Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે જુગલ દરજીની રચના - યુવા બેકાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે


  • Published By :
  • Published Date : 2024-01-12 12:06:47

બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા શબ્દો હવે સામાન્ય બની ગયા છે. અનેક યુવાનો છે જે બેરોજગારીનો સામનો કરી રહ્યા હશે. ભણતર હશે પરંતુ નોકરી નહીં મળતી હોય. અનેક લોકો હશે જે ભૂખ્યા હશે, અનેક બાળકો હશે જેમને બે ટાઈમ જમવાનું પણ નસીબ નહીં થતું હોય. ત્યારે સાહિત્યની સમીપમાં આજે જુગલ દરજીની રચના પ્રસ્તૂત કરવી છે. 


જુગલ દરજીની છે આ રચના 

જે રચના પ્રસ્તુત કરવામાં આવી છે તેમાં કવિ કયા વિષયો પર નથી લખી શકતો તેની વાત કરવાાં આવી છે. કવિના હાથ ત્યારે ધ્રુજે છે જ્યારે કવિ લૂલી સરકાર પર લખે છે, યુવા બેકાર પર જ્યારે કવિ લખે છે ત્યારે તેમનો હાથ ધ્રુજે છે તેવી વાત કવિ દ્વારા રજૂ કરવામાં આવી છે.      


કવિના હાથ ધ્રુજે છે...

ખડગની ધાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે,

લૂલી સરકાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે.


યુવા બેકાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે

ભૂખ્યા ઘરબાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે


એ સ્ત્રીઓના અલંકારો અને બસ રૂપ પર લખશે, 

પણ અત્યાચાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે


કે લીલી કૂપંળો 'ને કેસરી કળીઓ હણે એવી,

ખૂલી તલવાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે.


ભલામણને ભઈબાપા કરી એવોર્ડ લીધા છે,

કે ભ્રષ્ટાચાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે... 


- જુગલ દરજી  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.