Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - આ જિંદગી છે તમારી, તમે જ સંભાળી જુઓ


  • Published By :
  • Published Date : 2024-08-07 17:14:21

અનેક લોકો કંઈ પણ કરતા પહેલા વિચારતા હોય છે કે લોકો શું કહેશે.. લોકોનું વિચારીને કંઈક આગળ કરવાનું અનેક લોકો ટાળી પણ દેતા હોય છે. પોતાના પ્રમાણે જીવવાની અલગ જ મજા આવશે માત્ર લોકો શું કહેશે તેની પરવાહ કરવાની નથી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે જીવનને સમર્પિત રચના. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.  


આ જિંદગી છે તમારી, તમે જ સંભાળી જુઓ

ચાર લોકો શું કહેશે એ વાત મનમાંથી કાઢી જુઓ


લાશને કંધો દેવા પડાપડી કરે હર કોઈ

જીવતાને સપોર્ટ કરવા આવે ના કોઈ


મજા આવશે સ્વભાવમાં જીવવાની જિંદગી

શાને કોઈના અભાવ કે પ્રભાવમાં જીવવાની જિંદગી


નમક મળે આજે ઘેર ઘેર

મલમ ના મળે એકેય ઘેર

માટે તૂટશે એ ફેંકાશે અહીં

પ્રેક્ટીકલ હશે એ જ ચાલશે અહીં


આ જિંદગી છે તમારી, તમે જ સંભાળી જુઓ

ચાર લોકો શું કહેશે એ વાત મનમાંથી કાઢી જુઓ 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.