Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે અમૃત ઘાયલની રચના - વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-22 16:43:23

પાણી છે તો જીવન છે... પાણી અમુલ્ય છે તેને વેડફવું ના જોઈએ. પાણીનું મૂલ્ય શું છે તેની જાણ આપણને હોવી જોઈએ પરંતુ કમનસીબે આપણામાંથી અનેક એવા હશે જે પાણીને સમજ્યા વિચાર્યા વગર વાપરી દેતા હોય છે. પાણીની કિંમત કદાચ આપણને નથી કારણ કે આપણને પાણી સરળતાથી મળી જાય છે. પરંતુ પાણીના એક બુંદની કિંમત શું છે તે એ લોકોને પૂછો જેમને પાણી મેળવવા માટે સંર્ઘર્ષ કરવો પડે છે. આજે વિશ્વ જળ દિવસ છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અમૃત ઘાયલની રચના...   


વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

ભાંભરું તોયે ભીંજવે ભાવે,

વણબોલાવ્યું દોડતું આવે

હોય ભલે ના આંખની ઓળખ,

તાણ કરીને જાય એ તાણી,

વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !


જાય હિલોળા હરખે લેતું,

હેતની તાળી હેતથી દેતું.

હેત હરખની અસલી વાતું,

અસલી વાતું જાય ન નાણી,

વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !


આગવી બોલી બોલતું જાયે,

પંખી જેમ કલ્લોલતું જાયે,

ગુંજતું જાયે ફૂલનું ગાણું,

વેરતું જાયે રંગની વાણી,

વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !


સ્નેહનું પાણી શૂરનું પાણી,

પોતાના પ્રચંડ પૂરનું પાણી,

હસતું રમતું રણમાં દીઠું,

સત અને સિન્દૂરનું પાણી,

વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !


– અમૃત ‘ઘાયલ’



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'