Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે જુગલ દરજીની રચના - યુવા બેકાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે


  • Published By :
  • Published Date : 2024-01-12 12:06:47

બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા શબ્દો હવે સામાન્ય બની ગયા છે. અનેક યુવાનો છે જે બેરોજગારીનો સામનો કરી રહ્યા હશે. ભણતર હશે પરંતુ નોકરી નહીં મળતી હોય. અનેક લોકો હશે જે ભૂખ્યા હશે, અનેક બાળકો હશે જેમને બે ટાઈમ જમવાનું પણ નસીબ નહીં થતું હોય. ત્યારે સાહિત્યની સમીપમાં આજે જુગલ દરજીની રચના પ્રસ્તૂત કરવી છે. 


જુગલ દરજીની છે આ રચના 

જે રચના પ્રસ્તુત કરવામાં આવી છે તેમાં કવિ કયા વિષયો પર નથી લખી શકતો તેની વાત કરવાાં આવી છે. કવિના હાથ ત્યારે ધ્રુજે છે જ્યારે કવિ લૂલી સરકાર પર લખે છે, યુવા બેકાર પર જ્યારે કવિ લખે છે ત્યારે તેમનો હાથ ધ્રુજે છે તેવી વાત કવિ દ્વારા રજૂ કરવામાં આવી છે.      


કવિના હાથ ધ્રુજે છે...

ખડગની ધાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે,

લૂલી સરકાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે.


યુવા બેકાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે

ભૂખ્યા ઘરબાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે


એ સ્ત્રીઓના અલંકારો અને બસ રૂપ પર લખશે, 

પણ અત્યાચાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે


કે લીલી કૂપંળો 'ને કેસરી કળીઓ હણે એવી,

ખૂલી તલવાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે.


ભલામણને ભઈબાપા કરી એવોર્ડ લીધા છે,

કે ભ્રષ્ટાચાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે... 


- જુગલ દરજી  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે