Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - ભાવનો ભૂખ્યો


  • Published By :
  • Published Date : 2024-07-25 17:44:46

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે. જેવી પરિસ્થિતિ તેવી ધર્મની વ્યાખ્યા. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના ભાવના ખૂભ્યા.. આ રચના કોની છે તેની જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


જેને ઈશ્વરે આજે માણસ બનાવ્યો

તેણે ઈશ્વરને જ પછી કેદ કર્યો.


પોતાને અનુકુળ એવો અર્થ કરીને

ધર્મના મુળભુત અર્થને જ બદલ્યો


ધર્મના જુદા જુદા વાડા રચીને

ધર્મને નામે અંદરો અંદર ઝઘડ્યો


મનવાંછિત સઘળાભોગો ભોગવવા 

વેદ ઉપનિષદની સારી આજ્ઞાઓ ભૂલ્યો


મંદિરને જ એણે બનાવ્યું માર્કેટ

ને ઈશ્વરને લાંચ રૂપી પ્રસાદ ધર્યો


છે જેની પાસે જગ આખાનો ખજાનો

તેને ભીખારીની જેમ જ ઉભો રાખ્યો


સુખ મેળવવા લાઈનમાં ઉભેલા લોકોએ 

માગી માગીને એને થકવી નાખ્યો


જોઈએ ના કોઈ પાસેથી તેને જશ

છે માત્ર એ કેવળ ભાવ નો ભૂખ્યો..



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .