Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ખલીલ ધનતેજવીની રચના - જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે....


  • Published By :
  • Published Date : 2024-08-06 17:21:10

કોઈના દિલમાં આપણું સ્થાન હોવું તે સારી વાત છે પરંતુ કોઈની પ્રાર્થનામાં આપણું સ્થાન હોવું તે થોડી જુદી વાત છે.. આપણા માટે કોઈ બીજો પ્રાર્થના કરે તેનાથી મોટી વાત બીજી હોઈ જ ના શકે.. એકબીજાના જીવનમાં રોશની થાય તેવી આશા રાખીએ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ખલીલ ધનતેજવીની રચના... 


જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે,

ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે!


યાદ જ્યારે પણ તમે આવ્યાં, દુવા માગી છે મેં,

જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે!


એ રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત,

ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે!


મેં તમારા માટે એવી પણ કરી છત પર જગ્યા,

ચાંદ મારી પાસે આવે ચાંદની તમને મળે


આપણે બંને પરસ્પર એવી ઇચ્છા રાખીએ,

દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે!


જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,

એક ક્ષણ માગો અને આખી સદી તમને મળે!


એની સખીઓ જીદ કરે છે કે અમે પણ આવશું.

જો તમે ઇચ્છો ખલીલ એ એકલી તમને મળે!


– ખલીલ ધનતેજવી



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.