Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે બેફામ સાહેબની રચના - નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં...


  • Published By :
  • Published Date : 2024-03-15 17:39:52

કલમમાં એવી તાકાત રહેલી છે જેમાં શબ્દોના માધ્યમથી એવું આબેહુબ વર્ણન કરવામાં આવતું હોય છે જેને સાંભળ્યા કે વાંચ્યા બાદ આપણી સમક્ષ એક ચિત્ર ઉભું થઈ જાય. શબ્દોમાં પણ તાકાત રહેલી છે. અને એમાં પણ જ્યારે પ્રેમનું અથવા તો પ્રેમીનું વર્ણન કોઈ કવિ કરે ત્યારે તો કહેવું જ શું... આપણી જિંદગીમાં અનેક લોકો એવા હોય છે જે દોસ્ત પણ નથી થતા અને દુશ્મન પણ નથી થતા. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે બેફામ સાહેબની રચના ...   


નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં,


નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં,

મને સમજાય એવા એના વર્તન પણ નથી થાતાં.


અમારા ભાગ્ય જેમ જ થઇ ગયા છે ભાવ પણ નોખા,

ઉભયના એક જીવન તો શું કે એક મન પણ નથી થાતાં.


જુદાઈથી તો વધારે દુઃખ મને જાગરણનું છે,

મિલન એનું ભલે ન થાય,દર્શન પણ નથી થાતાં.


પ્રણયમાં છુટી શકીએ એવી મુક્તિ તો નથી મળતી,

મગર છુટા ન પડીએ એવાં બંધન પણ નથી થાતાં.


તને ખોયાનું દુઃખ છે કિન્તુ આંસુ કોણ લૂછવાનું?

નથી તું મારી પાસે એથી રુદન પણ નથી થાતાં.


પીવું છે ઝેર શંકર જેમ કિન્તુ કેમ મેળવવું?

જગતના એવાં મૃગઝળ છે કે મંથન પણ નથી થાતાં.


કર્યું પારસ સમું પથ્થર હૃદય બેફામ તોયે શું?

કે સ્પર્શી જાય છે એવાં જે કંચન પણ નથી થાતાં


- બેફામ 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.