Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - ભાવનો ભૂખ્યો


  • Published By :
  • Published Date : 2024-07-25 17:44:46

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે. જેવી પરિસ્થિતિ તેવી ધર્મની વ્યાખ્યા. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના ભાવના ખૂભ્યા.. આ રચના કોની છે તેની જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


જેને ઈશ્વરે આજે માણસ બનાવ્યો

તેણે ઈશ્વરને જ પછી કેદ કર્યો.


પોતાને અનુકુળ એવો અર્થ કરીને

ધર્મના મુળભુત અર્થને જ બદલ્યો


ધર્મના જુદા જુદા વાડા રચીને

ધર્મને નામે અંદરો અંદર ઝઘડ્યો


મનવાંછિત સઘળાભોગો ભોગવવા 

વેદ ઉપનિષદની સારી આજ્ઞાઓ ભૂલ્યો


મંદિરને જ એણે બનાવ્યું માર્કેટ

ને ઈશ્વરને લાંચ રૂપી પ્રસાદ ધર્યો


છે જેની પાસે જગ આખાનો ખજાનો

તેને ભીખારીની જેમ જ ઉભો રાખ્યો


સુખ મેળવવા લાઈનમાં ઉભેલા લોકોએ 

માગી માગીને એને થકવી નાખ્યો


જોઈએ ના કોઈ પાસેથી તેને જશ

છે માત્ર એ કેવળ ભાવ નો ભૂખ્યો..



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે