Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝની રચના - જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી...


  • Published By :
  • Published Date : 2024-05-25 17:06:31

આપણે જેના માટે ઝંખતા હોઈએ છીએ તે ખુશી હોય છે.. ખુશી હોય તો જીવન જીવવા જેવું લાગે છે.. કોઈ પ્રેમ કરે તો આપણને જીંદગી જીવવા જેવી લાગે છે. પરંતુ જ્યારે પ્રેમી આપણને છોડીને જતો રહે ત્યારે? ખુશીના પળ ગમમાં ફેરવાતા વાર નથી લાગતી.. જેના માટે આપણે દુનિયાને છોડવા તૈયાર હોઈએ અને એ જ આપણને  છોડીને જતા રહે ત્યારે જે આપણી પર વિતે છે તે શબ્દમાં વર્ણવી શકાતું નથી.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના જેમાં તે જીવનની ફિલસૂફી સમજાવી રહ્યા છે..! 


જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,

જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.


આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું !

તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી.


દુઃખ તો એનું એ છે કે દુનિયાના થઈને રહી ગયા,

જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી.


દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,

મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.


કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,

કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી.


કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી,

રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી.


એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’,

મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.


– મરીઝ



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે