Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના - નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે..


  • Published By :
  • Published Date : 2024-08-16 18:31:41

જ્યારે કોઈ અદ્ભૂત રચના આપણે વાંચીએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે કવિને આવા શબ્દો મળે છે ક્યાંથી.. કેટલો અનુભવ હશે, કેટલી દુનિયા તેમણે જોઈ હશે.. શબ્દો દ્વારા તે આપણને એક પ્રવાસ પર લઈ જાય છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના...  



નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,

ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.


પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી,

મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.


સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,

જમાનો એને કવિનો ખયાલ સમજે છે.


આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ,

કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ?


હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી,

આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે.


મળે તો એમની આશાને સો સલામ કરું,

કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે.


અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા,

કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે.


તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા,

કે તું હવાને શિકારીની જાલ સમજે છે !


મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,

તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.


ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !

કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.


ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,

આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .