Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે ખલીલ ધનતેજવીની રચના - ખલીલ, સૌમાં રહ્યો છે માણસ ને માણસાઈ મરી ચૂકી છે....


  • Published By :
  • Published Date : 2024-01-24 17:08:57

માણસને એક શક્તિ આપવામાં આવી છે પ્રશ્ન પૂછવાની.. માણસ તર્ક વિતર્ક કરી શકે છે અને તેથી જ તે બધાથી અલગ છે. માણસ જ્યારે વિચારવાનું બંધ કરી દે છે જે ત્યારે અનેક પ્રશ્નો ઉભા થાય છે. માત્ર પ્રશ્ન કરવાનો સવાલ નથી પરંતુ પ્રશ્ન કોની સામે કરો છો તે પણ અગત્યનું છે. અનેક લોકોને કહેતા સાંભળ્યા હશે કે લોકોને મદદ કરવી જોઈએ, માણસાઈને જીવતી રાખવી જોઈએ વગેરે વગેરે... પરંતુ જ્યારે મદદની વાત આવે ત્યારે, અથવા તો માણસાઈ દેખાડવાની વાત આવે ત્યારે લોકો આગળ નથી આવતા. ત્યારે સાહિત્યના સમીપમાં આજે ખલીલ ધનતેજવીની રચના પ્રસ્તુત કરવી છે.  

 

 

હજાર પ્રશ્નો છે સૌની પાસે, બધાને પૂછો શું પૂછવું છે


નદીને પૂછો, ગગનને પૂછો, ધરાને પૂછો શું પૂછવું છે,

હજાર પ્રશ્નો છે સૌની પાસે, બધાને પૂછો શું પૂછવું છે.


નથી અમે કંઈ અમારા ઘરમાં ઉછીનું અજવાળું લઈને બેઠા,

અમારા દીવા સળગતા રહેશે હવાને પૂછો શું પૂછવું છે.


અમારી નેકી-બદીનો આખો હિસાબ મોઢે કરી લીધો છે,

ઉઠો ફરીશ્તા, તમે તમારા ખુદાને પૂછો શું પૂછવું છે.


અમારા જખ્મો, અમારી પીડા, અમારી બીમારી ત્યાંની ત્યાં છે,

તબીબ પાસે જવાબ માગો, દવાને પૂછો શું પૂછવું છે.


સફર છે લાંબી ને રસ્તો ટૂંકો, છે રાત થોડી ને વેશ ઝાઝા,

કરી આ કોણે દશા અમારી દિશાને પૂછો શું પૂછવું છે.


દરેક વાતે કશુંક ખૂટે, વિચાર ટાંકો ને ટેભાં તૂટે,

યુગોથી બેઠી છે આ પનોતી, દશાને પૂછો શું પૂછવું છે.


ખલીલ, સૌમાં રહ્યો છે માણસ ને માણસાઈ મરી ચૂકી છે,

હયાતી પાસે જવાબ ક્યાં છે, ફનાને પૂછો શું પૂછવું છે.


– ખલીલ ધનતેજવી



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.