Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે જુગલ દરજીની રચના - યુવા બેકાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે


  • Published By :
  • Published Date : 2024-01-12 12:06:47

બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા શબ્દો હવે સામાન્ય બની ગયા છે. અનેક યુવાનો છે જે બેરોજગારીનો સામનો કરી રહ્યા હશે. ભણતર હશે પરંતુ નોકરી નહીં મળતી હોય. અનેક લોકો હશે જે ભૂખ્યા હશે, અનેક બાળકો હશે જેમને બે ટાઈમ જમવાનું પણ નસીબ નહીં થતું હોય. ત્યારે સાહિત્યની સમીપમાં આજે જુગલ દરજીની રચના પ્રસ્તૂત કરવી છે. 


જુગલ દરજીની છે આ રચના 

જે રચના પ્રસ્તુત કરવામાં આવી છે તેમાં કવિ કયા વિષયો પર નથી લખી શકતો તેની વાત કરવાાં આવી છે. કવિના હાથ ત્યારે ધ્રુજે છે જ્યારે કવિ લૂલી સરકાર પર લખે છે, યુવા બેકાર પર જ્યારે કવિ લખે છે ત્યારે તેમનો હાથ ધ્રુજે છે તેવી વાત કવિ દ્વારા રજૂ કરવામાં આવી છે.      


કવિના હાથ ધ્રુજે છે...

ખડગની ધાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે,

લૂલી સરકાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે.


યુવા બેકાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે

ભૂખ્યા ઘરબાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે


એ સ્ત્રીઓના અલંકારો અને બસ રૂપ પર લખશે, 

પણ અત્યાચાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે


કે લીલી કૂપંળો 'ને કેસરી કળીઓ હણે એવી,

ખૂલી તલવાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે.


ભલામણને ભઈબાપા કરી એવોર્ડ લીધા છે,

કે ભ્રષ્ટાચાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે... 


- જુગલ દરજી  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.