Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - આ જિંદગી છે તમારી, તમે જ સંભાળી જુઓ


  • Published By :
  • Published Date : 2024-08-07 17:14:21

અનેક લોકો કંઈ પણ કરતા પહેલા વિચારતા હોય છે કે લોકો શું કહેશે.. લોકોનું વિચારીને કંઈક આગળ કરવાનું અનેક લોકો ટાળી પણ દેતા હોય છે. પોતાના પ્રમાણે જીવવાની અલગ જ મજા આવશે માત્ર લોકો શું કહેશે તેની પરવાહ કરવાની નથી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે જીવનને સમર્પિત રચના. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.  


આ જિંદગી છે તમારી, તમે જ સંભાળી જુઓ

ચાર લોકો શું કહેશે એ વાત મનમાંથી કાઢી જુઓ


લાશને કંધો દેવા પડાપડી કરે હર કોઈ

જીવતાને સપોર્ટ કરવા આવે ના કોઈ


મજા આવશે સ્વભાવમાં જીવવાની જિંદગી

શાને કોઈના અભાવ કે પ્રભાવમાં જીવવાની જિંદગી


નમક મળે આજે ઘેર ઘેર

મલમ ના મળે એકેય ઘેર

માટે તૂટશે એ ફેંકાશે અહીં

પ્રેક્ટીકલ હશે એ જ ચાલશે અહીં


આ જિંદગી છે તમારી, તમે જ સંભાળી જુઓ

ચાર લોકો શું કહેશે એ વાત મનમાંથી કાઢી જુઓ 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.