Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચિનુ મોદીની રચના - કોણ પૂછે તો કહું કે આ ઉદાસી..


  • Published By :
  • Published Date : 2024-08-21 18:38:34

અનેક લોકો એવા હોય છે જે કારણ વગર ઉદાસ હોય છે.. જીવનમાં કોઈ ગમ ના હોય તો પણ તેઓ પોતાના જીવથી નાખુશ હોય છે. બધુ બરાબર હોય જીવનમાં તો પણ તે ખુશ ના હોય. કોઈની યાદ આવે તો પણ મન ઉદાસ થઈ જાય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચિનુ મોદીની રચના..    


કોણ પૂછે તો કહું કે આ ઉદાસી કેમ છે ?

ગામ, શેરી ને પછી ઘર કુશળ છે, ક્ષેમ છે.


જે હતાં લીલાં હવે સૂકાં થયાં, ઓ ડાળખી!

પાંદડાંને કારણે પોપટ હતા – નો વ્હેમ છે.


બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ

નામ સરનામા વગરના કાગળોની જેમ છે.


હું તને મારી ગઝલ દ્વારા ફક્ત ચાહી શકું

એ સમે આ શબ્દ સાલા સાવ ટાઢા હેમ છે.


થાય છે કાયા વગરનો એક પડછાયો હવે

શેખજી! ‘ઈર્શાદગઢ’નો એ નવો હાકેમ છે.


– ચિનુ મોદી



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.