Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના - નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે..


  • Published By :
  • Published Date : 2024-08-16 18:31:41

જ્યારે કોઈ અદ્ભૂત રચના આપણે વાંચીએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે કવિને આવા શબ્દો મળે છે ક્યાંથી.. કેટલો અનુભવ હશે, કેટલી દુનિયા તેમણે જોઈ હશે.. શબ્દો દ્વારા તે આપણને એક પ્રવાસ પર લઈ જાય છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના...  



નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,

ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.


પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી,

મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.


સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,

જમાનો એને કવિનો ખયાલ સમજે છે.


આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ,

કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ?


હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી,

આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે.


મળે તો એમની આશાને સો સલામ કરું,

કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે.


અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા,

કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે.


તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા,

કે તું હવાને શિકારીની જાલ સમજે છે !


મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,

તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.


ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !

કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.


ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,

આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.