Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ખલીલ ધનતેજવીની રચના - જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે....


  • Published By :
  • Published Date : 2024-08-06 17:21:10

કોઈના દિલમાં આપણું સ્થાન હોવું તે સારી વાત છે પરંતુ કોઈની પ્રાર્થનામાં આપણું સ્થાન હોવું તે થોડી જુદી વાત છે.. આપણા માટે કોઈ બીજો પ્રાર્થના કરે તેનાથી મોટી વાત બીજી હોઈ જ ના શકે.. એકબીજાના જીવનમાં રોશની થાય તેવી આશા રાખીએ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ખલીલ ધનતેજવીની રચના... 


જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે,

ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે!


યાદ જ્યારે પણ તમે આવ્યાં, દુવા માગી છે મેં,

જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે!


એ રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત,

ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે!


મેં તમારા માટે એવી પણ કરી છત પર જગ્યા,

ચાંદ મારી પાસે આવે ચાંદની તમને મળે


આપણે બંને પરસ્પર એવી ઇચ્છા રાખીએ,

દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે!


જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,

એક ક્ષણ માગો અને આખી સદી તમને મળે!


એની સખીઓ જીદ કરે છે કે અમે પણ આવશું.

જો તમે ઇચ્છો ખલીલ એ એકલી તમને મળે!


– ખલીલ ધનતેજવી



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.