Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે અમૃત ઘાયલની રચના - વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !


  • Published By :
  • Published Date : 2024-03-22 16:43:23

પાણી છે તો જીવન છે... પાણી અમુલ્ય છે તેને વેડફવું ના જોઈએ. પાણીનું મૂલ્ય શું છે તેની જાણ આપણને હોવી જોઈએ પરંતુ કમનસીબે આપણામાંથી અનેક એવા હશે જે પાણીને સમજ્યા વિચાર્યા વગર વાપરી દેતા હોય છે. પાણીની કિંમત કદાચ આપણને નથી કારણ કે આપણને પાણી સરળતાથી મળી જાય છે. પરંતુ પાણીના એક બુંદની કિંમત શું છે તે એ લોકોને પૂછો જેમને પાણી મેળવવા માટે સંર્ઘર્ષ કરવો પડે છે. આજે વિશ્વ જળ દિવસ છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અમૃત ઘાયલની રચના...   


વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

ભાંભરું તોયે ભીંજવે ભાવે,

વણબોલાવ્યું દોડતું આવે

હોય ભલે ના આંખની ઓળખ,

તાણ કરીને જાય એ તાણી,

વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !


જાય હિલોળા હરખે લેતું,

હેતની તાળી હેતથી દેતું.

હેત હરખની અસલી વાતું,

અસલી વાતું જાય ન નાણી,

વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !


આગવી બોલી બોલતું જાયે,

પંખી જેમ કલ્લોલતું જાયે,

ગુંજતું જાયે ફૂલનું ગાણું,

વેરતું જાયે રંગની વાણી,

વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !


સ્નેહનું પાણી શૂરનું પાણી,

પોતાના પ્રચંડ પૂરનું પાણી,

હસતું રમતું રણમાં દીઠું,

સત અને સિન્દૂરનું પાણી,

વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !


– અમૃત ‘ઘાયલ’



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે