Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માધવ રામાનુજની રચના - એક એવું ઘર મળે આ વિશ્વમાં


  • Published By :
  • Published Date : 2024-06-27 17:20:45

ઘરને આપણે સ્વર્ગ માનીએ છીએ..બહાર જઈ ત્યાં ઘરની યાદ આવે છે.. થોડા દિવસ સુધી તો બહાર ગમે છે પરંતુ તે બાદ ધીમે ધીમે ઘરની યાદ આવવા લાગે છે.. જ્યારે ઘરે પહોંચીએ છીએ ત્યારે જે આનંદની અનુભુતિ થાય છે તે શબ્દોમાં વર્ણવી ના શકાય.. ઘર સાથે અનેક યાદો જોડાયેલી હોય છે. ઘરએ હોય જ્યાં નાનપણ વિતાવ્યું હોય. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માધવ રામાનુજની રચના એક એવું ઘર મળે આ વિશ્વમાં... 


એક એવું ઘર મળે આ વિશ્વમાં

જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું

એક એવું આંગણું કે જ્યાં મને

કોઈ પણ કારણ વગર શૈશવ મળે !


એક બસ એક જ મળે એવું નગર

જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;

’કેમ છો?’ એવુંય ના કહેવું પડે

સાથ એવો પંથમાં ભવ ભવ મળે !


એક એવી હોય મહેફિલ જ્યાં મને

કોઈ બોલાવે નહિ ને જઈ શકું !

એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે

પાનખરના આગમનને રવ મળે !


તોય તે ના રંજ કૈં મનમાં રહે-

અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…..


– માધવ રામાનુજ 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.