Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે ખલીલ ધનતેજવીની રચના - ખલીલ, સૌમાં રહ્યો છે માણસ ને માણસાઈ મરી ચૂકી છે....


  • Published By :
  • Published Date : 2024-01-24 17:08:57

માણસને એક શક્તિ આપવામાં આવી છે પ્રશ્ન પૂછવાની.. માણસ તર્ક વિતર્ક કરી શકે છે અને તેથી જ તે બધાથી અલગ છે. માણસ જ્યારે વિચારવાનું બંધ કરી દે છે જે ત્યારે અનેક પ્રશ્નો ઉભા થાય છે. માત્ર પ્રશ્ન કરવાનો સવાલ નથી પરંતુ પ્રશ્ન કોની સામે કરો છો તે પણ અગત્યનું છે. અનેક લોકોને કહેતા સાંભળ્યા હશે કે લોકોને મદદ કરવી જોઈએ, માણસાઈને જીવતી રાખવી જોઈએ વગેરે વગેરે... પરંતુ જ્યારે મદદની વાત આવે ત્યારે, અથવા તો માણસાઈ દેખાડવાની વાત આવે ત્યારે લોકો આગળ નથી આવતા. ત્યારે સાહિત્યના સમીપમાં આજે ખલીલ ધનતેજવીની રચના પ્રસ્તુત કરવી છે.  

 

 

હજાર પ્રશ્નો છે સૌની પાસે, બધાને પૂછો શું પૂછવું છે


નદીને પૂછો, ગગનને પૂછો, ધરાને પૂછો શું પૂછવું છે,

હજાર પ્રશ્નો છે સૌની પાસે, બધાને પૂછો શું પૂછવું છે.


નથી અમે કંઈ અમારા ઘરમાં ઉછીનું અજવાળું લઈને બેઠા,

અમારા દીવા સળગતા રહેશે હવાને પૂછો શું પૂછવું છે.


અમારી નેકી-બદીનો આખો હિસાબ મોઢે કરી લીધો છે,

ઉઠો ફરીશ્તા, તમે તમારા ખુદાને પૂછો શું પૂછવું છે.


અમારા જખ્મો, અમારી પીડા, અમારી બીમારી ત્યાંની ત્યાં છે,

તબીબ પાસે જવાબ માગો, દવાને પૂછો શું પૂછવું છે.


સફર છે લાંબી ને રસ્તો ટૂંકો, છે રાત થોડી ને વેશ ઝાઝા,

કરી આ કોણે દશા અમારી દિશાને પૂછો શું પૂછવું છે.


દરેક વાતે કશુંક ખૂટે, વિચાર ટાંકો ને ટેભાં તૂટે,

યુગોથી બેઠી છે આ પનોતી, દશાને પૂછો શું પૂછવું છે.


ખલીલ, સૌમાં રહ્યો છે માણસ ને માણસાઈ મરી ચૂકી છે,

હયાતી પાસે જવાબ ક્યાં છે, ફનાને પૂછો શું પૂછવું છે.


– ખલીલ ધનતેજવી



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે