Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝની રચના - જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી...


  • Published By :
  • Published Date : 2024-05-25 17:06:31

આપણે જેના માટે ઝંખતા હોઈએ છીએ તે ખુશી હોય છે.. ખુશી હોય તો જીવન જીવવા જેવું લાગે છે.. કોઈ પ્રેમ કરે તો આપણને જીંદગી જીવવા જેવી લાગે છે. પરંતુ જ્યારે પ્રેમી આપણને છોડીને જતો રહે ત્યારે? ખુશીના પળ ગમમાં ફેરવાતા વાર નથી લાગતી.. જેના માટે આપણે દુનિયાને છોડવા તૈયાર હોઈએ અને એ જ આપણને  છોડીને જતા રહે ત્યારે જે આપણી પર વિતે છે તે શબ્દમાં વર્ણવી શકાતું નથી.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના જેમાં તે જીવનની ફિલસૂફી સમજાવી રહ્યા છે..! 


જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,

જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.


આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું !

તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી.


દુઃખ તો એનું એ છે કે દુનિયાના થઈને રહી ગયા,

જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી.


દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,

મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.


કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,

કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી.


કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી,

રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી.


એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’,

મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.


– મરીઝ



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.