Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચિનુ મોદીની રચના - કોણ પૂછે તો કહું કે આ ઉદાસી..


  • Published By :
  • Published Date : 2024-08-21 18:38:34

અનેક લોકો એવા હોય છે જે કારણ વગર ઉદાસ હોય છે.. જીવનમાં કોઈ ગમ ના હોય તો પણ તેઓ પોતાના જીવથી નાખુશ હોય છે. બધુ બરાબર હોય જીવનમાં તો પણ તે ખુશ ના હોય. કોઈની યાદ આવે તો પણ મન ઉદાસ થઈ જાય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચિનુ મોદીની રચના..    


કોણ પૂછે તો કહું કે આ ઉદાસી કેમ છે ?

ગામ, શેરી ને પછી ઘર કુશળ છે, ક્ષેમ છે.


જે હતાં લીલાં હવે સૂકાં થયાં, ઓ ડાળખી!

પાંદડાંને કારણે પોપટ હતા – નો વ્હેમ છે.


બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ

નામ સરનામા વગરના કાગળોની જેમ છે.


હું તને મારી ગઝલ દ્વારા ફક્ત ચાહી શકું

એ સમે આ શબ્દ સાલા સાવ ટાઢા હેમ છે.


થાય છે કાયા વગરનો એક પડછાયો હવે

શેખજી! ‘ઈર્શાદગઢ’નો એ નવો હાકેમ છે.


– ચિનુ મોદી



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી