Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માધવ રામાનુજની રચના - એક એવું ઘર મળે આ વિશ્વમાં


  • Published By :
  • Published Date : 2024-06-27 17:20:45

ઘરને આપણે સ્વર્ગ માનીએ છીએ..બહાર જઈ ત્યાં ઘરની યાદ આવે છે.. થોડા દિવસ સુધી તો બહાર ગમે છે પરંતુ તે બાદ ધીમે ધીમે ઘરની યાદ આવવા લાગે છે.. જ્યારે ઘરે પહોંચીએ છીએ ત્યારે જે આનંદની અનુભુતિ થાય છે તે શબ્દોમાં વર્ણવી ના શકાય.. ઘર સાથે અનેક યાદો જોડાયેલી હોય છે. ઘરએ હોય જ્યાં નાનપણ વિતાવ્યું હોય. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માધવ રામાનુજની રચના એક એવું ઘર મળે આ વિશ્વમાં... 


એક એવું ઘર મળે આ વિશ્વમાં

જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું

એક એવું આંગણું કે જ્યાં મને

કોઈ પણ કારણ વગર શૈશવ મળે !


એક બસ એક જ મળે એવું નગર

જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;

’કેમ છો?’ એવુંય ના કહેવું પડે

સાથ એવો પંથમાં ભવ ભવ મળે !


એક એવી હોય મહેફિલ જ્યાં મને

કોઈ બોલાવે નહિ ને જઈ શકું !

એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે

પાનખરના આગમનને રવ મળે !


તોય તે ના રંજ કૈં મનમાં રહે-

અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…..


– માધવ રામાનુજ 



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.