Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - ભાવનો ભૂખ્યો


  • Published By :
  • Published Date : 2024-07-25 17:44:46

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે. જેવી પરિસ્થિતિ તેવી ધર્મની વ્યાખ્યા. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના ભાવના ખૂભ્યા.. આ રચના કોની છે તેની જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


જેને ઈશ્વરે આજે માણસ બનાવ્યો

તેણે ઈશ્વરને જ પછી કેદ કર્યો.


પોતાને અનુકુળ એવો અર્થ કરીને

ધર્મના મુળભુત અર્થને જ બદલ્યો


ધર્મના જુદા જુદા વાડા રચીને

ધર્મને નામે અંદરો અંદર ઝઘડ્યો


મનવાંછિત સઘળાભોગો ભોગવવા 

વેદ ઉપનિષદની સારી આજ્ઞાઓ ભૂલ્યો


મંદિરને જ એણે બનાવ્યું માર્કેટ

ને ઈશ્વરને લાંચ રૂપી પ્રસાદ ધર્યો


છે જેની પાસે જગ આખાનો ખજાનો

તેને ભીખારીની જેમ જ ઉભો રાખ્યો


સુખ મેળવવા લાઈનમાં ઉભેલા લોકોએ 

માગી માગીને એને થકવી નાખ્યો


જોઈએ ના કોઈ પાસેથી તેને જશ

છે માત્ર એ કેવળ ભાવ નો ભૂખ્યો..



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.