Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માધવ રામાનુજની રચના - એક એવું ઘર મળે આ વિશ્વમાં


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-27 17:20:45

ઘરને આપણે સ્વર્ગ માનીએ છીએ..બહાર જઈ ત્યાં ઘરની યાદ આવે છે.. થોડા દિવસ સુધી તો બહાર ગમે છે પરંતુ તે બાદ ધીમે ધીમે ઘરની યાદ આવવા લાગે છે.. જ્યારે ઘરે પહોંચીએ છીએ ત્યારે જે આનંદની અનુભુતિ થાય છે તે શબ્દોમાં વર્ણવી ના શકાય.. ઘર સાથે અનેક યાદો જોડાયેલી હોય છે. ઘરએ હોય જ્યાં નાનપણ વિતાવ્યું હોય. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માધવ રામાનુજની રચના એક એવું ઘર મળે આ વિશ્વમાં... 


એક એવું ઘર મળે આ વિશ્વમાં

જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું

એક એવું આંગણું કે જ્યાં મને

કોઈ પણ કારણ વગર શૈશવ મળે !


એક બસ એક જ મળે એવું નગર

જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;

’કેમ છો?’ એવુંય ના કહેવું પડે

સાથ એવો પંથમાં ભવ ભવ મળે !


એક એવી હોય મહેફિલ જ્યાં મને

કોઈ બોલાવે નહિ ને જઈ શકું !

એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે

પાનખરના આગમનને રવ મળે !


તોય તે ના રંજ કૈં મનમાં રહે-

અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…..


– માધવ રામાનુજ 



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.