાં.


પ્રણયમાં છુટી શકીએ એવી મુક્તિ તો નથી મળતી,

મગર છુટા ન પડીએ એવાં બંધન પણ નથી થાતાં.


તને ખોયાનું દુઃખ છે કિન્તુ આંસુ કોણ લૂછવાનું?

નથી તું મારી પાસે એથી રુદન પણ નથી થાતાં.


પીવું છે ઝેર શંકર જેમ કિન્તુ કેમ મેળવવું?

જગતના એવાં મૃગઝળ છે કે મંથન પણ નથી થાતાં.


કર્યું પારસ સમું પથ્થર હૃદય બેફામ તોયે શું?

કે સ્પર્શી જાય છે એવાં જે કંચન પણ નથી થાતાં


- બેફામ 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે